સોનુ મુક્યુ લોકરમાં, અને જ્યારે પાંચ વર્ષ પછી માલિકે લોકર ખોલ્યુ ત્યારે અંદરથી નિકળ્યુ કંઇક ‘આવું’

SBIના લોકરમાં પડેલા દાગીના પાંચ વર્ષે માર્બલના પથ્થર બની ગયા, જાણો એવું શું થયું

જયપુરઃ સોનું સુરક્ષિત મુકવા માટે આપણે સૌ સામાન્ય રીતે બેંકના લોકરનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ, જો અમુક વર્ષ સુધી એ સોનાને લોકરમાં મૂકી રાખ્યા પછી એ પથ્થર બની જાય તો? આ વાત જરાય માન્યામાં આવે એવી નથી કે લોકરમાં મુકેલું સોનું અમુક વર્ષો પછી પથ્થર બની જાય.

image source

આવું કેવી રીતે બની શકે? પણ હાલમાં આવી જ એક ઘટના રાજસ્થાનના જાલોર જિલ્લામાં બની છે. સોનાના દાગીના સાચવીને મુકવા માટે આજથી પાંચ વર્ષ પહેલા ખોલાવેલા લોકરમાં, જ્યારે પાંચ વર્ષ પછી લોકરના માલિક દ્વારા ખોલવામાં આવ્યું ત્યારે એમાંથી સોનાના સ્થાને માત્ર માર્બલના પથ્થર મળ્યા હતા. આ ઘટના રાજસ્થાનના જાલોર જીલ્લાની છે.

બેન્કની વિશ્વનીયતા પર ઉભા થયા સવાલ

image source

રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી આ ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે અહીંના એક વ્યક્તિએ પાંચ વર્ષ પહેલા SBI બેન્કના લોકરમાં સોનુ મુક્યું હતું. પણ પાંચ વર્ષે જ્યારે લોકર ખોલ્યું તો એમાંથી પથ્થર નીકળ્યાં. અહીં એસબીઆઇ બેન્કમાં આ આશ્ચર્યચક્તિ કરી દેતી ઘટના સામે આવી છે. જાલોર શહેરના નિવાસી પારસમલ જૈને પાંચ વર્ષ પહેલા એસબીઆઇ બેન્કના લોકરમાં પોતાના પરિવારનું સોનું મૂકર્યુ હતું. પણ, પાંચ વર્ષ બાદ જ્યારે એણે લોકર ખોલીને જોયું તો લોકરમાં સોનુ નહીં પથ્થર મળ્યા.

image source

પારસમલ જૈનનો જાલોરના વાતની છે પણ મહારાષ્ટ્રના ભિવંડીમાં એમનો વ્યવસાય છે. દેશમાં લાગેલા લોકડાઉનના કારણે 20 દિવસ પહેલા જ તેઓ પોતાના વતન પાછા ફર્યાં હતા. ત્યારે એમણે બેન્કમાં જઇને 5 વર્ષ પહેલા ખોલાવેલા લોકરની તપાસ કરી હતી. જો કે લોકર ખોલતાની સાથે જ પારસમલ જૈન આઘાતમાં સરી પડયા હતા, કારણે કે લોકરમાં સોનાને બદલે મોટા મોટા પથ્થર હતા.

પોલીસ સ્ટેશનમાં નોધાઇ ફરિયાદ

image source

પારસમલે આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવી હતી. પોલીસ ફરિયાદના આધારે પારસમલે લગભગ 800 ગ્રામ જેટલા સોનાના આભુષણ બેન્કના લોકરમાં મૂક્યાં હતા. જોકે, અહીં આવીને પાંચ વર્ષ બાદ લોકર ખોલતા સોનાના આભૂષણને બદલે એમને માત્ર મારબલના પથ્થર જ મળ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને પ્રશાસનમાં પણ હડકંપ મચી ગઇ છે.

image source

પાંચ વર્ષ પછી અચાનક જયારે બેન્કના લોકરમાંથી 800 ગ્રામ સોનું ગાયબ થયું તો ચિંતિત પારસમલે સૌ પ્રથમ તો બેંક મેનેજરનો સંપર્ક કર્યો હતો, પણ ત્યાં એમને કોઈ સંતોષજનક જવાબ મળ્યો નહી. જો કે પારસમલ દ્વારા અન્ય અધિકારીઓનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. જો કે એમની સાથે સંપર્ક થઇ શક્યો નહી. ત્યારબાદ અંતિમ પગલા રૂપે એમણે પોલીસ સ્ટેશન જઈને આ અંગે SBIની લોકર સુવિધા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

image source

બેંક મેનેજરે આ આરોપો અસ્વીકારી દીધા હતા

મામલો જયારે વધુ ગરમ થયો ત્યારે મેનેજરે જણાવ્યું કે પારસમલ જ્યારે લોકર ઓપરેટ કરવા આવ્યા ત્યારે સહીની ખરાઈ કરવામાં આવી હતી. લોકર અને અન્ય બધું જ બરાબર હતું. મેનેજર દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે એમનું લોકર માત્ર પારસમલ દ્વારા જ ઓપરેટ કરવામાં આવ્યું હતું. બેન્કના રેકોર્ડ પ્રમાણે છેલ્લી વખતે પણ એમના હાથે જ લોકર ઓપરેટ થયું હતું.

image source

મેનેજરે આ મુદ્દે બચાવ કરતા જણાવ્યું હતું કે, જ્યારે પારસમલ ચેમ્બરમાં બેઠા હતા ત્યારે તેમણે લોકરમાંથી પથ્થર મળ્યાની વાત કરી હતી. સામન્ય રીતે લોકરની ચાવી ગ્રાહક પાસે જ રહે છે. બેન્ક પાસે તો માત્ર માસ્ટર કી હોય છે, જેનો ઉપયોગ ક્યારેય ગ્રાહકની હાજરી વગર થઈ શકતો નથી. સહી વગેરેની ખરાઇ કરીને જ લોકર ખોલવામાં આવે છે, તેમજ બધા જ લોકરને નીચેથી લોક કરવાામાં આવે છે.

સંપૂર્ણ ઘટના રહસ્યમય બની રહી છે

image source

આ સમગ્ર ઘટના મુદ્દે પોલીસ અધિકારી બાદ સિંહે જણાવ્યું કે. ફરિયાદી પારસમલે પાંચ વર્ષ પહેલા એસબીઆઇ બેન્કમાં 800 ગ્રામ સોનાના ઘરેણા મૂક્યા હતા. જે હવે લોકર ખૂલતા માત્ર પથ્થર જ મળ્યાં છે. ફરિયાદીની રિપોર્ટ મુજબ ફરિયાદ નોંધીને આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

image source

આખીયે ઘટનાને જો ટૂંકમાં કહીએ તો વાત જરાક એમ છે કે આખોય મામલો બે પક્ષના આરોપોમાં રસપ્રદ બની ચુક્યો છે. આસપાસના શહેરોમાં પણ ચર્ચા થઈ રહી હતી. એક તરફ બેંક મેનેજેર કહે છે કે પારસમલની ઘેરહાજરીમાં લોકર ખોલવામાં આવ્યું જ નથી તો બીજી તરફ પારસમલનો આરોપ છે કે ૮૦૦ ગ્રામ સોનું ગાયબ છે. જો આ ઘટના ખરેખર પારસમલ કહી રહ્યા છે એમ હોય તો બેન્કની વિશ્વનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકાઈ શકે છે. હાલ તો સમગ્ર ઘટના સમજવા પ્રયત્ન કરતી પોલીસે ફરિયાદ નોધીને તપાસ શરુ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ