હાલમાં જ ધ કપિલ શર્મા શોમાં ટીચર વિદ્યાવતીનો રોલ કરી ચુકેલી કોમેડિયન સુગંધા મિશ્રા પોતાની સગાઈની ખબરોને લઈને ખૂબ જ ચર્ચામાં આવી ગઈ હતી. સુગંધા મિશ્રાએ પોતાના મંગેતર સંકેત ભોંસલે સાથે અમુક રોમેન્ટિક ફોટા શેર કર્યા હતા જેના પરથી એમના ફેન્સે અંદાજો લગાવી લીધો હતો કે બંનેએ સગાઈ કરી લીધી છે અને જલ્દી જ બંને લગ્ન બંધનમાં બંધાવાના છે. આ વાયરલ ફોટા પર સુગંધા મિશ્રાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સુગંધા મિશ્રાએ એ વાતની ચોખવટ કરી છે કે સંકેત અને એમની સગાઈ હજી સુધી થઈ નથી અને આ બધી ખબરો એકદમ ખોટી છે.
વાત જાણે એમ છે કે સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલે બન્નેએ એકબીજા સાથેના ફોટા શેર કર્યા હતા જેને જોઈને કોઈપણ એવું જ કહેશે કે બંનેએ સગાઈ કરી લીધી છે. પણ એવું નથી. સુગંધા મિશ્રાએ ચોખવટ કરી દીધી છે કે એમની સંકેત સાથે હજી સુધી સગાઇ નથી થઈ. સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેની સગાઈ જ ફેન્સ માટે કોઈ ઝટકાથી ઓછી નહોતી. એવામાં આ ખબર ફરી એકવાર ફેન્સ માટે એક જોરદાર ઝટકો છે.
તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુગંધા મિશ્રાએ કહ્યું છે કે આ વાયરલ ફોટા એમની સગાઈના નહિ પણ પ્રિ વેડિંગ શૂટના છે. એ સિવાય સુગંધા મિશ્રાએ પોતાના અને સંકેતના સંબંધ વિશે પણ ખુલીને વાત કરી. એમને જણાવ્યું કે બંને એકબીજાના નિર્ણયોનું ખૂબ જ સમ્માન કરે છે અને બંનેમાં ખાટી મીઠી નોક જોકે જ એમના પ્રેમભર્યા સંબંધને વ્યક્ત કરે છે.
સાથે જ સુગંધાએ સંકેત સાથે લગ્નને લઈને પણ સ્પષ્ટ રીતે વાત કરી . એમમે કહ્યું કે અમારે હજી સગાઈ કરવાની છે. 26 એપ્રિલે અમારા લગ્ન જાલંધરમાં છે. હું જાલંધરની રહેવાસી છું અને લગ્નમાં અમુક નજીકના સગાસંબંધીઓ જ સામેલ થશે. સગાઈ અને લગ્ન બન્ને એક જ દિવસે સંપન્ન થશે.
તમને જણાવી દઈએ કે બંનેના અફેરની ખબરો ઘણીવાર સામે આવી હતી પણ બંનેએ આ વિશે ચોખ્ખી ના પાડી દીધી હતી અને આ બધી વાતોને અફવા કહી દીધી હતી. તો બંનેના વર્કફ્રન્ટની વાત કરીએ તો સંકેત ભોંસલે ધ કપિલ શર્મા શોમાં સંજય દત્તનું પાત્ર ભજવતા હતા. તો સુગંધા મિશ્રા પણ ઘણા અલગ અલગ પત્રોમાં આ શોમાં દેખાતી હતી. કપિલ શર્માના શો સિવાય સંકેત ભોંસલે બાબા કી ચોકી શોના પણ હોસ્ટ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!