શરીરમાં કોઈ નસ બ્લોક થઇ ગઈ છે? લોહી જામ થઇ જાય છે? અપનાવો આ સરળ ઘરગથ્થુ ઉપાય…

રસોડમાં રહેલી સામગ્રીઓથી બનનાર આ નુસ્ખા તમારા શરીરની બ્લોક થયેલી નસોને આસાનીથી ખોલી શકે છે.

વાતાવરણમાં વધુ પ્રદુષણ અને ખાનપાનમાં આવેલા ફેરફારને કારણે અવારનવાર લોકો બિમાર પડતા રહે છે. એમાંથી જ એક સમસ્યા છે શરીરની નસો બ્લોક થઈ જવી. જ્યારે વ્યકિતના શરીરની નસો બ્લોક થઈ જાય છે તો તેના સબંધિત સ્થાન પર ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. સાથે, તે સ્થાન પર બળતરા, ગાંઠ જેવી સમસ્યા જન્મવા લાગે છે. જો નસોની બ્લોક થવાની સમસ્યા હ્દયથી જોડાયેલી નસોમાં થઇ જાય તો હાર્ટ એટેકની સંભાવના પણ વધી જાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણા લોકો મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ ટ્રીટમેન્ટ બાદ પણ આ વાતની ગેરેંટી નથી મળતી કે આ સમસ્યાથી છૂટકારો મળશે કે નહિ. એવામાં અમે તમારા માટે એક એવો આસાન નુસ્ખો લાવ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે ઘરે હ આ સમસ્યાથી હમેંશા માટે છૂટકારો મેળવી શકો છો. સૌથી સારી વાત એ છે કે આ નુસ્ખાને તૈયાર કરવા માટે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમે રસોડામાં રહેલી સામગ્રીથી જ શરીરની કોઈપણ નસ ખોલી શકો છો. તો અપનાવો આ ઉપાય ને રહો ફીટ એન્ડ ફાઇન.

નુસ્ખો બનાવવાની સામગ્રી

તજ- લગભગ ૧ ગ્રામ

કાળા મરચા આખા-૧૦ ગ્રામ

તમાલપત્ર-૧૦ ગ્રામ

મગજતરી-૧૦ ગ્રામ

મિશરી-૧૦ ગ્રામ

અખરોટ તોડેલા-૧૦ ગ્રામ

અળસી-૧૦ ગ્રામ

નુસ્ખો બનાવવાની વિધિ

જણાવવામાં આવેલી બધી ચીજો કોઈપણ ભારતીય રસોડામાં સરળતાથી મળી જાય છે. આ જ બધી ચીજોને મેળવીને તે જાદુઈ અૌષધિ બનાવવામાં આવે છે જે શરીરની બ્લોક નસોને ખોલી દે છે. નુસ્ખો બનાવવા માટે તમે સૌપ્રથમ આ બધી ચીજોને મિક્સરમાં નાખીને સારી રીતે બારિક પીસી લો. હવે આ પીસેલા મિશ્રણને ૧૦ સમાન ભાગમાં વહેંચી લો અને તેને કોઈ કાગળ કે કોથળીમાં રાખી લો. હવે આ મિશ્રણ ઉપયોગ માટે તૈયાર છે.

આ રીતે કરવો ઉપયોગ

જણાવી દઇએ, આ મિશ્રણ ૧૦ દિવસનું છે. આ મિશ્રણને રોજ સવારે ભૂખ્યા પેટે લઈ શકાય છે. આ મિશ્રણને પાણી સાથે લેવાનું છે. રોજ સવારે એક પડીકીને પાણી સાથે ભૂખ્યા પેટે લેવી અને આ જ રીતે તેનું સેવન ૧૦ દિવસ સુધી કરવુ. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દવા ખાવાના અડધા કલાક પછી સુધી કોઈપણ ચીજનું સેવન નથી કરવાનુ. આ દરમિયાન ચા પીવાની સખત મનાઈ છે. દવા ખાવાના ૨-૩ કલાક બાદ જ તમે ચા નાસ્તો કરો. આ દવાને દસ દિવસ સુધી સતત ખાવાથી તમને આપમેળે ફરક અનુભવાશે.

હ્દયરોગથી પણ મળશે છૂટકારો

શરીરની નસો જ્યારે બ્લોક થઈ જાય છે તો હાર્ટ એટેકની સંભાવના પણ વધી જાય છે. તેના સિવાય, લકવાનું પણ જોખમ બનેલુ રહે છે. એવી સ્થિતિ આવવા પર જો તમે મોડુ કર્યુ તો જીવ પણ જઈ શકે છે. પરંતુ જો તમે આ ચૂર્ણ રોજ પાણીમાં મેળવીને પીઓ છો તો હાર્ટ એટેક અને લકવાનું જોખમ ઘણી હદ સુધી ટળી જાય છે.

બ્લોક નસોને ખોલવાનુ કામ કરે છે આ દેશી નુસ્ખા એ પણ વગર આડઅસર

શરીરમાં બ્લડ સર્કુલેશન બરાબર રાખવા માટે ધમનિઓનું સ્વસ્થ હોવુ ખૂબ જરૂરી છે. તેના બંધ થવા પર બ્લડ સર્કુલેશનનુ કામ ખરાબ રીતે પ્રભાવિત થાય છે, શરીરને અન્ય બિમારીઓ ઘેરી લે છે. ધમનિઓમાં બ્લોકેજ અચાનક નથી થતુ પરંતુ આ પ્રોસેસ પહેલાથી ચાલતી રહે છે અને તેની ખબર ત્યારે પડે છે જ્યારે ધમનિઓ બ્લોક થઈ ચૂકી હોઇ છે. આ સમસ્યા મોટાભાગે ધુમ્રપાન અને આલ્કોહોલ પીવા વાળા લોકોમાં જોવા મળે છે. ધમનિઓ બ્લોક થવા પર ચક્કર આવવા, શ્વાસ ફૂલવો, ચાલવામાં તકલીફ થવી વગેરે સમસ્યાઓ થાય છે. આ સમસ્યાને ઓળખીને ઈલાજ કરવો ખૂબ જરૂરી છે. તેના સાથે જ આ ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ તમે આ સમસ્યાથી જલ્દી રાહત મેળવી શકો છો.

હળદર

હળદરમાં ઘણાબધા અૌષધિય ગુણ મળી આવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હળદર એક અૌષધિની જેમ કામ કરે છે. હળદરમાં કરક્યૂમિન એંટિ-ઈંફ્લેમેટરી ગુણ હોઈ છે જે લોહીના થક્કાને જામવાથી રોકે છે. તેના સેવનથી ધમનિઓમાં થક્કા નથી જામી શકતા અને બ્લોક ધમનિઓ સરળતાથી ખુલ્લી જાય છે. તેના માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં ૧ ચમચી હળદર પાઉડર અને થોડુ મધ મેળવીને પીઓ.

લસણ

લસણ ખાવાથી શરીરમાં રહેલ રક્તવાહિકાઓની પહોળાઇ ફેલાવામાં સક્ષમ થાય છે. ધમનિઓનુ બ્લોકેજ ખોલવા માટે લસણનું સેવન ખૂબ જરૂરી છે. આ સમસ્યા ખતમ કરવા માટે લસણની કળીઓને શેકીને કે પીસીની દૂધમાં નાખીને પીઓ.

અળસી

અળસીમાં અલ્ફા લિમોલેનિક એસિડ ભરપૂર માત્રામાં રહેલુ હોઈ છે જે બંધ ધમનિઓને ખોલવામાં સહાયતા કરે છે. તેના સિવાય આ તત્વ ધમનિઓમાં રહેલા એલડીએલ કોલેસ્ટ્રોલને આસાનીથી બહાર કાઢી નાખે છે, જેના કારણે બ્લોક ધમનિઓ આસાનીથી કામ કરવા લાગે છે. તેને ઉપયોગ કરવા માટે રાત્રે અળસીના બી પાણીમાં પલાળી દો અને તેને પીસીને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. આ ઉકાળાને ૩ થી ૪ મહિના પીવાથી બ્લોક ધમનિઓ ખુલ્લી જાય છે.

દાડમ

બ્લોક ધમનિઓને ખોલવામાં દાડમ ખૂબ ફાયદાકારક છે. તેના માટે રોજ સવારે ૩ થી ૪ દાડમનુ સેવન કરવું. આને ખાવાથી શરીરમાં લોહીની કમી પણ નહિ થાય.

લાલ મરચુ પાઉડર

આમાં કેપ્સેસિન નામક તત્વ હોઈ છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ કાઢવામાં મદદ કરે છે. જો તમે તેને તમારા ભોજનમાં શામેલ કરશો તો આ શરીરમાં જામેલા પ્લેટલેટ્સને આસાનીથી ખતમ કરી શકશો અને બ્લોક ધમનિઓને ખોલી શકશો. તેનો ઉપયોગ કરવા માટે ૧ કપ ગરમ પાણીમાં અડધી કે એક ચમચી લાલ મરચુ મેળવીને પીઓ પરંતુ આ ઉપાય ડોક્ટરની સલાહથી કરવો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ