જીભ નીકાળીને કરો આ આસન, 10 બીમારીઓનો છે ઇલાઝ
આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં પોતાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાના માટે થોડો સમય કાઢવો જોઇએ. યોગમાં આવા જ થોડા આસન છે જે તમને તંદુરસ્ત રાખશે.
તો જાણી લો તમે પણ આજે એવા આસન વિશે જે તમને રોગ મુક્ત કરશે અને સાથે-સાથે તમારી ત્વચાને પણ સુંદર બનાવશે. તમને જણાવી દઇએ કે આ આસનનુ નામ સિંહાસન છે. સિંહાસન કરવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ થાય છે.
તો જાણી લો તમે પણ આ આસન કરવાની રીત…
આસન કરવાની રીત
આ આસનમાં સિંહની જેમ ગર્જના કરવાની હોય છે. આ આસન કરવા માટે કોઈ એકાંત કે શાંત જગ્યા એ બેસો. સૌથી પેહલા પગને ઘૂંટણથી વાળીને ઘૂંટણને આગળની તરફ કરો.
હવે એડી પર બેસીને આગળની તરફ ઝૂકો. પછી બંને હાથને બંને ઘૂંટણની વચ્ચે આંગળીઓને અંદરની તરફ રાખી હથેળીને જમીન પર મૂકો. આમ કરવાથી તમારી આખી પોઝિશન સિંહ જેવી થશે. પછી જીભને બહાર કાઢી સિંહની જેમ ગર્જના કરો.
દૂર થશે તોતડાપણું
ઘણા લોકોને બાળપણથી જ જીભ તોતડાતી હોય છે. આમ, જો તમે આ સમયે સિંહાસન કરો છો તો આ સમસ્યામાંથી બહાર આવી જાવો છો.
ગળામાં કાકડા(ટોન્સિલ) દૂર થાય છે
જો તમને વારંવાર ગળામાં કાકડા(ટોન્સિલ)ની સમસ્યાનો સામનો કરવો પડતો હોય અને ગળામાં દુખતુ હોય તો આ આસન કરવાથી તમને ફાયદો થશે. જો તમે આ આસન નિયમિત કરશો તો ગળાને લગતી કોઇ પણ પ્રકારની તકલીફથઈ તમે બચી શકશો.
બ્લડ સરક્યુલેશન
શરીરમાં બ્લડ સરક્યુલેશન બરાબર રાખી ઓક્સીજનની માત્રા પૂરતી રાખે છે જેના કારણે અસ્થમાની સમસ્યામાંથી રાહત મળે છે
મોઢાની વાસ દૂર કરે
સિંહ જેવી ગર્જના કરવાથી મોઢામાંથી આવતી વાસ ધીરે ધીરે ઓછી થાય છે.
ડર દૂર થાય
કોઈ કારણ વગર અથવા નાની- નાની વાતોમાં લાગતો ડર આ સિંહ આસન કરવાથી દૂર થાય છે અને તમે ડરનો સામનો કરતાં શીખી જાઓ છો.
ચહેરાની કરચલી કરે દૂર
વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલી પડવા લાગે છે જે તમને સિંહાસન કરવાથી દૂર થાય છે અને પડી ગયેલી કરચલીઓ જલ્દી જ ગાયબ થઇ જાય છે. જો તમે આ આસન રેગ્યુલરલી કરશો તો તમારા ફેસ પર ક્યારે પણ તમને કરચલીઓ પડશે નહિં અને ફેસ એકદમ ક્લિન રહેશે.
થાઈરોઈડમાં ફાયદાકારક
જો તમને થાયરોઈડની તકલીફ છે તો આ સિંહાસન કરવાથી જલ્દી આરામ મળશે.
આંખ અને કાન થાય છે મજબૂત
આ આસન કરવાથી આંખ અને કાનને તો ફાયદો થાય છે જ પણ સાથે -સાથે નાક,જીભ,તાળવું અને દાંત પણ મજબૂત બને છે.
વધે છે આંખોની રોશની
સિંહાસન કરવાથી આંખોની રોશની વધે છે એટલે આંખો માટે પણ ખૂબ ફાયદાકારક છે.
ત્વચા નિખરે છે
સિંહાસન કરવાથી ઢીલી પડી ગયેલી ત્વચા ટાઈટ થાય અને ચહેરો નિખરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ