માત્ર એકવાર શનિપાતાળ ક્રિયા કરો અને સાડાસાતિની પનોતીની અસર દૂર કરો.
View this post on Instagram
શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. તે સંપૂર્ણ જગતના લોકોના પાપ-પુણ્યનો હિસાબ રાખે છે. જે લોકો પર શનિનિ સાડાસાતીની પનોતી હોય તે હંમેશા સંકટોથી ઘેરાયેલા રહે છે.
View this post on Instagram
તેમનું કોઈ કામ સીધું પાર નથી પડતું. માટે આ પનોતીનો પ્રભાવ ઓછો કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં એક ઉપાય દર્શાવવામાં આવ્યો છે. જેને શનિ પાતાળ ક્રિયા કહેવામાં આવે છે.
View this post on Instagram
આ વિધિ કરવાથી શનિની સાડાસાતીનો દોષ હળવો થાય છે. શનિશ્વરી અમાસ પહેલાં શનિની લોખંડની મૂર્તિનું નિર્માણ કરો અને કોઈને પણ કહ્યા વગર તેને ઘરે લઈ આવો.
View this post on Instagram
હવે દર શનિવારે આ મૂર્તિની શ્રદ્ધાથી પૂજા કરવી અને નીચે જણાવેલા મંત્રનો પૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતાથી જાપ કરોઃ
ॐ શં ન દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે,
શંયોરભિ સ્ત્રવન્તુનઃ.
ત્યાર બાદ પંડિત પાસે દશાંશ હવન કરાવવો અને એવી જગ્યા પર ખાડો ખોદવો જ્યાંથી તમારે ક્યારેય પસાર થવાનું ન થાય. આ ખાડામાં શનિદેવની મૂર્તિને ઉંધી રાખવી એટલે કે શનિદેવનું માથુ જમીન તરફ રાખવું એટલે કે પાતાળ તરફ રાખવુ.
View this post on Instagram
ત્યાર બાદ ખાડાને માટીથી પૂરી દેવો. ત્યાર બાદ શનિદેવની શ્રદ્ધાપૂર્વક આરાધના કરો. અહીં આ વિધી પૂર્ણ થાય છે. આમ કરવાથી સાડાસાતીની પનોતીની અસર નબળી થાય છે.
આ ઉપરાંત તમારે નિયમિત શનિદેવના દર્શન તો ચાલુ જ રાખવા. અને તેમના જાપ પણ.
અને ધીમે ધીમે સનીની પનોતીનો ઓછાયો તમારા પરથી ઢળવા લાગે છે. અને જીવનમાં સુખ સમૃદ્ધી આવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ