તાજેતરમાં જ અહીં જેન્તીલાલ ડોટ કોમના જાણવા જેવું વિભાગના એક આર્ટિકલમાં અમે આપને ઇંગ્લેન્ડના એક ખતરનાક છોડ વિષે જણાવ્યું હતું જેને સ્પર્શ માત્ર કરવાથી પણ માણસ માટે જીવનું જોખમ ઉભું થાય છે.
” હેરકિલમ મેંટાગેજિએનમ ” એવું વૈજ્ઞાનિક નામ ધરાવતો એ છોડ સાપ કરતા પણ વધુ ખતારનાક માનવામાં છે। પરંતુ એ સિવાય પણ એવી અનેક વનસ્પતિ છે જે માણસ માટે ઘાતક સાબિત થઇ શકે છે. આવી જ વધુ એક જોખમી વનસ્પતિના છોડ વિષે જાણીએ.
રીકીન્સ કોમુનિસ નામક આ છોડ પણ ખતરનાક વનસ્પતિ પૈકી એક છે. આ એ જ છોડ છે કે જેના બીજમાંથી કસ્ટર ઓયલ એટલે કે એરંડિયાનું તેલ કાઢવામાં આવે છે. આ છોડનું વૈજ્ઞાનિક નામ રાઈસીન છે.
તેના બીજમાંથી એરંડિયાનું તેલ કાઢી લીધા બાદ પણ તે બીજમાં ઘણું કહી શકાય તેટલી માત્રામાં ટોક્સિન હોય છે.
આપણા શરીરમાં રહેલી મેટાબોલિઝ્મની કોશિકાઓ આવેલી હોય છે જે જીવન જીવવા માટે અનિવાર્ય ગણી શકાય રાઈસીન આ કોશિકાઓને નષ્ટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે જેથી શરૂઆતમાં ઝાડા ઉલ્ટી અને એક અઠવાડિયાની અંદર શરીરના પ્રભાવિત અંગો કામ કરવાનું બંધ કરી દે છે.
ત્યાં સુધી કે માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. માટે આ છોડને વિશ્વના સૌથી ખતરનાક વનસ્પતિઓ પૈકી એક ગણવામાં આવે છે.
કદાચ તમને પ્રશ્ન થાય કે જો આ વનસ્પતિ એટલે કે રીકીન્સ આટલા ઘાતક હોય તો આપણે ત્યાં ગુજરાતમાં તો આની ખેતી પણ કરવામાં આવે છે એ શા માટે ? તો તેનો જવાબ પણ હાજર છે.
વિષેશજ્ઞના મંતવ્ય મુજબ કોઈ પણ વનસ્પતિ ઝેરીલી હોવી અને હાનિકારક હોવી એ બંનેમાં અંતર છે. તમે થોડું ઘણું પૃથ્થકરણ કરી એ સરળતાથી જાણી શકો છો કે કઈ વનસ્પતિ ઝેરીલી છે અને તેમાં ક્યાં પ્રકારનું ટોક્સિન છે અને તેનાથી આપણને શું નુકશાન થઇ શકે ?
પણ જો તમે તેનું સેવન કરશો ત્યારે જ તે જીવલેણ કે નુકશાનકારક સાબિત થશે. એરંડિયાના બીજ માણસના શરીરમાં પચી શકતા નથી જો તેને ગળી જવામાં આવે તો તે વધુ કઈં નુકશાન કર્યા વિના મળ સાથે બહાર નીકળી જાય છે.
પરંતુ જો તમે એક સાથે પાંચ એરંડિયાના બીજ ચાવી જશો અને તે પેટમાં પહોંચી જશે તો તે ઘાતક સાબિત થઇ શકે. નાના બાળકોને તો એક ચાવેલું બીજ પણ જીવલેણ નીવડી શકે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ