શિયાળામાં આપણી ત્વચાની સાથે આપણા વાળ પણ બગડવાની શરૂઆત થાય છે. આ માટે આપણે વાળની વધુ કાળજી લેવાની જરૂર છે. શિયાળાના દિવસોમાં વાળ ખરવાની સાથે વાળમાં ડેન્ડ્રફ પણ શરૂ થાય છે. ડેન્ડ્રફના કારણે આપણી માથા ઉપરની ચામડી સુકાવા લાગે છે.
જે આપણા વાળને બેજાન તો બનાવે જ છે સાથે તે આપણા વાળના વિકાસને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં બજારમાંથી ઉત્પાદનો ખરીદવાને બદલે આપણે કેટલાક ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ. આજે અમે તમને કેટલીક સરળ ટીપ્સ જણાવીશું જેની મદદથી તમારા વાળ ખરવા અને ડેન્ડ્રફની સમસ્યા તો દૂર થશે જ સાથે વાળ લાંબા અને જાડા બનશે.
લીંબુનો રસ
ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. આ માટે સરસવના તેલમાં અથવા નાળિયેર તેલમાં એક લીંબુનો રસ ઉમેરો, ત્યારબાદ આ તેલથી માથાની ચામડીની માલિશ કરો અને તેને થોડા સમય માટે રહેવા દો. આ પછી વાળને સારી રીતે ધોઈ લો.
ડુંગળીનો રસ
જો તમને ડેન્ડ્રફ છે, તો આ માટે ડુંગળીનો રસ ખૂબ ફાયદાકારક છે. જો તમે ઈચ્છો તો તમે ડુંગળીના રસને કોઈપણ તેલ સાથે મિક્સ કરીને વાળના મૂળિયામાં લગાવી શકો છો અથવા માત્ર ડુંગળીનો રસ માથા પર લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે. ત્યારબાદ તેને લગભગ અડધો કલાક માથા પર રહેવા દો અને પછી તમારા વાળ શેમ્પુ અને સદા પાણીથી ધોઈ લો.
ટી ટ્રી તેલ
આ ખૂબ જ મજબૂત માઇક્રોબાયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી છે, જે ડેન્ડ્રફના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે. ટી ટ્રી તેલ માથામાં રહેલા બેક્ટેરિયા સામે લડવામાં અસરકારક છે જે સેબોરહાઈક સોજા અને ડેન્ડ્રફ બંનેનું કારણ બની શકે છે. ટી ટ્રી તેલનો નિયમિત ઉપયોગ કરવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.
દહીં
ડેન્ડ્રફની સમસ્યામાં દહીંનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવાની સાથે તે વાળને પોષણ આપવાનું કામ પણ કરે છે. આ માટે એક કપ દહીંમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરો અને આ પેકને માથાની ચામડીમાં લગાવો. આ પેક માથા પર 15 મિનિટ રહેવા દો, હવે તમારા વાળ ધોઈ લો. આ ઉપાય તમારા વાળમાં થતા ડેન્ડ્રફની સમસ્યા દૂર કરશે.
નાળિયેર તેલ
નાળિયેર તેલનો ઉપયોગ ઘણીવાર ડેન્ડ્રફ માટેના કુદરતી ઉપાય તરીકે પણ થાય છે. નાળિયેર તેલ ત્વચાની હાઇડ્રેશનને સુધારે છે અને શુષ્કતા અટકાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં નાળિયેર તેલનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. ખરજવું જેવા ત્વચા રોગોની સારવારમાં પણ નાળિયેરનો ઉપયોગ થાય છે. માથામાં ફૂગની સમસ્યામાં નાળિયેર તેલ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
એલોવેરા
એલોવેરાનો ઉપયોગ ત્વચા માટે પોષક તત્વો, સૌંદર્ય પ્રસાધનો અને લોશનમાં થાય છે. આ માટે માથા ઉપરની ચામડી પર એલોવેરા લગાવો અને થોડા સમય પછી તમારા વાળ ધોઈ લો. ડેન્ડ્રફના કારણે તમારા વાળ શુષ્ક થાય છે, એલોવેરાનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફ તો દૂર થાય જ છે, સાથે તે તમારા વાળની શુષ્કતા પણ દૂર કરે છે.
એપલ સાઇડર વિનેગર
ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કુદરતી ઉપાય તરીકે કરવામાં આવે છે. એપલ સાઇડર વિનેગર માથા પરની ચામડી પરના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે, તેથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. આ માટે મુલતાની માંટ્ટીના એપલ સાઇડર વિનેગર મિક્સ કરી તેને તમારા માથા પરની ચામડી પર લગાવવાથી ફાયદો થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ