અત્યારના સમયમાં વ્યક્તિનું જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે સંપૂર્ણ આરામ કરવા માટે આખા દિવસ દરમિયાન થોડો સમય પણ નથી હોતો. દિવસભર ચાલતા કામથી માણસમાં થાક અને માનસિક તાણની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં જ્યારે પણ મસાજનું નામ આવે, ત્યારે મનમાં માત્ર આરામના જ વિચાર આવે છે. ભારતમાં માલિશ કરવાની પરંપરા હજારો વર્ષ જૂની છે. જેને સામાન્ય રીતે મસાજ તરીકે ઓળખવામાં આવે છે. જો કે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ મસાજને ખૂબ મહત્વ આપવામાં આવે છે.
સામાન્ય રીતે, માલિશને મસાજ પણ કહેવામાં આવે છે. જેમાં શરીરના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરીને મસાજ કરવામાં આવે છે. પરંતુ જ્યારે થાઇ મસાજની વાત આવે, ત્યારે તે સામાન્ય મસાજ અથવા તેલની મસાજથી તદ્દન અલગ છે. થાઇ મસાજમાં સામાન્ય રીતે શરીરના સ્નાયુઓ પર ભાર આપીને હાડકાને આરામ આપવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. થાઇ મસાજમાં એક્યુપ્રેશરની સહાયથી શરીરના પ્રેશર પોઇન્ટ્સ પર કામ કરવામાં આવે છે. થાઈ મસાજ કરાવવાથી માંસપેશીઓ મજબૂત બને છે અને સાથે શરીરમાં થતી પીડામાં તાત્કાલિક રાહત પણ મળે છે. થાઈ મસાજ અન્ય મસાજ કરતા શરીરને સૌથી વધુ આરામ આપે છે.
થાઇ મસાજ કરવાના ફાયદા
જો તમે મોટાભાગે બેસીને કામ કરો છો, તો તમારે પીડાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને શરીરમાં સોજોની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં થાકમાંથી મુક્તિ મેળવવા માટે થાઈ મસાજ શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. થાઇ મસાજ એ મસાજનું પરંપરાગત સ્વરૂપ છે જેમાં નીચે સુવડાવીને સ્નાયુઓ પર દબાણ કરવામાં આવે છે. આ માટે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. થાઇ મસાજમાં વ્યક્તિને તેની પીઠ પર સૂવું પડે છે અને મસાજ થેરાપિસ્ટ પીઠથી લઈને થાઈ સુધી સ્નાયુઓ પર દબાણ કરે છે.
આધાશીશી જેવા પીડામાં અસરકારક
મસાજ કરવાથી શરીરમાં નવી શક્તિ આવે છે અને બધા અવયવોમાં લોહીનો પ્રવાહ પણ યોગ્ય રીતે થાય છે. આને કારણે માલિશ કરવાથી માથાનો દુખાવો અને આધાશીશી જેવી ગંભીર સમસ્યામાં પણ રાહત મળે છે. જો તમને પીડામાંથી છૂટકારો મેળવવા માટે પેઈન કિલર લો છો, તો આ આદત આજથી જ છોડો અને 15 દિવસમાં એકવાર જરૂરથી મસાજ કરવો.
ઘૂંટણની પીડા અથવા સંધિવાથી રાહત
વૃદ્ધાવસ્થા સાથે ઘૂંટણની સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. માલિશ કરવાથી સંધિવાની સમસ્યાથી રાહત મળી શકે છે. આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સંધિવાની પીડાને દૂર કરવા માટે દરરોજ માલિશ કરવાની જરૂર રહેશે. આ સિવાય થાઇ મસાજ દ્વારા પણ શરીરમાં સાંધાના દુખાવાથી રાહત મળે છે.
સોજાની સમસ્યા દૂર થશે
થાઇ મસાજની મદદથી આપણે પગ અને શરીરના અન્ય ભાગોમાં થતી સોજાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકીએ છીએ. થાઈ મસાજ દ્વારા જ્યાં સોજા હોય તે જગ્યા પર દબાણ આવે છે અને ટૂંક સમયમાં જ આપણને ઘણી રાહત મળે છે.
પીઠના દુખાવામાં રાહત મળશે
કરોડરજ્જુ એ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તે આખા શરીરમાં ઉર્જા અને શરીરના આકારમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખરેખર કરોડરજ્જુ પર સૌથી ખરાબ અસર દરરોજ ઓફિસમાં બેસીને કલાકો સુધી કામ કરવાથી થાય છે. મોટેભાગે લોકો કરોડરજ્જુમાં થતી પીડાને અવગણે છે અને ભવિષ્યમાં તેમને ઘણી ગંભીર રોગોનો સામનો કરવો પડે છે, આવા લોકો ભવિષ્યમાં પોતાની રીતે ચાલવા. ઉઠવા અને બેસવા પર લાચાર બને છે. થાઇ મસાજ કરોડરજ્જુની સમસ્યાઓથી પણ રાહત આપે છે. થાઈ મસાજ તાણને દૂર કરે છે, સાથે પીડા અને જક્ડતા જેવી સમસ્યા પણ દૂર કરે છે.
શક્તિ મળે છે
થાઇ મસાજ તેલ માલિશથી તદ્દન અલગ છે. કારણ કે, મસાજ થેરાપિસ્ટ વિવિધ ખેંચાણ અને યોગાસન દ્વારા શરીરના અલગ-અલગ પ્રેશર પોઇન્ટ પર મસાજ કરે છે. જે શરીરને નવી શક્તિ આપે છે. થાઇ મસાજ કરાવવાથી માનસિક શાંતિ મળે છે, સ્નાયુઓને આરામ મળે છે, બ્લડ સુગર લેવલ કંટ્રોલ થાય છે અને તે સાથે શરીરને નવી શક્તિ મળે છે. એટલે કે થાઇ મસાજથી એક અથવા બે નહીં, પરંતુ ઘણા ફાયદા થાય છે. તેથી જ થાઇ મસાજને સામાન્ય મસાજ કરતા વધુ અસરકારક માનવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ