શનિદેવને ન્યાયના દેવતા કહેવામા આવે છે કારણકે તે લોકોને તેના કર્મને આધારે તેમણે ફળ આપે છે. તેથી તેમણે ક્રૂર કહેવામા આવે છે જ્યારે તમે સારા કર્મ કરો છો ત્યારે તે તમને સારું પરિણામ આપે છે અને જ્યારે તમે ખરાબ કર્મ કરો ત્યારે તમને તે ખરાબ ફળ આપે છે. પરંતુ જ્યારે તેની કૃપા પર આપના પર રહે ત્યારે આપના જીવનમાં કોઈ પણ વસ્તુનો અભાવ રહેતો નથી.
પરંતુ જ્યારે તેમની ખરાબ દ્રષ્ટિ આપના પર પડે ત્યારે આપણે આપના જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેનાથી આપના જીવનમાં ઘણા દુખ આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની ઘણી સ્થિતિને અને યોગને નુકશાનકારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આનો ત્રણ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ખૂબ જ જોખમી છે. આ યોગ સર્જાય ત્યારે તે વ્યક્તિને હમેશા કોઈને કોઈ ઉતાર ચડાવ માથી પસાર થવું પડે છે. આનાથી તેમણે હમેશા નિષ્ફળતા જ મળી રહે છે. તો ચાલો આપને જાણીએ કે આ ત્રણ યોગ ક્યાં ક્યાં છે.
શનિ અને રાહુનો યોગ :
શનિની જેમ રાહુને પણ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યારે આ યોગ સર્જાય છે ત્યારે તે વ્યક્તિને આર્થિક સ્થિતિ સારી રહેતી નથી અને તેની સાથે તેમના પરિવારને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ યોગના કારણે તેને ગુપ્ત રોગ થવાની સમસ્યા પણ સર્જાય છે. તેનાથી તેને અચાનક ઘણી સ્મસ્યાનો સામનો કરવો પડી શકે છે. આનાથી તેમના જીવનમાં મુશ્કેલી વધે છે.
ઉપાય :
આના માટે તમારે શનિવારે સહઞ્જે પીપલાણા ઝાડ નીચે સરસાવના તેલનો દીવો કરવો આ સાથે શનિવારે સરસાવના તેલનું દાન કરવું જોઈએ.
શનિ અને ચંદ્ર યોગ :
જ્યારે આ યોગ સર્જાય ત્યારે તે વ્યક્તિ માદક દ્રવ્યનો વ્યાસની બની જાય છે. આના લીધે તે વ્યક્તિ ખોટા રસ્તે ચાલવાનું શરૂ કરી દે છે. જ્યારે શનિની સ્થિતિ વધારે ખરાબ થાય ત્યારે તે વ્યક્તિના હાથે ગુનો પણ થઈ શકે છે. આનાથી તે વ્યક્તિ તણાવનો શિકાર બને છે.
ઉપાય :
આ સ્થિતિમાં તમારે સોમવારના દિવસે ઉપવાસ કરવો જોઈએ. ભગવાન શિવને શેરડીના રસથી અભીષેક કરવો જોઈએ. તમારે શનિવારના દિવસે કોઈ પણ હોસ્પીટલમાં દવાનું દાન કરવું જોઈએ. ઉપવાસ કરો ત્યારે તમારે ખાલી પાણી અને દૂધનું જ સેવન કરવું જોઈએ.
શનિ અને સૂર્ય યોગ :
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં આ યોગ સર્જાય ત્યારે તેમણે તેના બધા કામમાં નિષ્ફળતા મળી રહે છે. આનાથી તમારા તમે જે મહેનત અને પ્રયાસ કરશો તેનાથી પણ તમને સફળતા મળતી નથી. આનાથી પિતા અને પુત્ર વચ્ચે અણબનાવ બની શકે છે. આની સાથે તે વ્યક્તિને હાડકાને લગતી બીમારી થઈ શકે છે.
ઉપાય :
તમારે રોજે ઊગતા સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. સાંજના સમયે પીપલના મૂળમાં તમારે પાણી અર્પણ કરવું જોઈએ. તમારે ક્યારેય પણ તાંબાના વાસણમાં ભોજન ન કરવું જોઈએ. તમારે સૂર્ય મંત્રનો જપ કરવો જોઈએ તે મંત્ર ‘ॐ सुर्यपुत्राय नमः नमः છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,