મિત્રો, આપણા ઘરગથ્થુ નુસખાઓ અને ઉપાયોમા એવા અનેકવિધ લાભ છુપાયેલા હોય છે, જેને અપનાવી લેવાથી અનેકવિધ લાભ પ્રાપ્ત થઇ શકે છે. આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનાથી તમે અનેકવિધ પ્રકારની સમસ્યાઓમાથી મુક્તિ મેળવી શકો છો. જેમા દર્દથી લઈને તણાવ જેવી તકલીફોમા રાહત મેળવી શકાય છે.
શું તમને ખ્યાલ છે કે, સિંધાલૂણ નમકમા પ્રાકૃતિક પેઈન કિલરના ગુણતત્વો સમાવિષ્ટ છે? જો તમે આ પાણીમા નમક મિક્સ કરીને સ્નાન કરો તો તેનાથી શરીરનો દુ:ખાવો દૂર થાય છે. તમે અઠવાડિયામા બે-ત્રણ વાર આ ઉપાય અજમાવી શકો છો. આ સિવાય તમે તમારા પાણીમા થોડુ સિંધાલૂણ નમક ઉમેરી મિક્સ કરીને અડધો કલાક સુધી પગ પાણીમા ડુબાડીને તમારા થાક, તણાવ અને દુ:ખાવાને દૂર કરી શકો છો.
બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે :
આ ઉપાય અજમાવવાથી નમકમા સમાવિષ્ટ મિનરલ્સ માંસપેશીઓના દુ:ખાવાને દૂર કરે છે તથા તમારુ બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે છે. જેનાથી તમારુ બ્લડપ્રેશર નિયંત્રણમા રહે છે. જો તમે ભોજનમા સિંધાલૂણનો ઉપયોગ કરશો તો કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહે છે અને હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ થતી નથી.
તણાવ દૂર થાય :
આ ઉપાય અજમાવવાથી તમારા શરીરમા મેલાટોનિન અને સેરોટોનિન હોર્મોન્સ નિયંત્રણમા રહે છે અને મગજમા આવતો તણાવ પણ દૂર રહે છે.
સ્કિન માટે લાભદાયી :
જો તમે તમારી ત્વચાને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા ઈચ્છો છો તો નમકવાળા પાણીમા તમારા પગ ડુબાડીને રાખો. આનાથી પગની ડેડ સ્કિન દૂર થઇ થશે અને સ્કિનનું મોઈશ્ચર પણ જળવાઈ રહેશે.
હાડકા મજબૂત બનશે :
જો તમારા શરીર અને ઘૂંટણમા વધારે પડતો દુ:ખાવો રહેતો હોય તો આ ઉપાય તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે. અઠવાડિયામા બે-ત્રણ વાર આ ઉપાય નિયમિત અજમાવવાથી તમને જાતે જ ફરક દેખાશે. આ ઉપાય અજમાવવાથી તમને તુરંત દુ:ખાવામા રાહત મળશે. આ સાથે જ સિંધાલૂણમા સમાવિષ્ટ મેગ્નેશિયમ અને કેલ્શિયમ એ તમારા હાડકાની નબળાઈને દૂર કરે છે અને પગમા આવતા સોજાને દૂર કરવા માટે પણ લાભકારી સાબિત થાય છે.
અનિદ્રાની સમસ્યા દૂર થશે :
જો તમને રાત્રીના સમયે ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય તો આ ઉપાય તમારા માટે એકદમ શ્રેષ્ઠ રહેશે. તમે રાત્રે સૂતા પહેલા પણ આ ઉપાય અજમાવી શકો છો. આનાથી તમારુ માઈન્ડ એકદમ તણાવમુક્ત થશે અને તમને રાતે ખુબ જ સારી ઉંઘ આવશે. એકવાર આ ઉપાયને અચૂક અજમાવો અને પછી જુઓ ફરક.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ