આજે જાણી લો તમે પણ પીપળાના છોડ ઘરમાં ઉગી નિકળે તો એ શુભ માનવામાં આવે કે અશુભ

આપે કેટલીક વાર જોયું હશે કે, આપણા ઘરની આસપાસ કે પછી દીવારો પર પણ કેટલીક વાર પીપળાનો છોડ ઉગી નીકળે છે. જો કે, ઝાડ- છોડ આપણા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ હોય છે. ઝાડ- છોડ ના ફક્ત આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ઉપરાંત આ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ જાળવી રાખવામાં મદદ કરે છે.

image source

આપની જાણકારી માટે જણાવી દઈએ કે, વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઝાડ- છોડના શુભ પ્રભાવથી આપણા ઘરમાં સુખ- સમૃદ્ધિનો સમાવેશ હંમેશા જળવાઈ રહે છે.

image source

પરંતુ કેટલાક ઝાડ- છોડ એવા પણ હોય છે જેઓ જાતે જ ક્યાંય પણ ઉગી નીકળે છે અને નકારાત્મક ઉર્જાને જન્મ આપે છે આવો જ એક છોડ છે પીપળાનો.

image source

આપની જાણકારી માટે જણાવી દઈએ કે, પીપળાના છોડને ઘરમાં રાખવાથી અશોકતાનો સંચાર થાય છે. આ તો આપણે બધા જાણીએ છીએ કે, પીપળાના ઝાડનો છાયડો શીતળતા પ્રદાન કરે છે. પરંતુ હકીકત આ પણ છે કે, પીપળાના છોડને ઘરમાં રાખવાથી નિર્ધનતા ઉત્પન્ન થાય છે. એટલું જ નહી, પરિવારના સભ્યો ક્યારેય પ્રગતિ કરી શકતા નથી અને આ સાથે જ વિવાહિત જીવનમાં પણ કલેશ ઉત્પન્ન કરી શકે છે. આપને જણાવીએ કે, એવું સ્થાન હંમેશા નિર્જન જ રહે છે.

શું કરશો જયારે ઘરમાં પીપળાનો છોડ ઉગી નીકળે?

image source

જો ભૂલથી પણ આપના ઘરમાં પીપળાનો છોડ ઉગી નીકળે છે તો તેને બિલકુલ પણ કાપવો નહી. કેમ કે, આમ કરવાથી આપના પિતૃઓને કષ્ટ થઈ શકે છે તથા વંશ વૃદ્ધિને હાનિ પણ થઈ શકે છે. જો કે, કોઈ વિશેષ પ્રયોજનથી વિધિવત નિયમાનુસાર પૂજન કરવું તથા યજ્ઞ વગેરે પવિત્ર કાર્યોના લક્ષ્યથી પીપળાની લાકડીને કાપવાથી દોષ લાગતો નથી. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે, પીપળાના ઝાડને જો કાપવું ખુબ જ જરૂરી થઈ જાય છે તો તેને રવિવારના દિવસે જ કાપવ ત્યાં જ ઘરની પૂર્વ દિશામાં આવેલ પીપળાના ઝાડ હોય તો એનાથી ઘરમાં ભય અને નિર્ધનતા આવે છે.

image source

આપને જણાવીએ કે, પૌરાણિક કથાઓમાં જણાવ્યા મુજબ પીપળાના ઝાડમાં બધા દેવતાઓનો વાસ હોય છે. કદાચ આ જ કારણે પીપળાને બ્રહ્મ કહીને સંબોધિત કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, થડમાં ભગવાન શિવ તથા અગ્રભાગમાં ભગવાન બ્રહ્મ દેવનો વાસ હોય છે. એટલું જ નહી, સનાતન ધર્મમાં પીપળાના વ્રુક્ષને દેવોના દેવ પણ કહેવામાં આવે છે. એટલા માટે આ ઝાડને પૂજનીય માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ