જો તમે આ સમયે પનીર ખાશો તો થશે એટલા બધા ફાયદા કે ના પૂછો વાત

જેમ તમે જાણો છો, મોટાભાગના લોકોને પનીર ખાવાનું ખૂબ જ ગમે છે. પનીર ખાવાથી આપણા શરીરમાં એવા ઘણા પોષક તત્વો મળે છે જેની આપણને ખૂબ જ જરૂર હોય છે. પનીરમાં યોગ્ય માત્રામાં પ્રોટીન અને ફેટ જોવા મળે છે. પનીર એ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટથી બનેલું દૂધનું ઉત્પાદન છે. ઘણા લોકો માટે એ મૂંઝવણ હોય છે કે પનીર ખાવાનું તેમના માટે કેટલું સારું રહેશે. પનીર ખાવાનો યોગ્ય સમય શું છે ? જ્યારે પણ આપણે પનીર ખાઈએ ત્યારે આ મૂંઝવણ હંમેશા આપણા મગજમાં રહે છે. તો ચાલો અમે તમને પનીર ખાવાનો યોગ્ય સમય અને તેનાથી થતા ફાયદા વિશે જણાવીશું.

પનીર ખાવાનો સમય

image source

તમે દિવસના કોઈપણ સમયે પનીર ખાઈ શકો છો. પરંતુ તમારે પનીર વધુ પ્રમાણમાં ન ખાવું જોઈએ. સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે તંદુરસ્ત નાસ્તો દિવસની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ, ત્યારે આપણું શરીર 8 થી 10 કલાક સુધી ઉપવાસ પર રહે છે. તેથી,સવારે ઉઠ્યા પછી શરીરને પોષણની જરૂર હોય છે. તેથી તમારો આખો દિવસ સવારના નાસ્તા પર નિર્ભર હોય છે. સવારના નાસ્તામાં ઘણા પોષક તત્વોથી ભરપુર આહાર ખાવાથી ચયાપચય વધે છે. આટલું જ નહીં સવારના નાસ્તાથી વજન પણ નિયંત્રિત થાય છે અને હાડકાં મજબૂત બને છે સ્વસ્થ નાસ્તો કરવાથી જલ્દી ભૂખ લગતી નથી. તેથી પનીર આના માટે સારો વિકલ્પ માનવામાં આવે છે. તમારે તમારા નાસ્તામાં પણ પનીર ખાવું જોઈએ.તમે રાત્રે સૂતા પહેલા 1 કલાક પહેલા પણ પનીર ખાઈ શકો છો.

પનીરથી ચરબી જમા નહીં થાય

image source

પનીર કસરત કરતા પહેલા અથવા તેના પછી તરત જ ક્યારેય ન ખાવા જોઈએ. પનીરની અંદર રહેલી ચરબી તમારા પાચનને ધીમું કરે છે. પનીરને મર્યાદામાં ખાવાથી તમારા શરીરમાં ચરબી જમા નહીં થાય અને તમે હંમેશાં ફીટ રહેશો.

પ્રોટીનની ઉણપ પૂરી કરે છે

image source

પનીર પ્રોટીનની ઉણપને દૂર કરે છે અને પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે પનીરનું પાણી પણ ખૂબ ફાયદાકારક છે. પરંતુ પનીરનું પાણી ફેંકી દેવું વધુ સારું રહેશે, કારણ કે આ પાણી ખાટું હોય છે, તેથી આ પાણી પીવાથી તમને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

કાચા પનીરમાં ન્યુટ્રિશન જોવા મળે છે

image source

પનીર પ્રોટીનથી ભરપુર હોય છે. તેને સવારના નાસ્તામાં ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તે ધીરે ધીરે પચી જાય છે.આ ઉપરાંત, GLP-1, PYY અને CCK હોર્મોન્સમાં વધારો કરે છે. પ્રોટીન ઉપરાંત પનીરમાં ચરબી, આયરન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

આખો દિવસ તમે એક્ટિવ રહો છો

image source

પનીર ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તે વજનને નિયંત્રણમાં રાખે છે અને દિવસભર તમને એક્ટિવ રાખે છે. દરરોજ નાસ્તામાં 150 થી 200 ગ્રામ પનીર ખાવું તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. દિવસની શરૂઆત કરવા માટે પનીર એ આરોગ્યપ્રદ વિકલ્પ છે.

કાર્બોહાઈડ્રેટ ઓછું

ગાયના દૂધના 100 ગ્રામ અને પનીરમાં 1.2 ગ્રામ કાર્બોહાઇડ્રેટ મળી આવે છે. વજન ઘટાડનારા લોકો માટે તે ફાયદાકારક છે. પનીરનું સેવન કરવાથી શરીરની ચરબી વધતી નથી. 28 ગ્રામ પનીરમાં લગભગ 82.5 કેલરી મળી આવે છે.

કેલ્શિયમથી ભરપૂર

image source

આપણા શરીરના દાંત અને હાડકાં મજબૂત રાખવા માટે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર હોય છે. પનીરમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં જોવા મળે છે. તે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

રોગો દૂર થાય છે

image source

ડાયાબિટીઝથી પીડિત લોકો માટે પનીર ફાયદાકારક છે. પનીરમાં ઉંચી માત્રામાં ઓમેગા 3 જોવા મળે છે જે બાળકોના માનસિક વિકાસ માટે સારું છે. આ સિવાય તે હાર્ટના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. પનીર બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ