કેન્સર એ એક ખતરનાક રોગ છે કે જેની પકડમાં જે વ્યક્તિ આવે તેમની હત્યા થઈ શકે છે. લોકો આ રોગનું નામ સાંભળતા જ હચમચી જાય છે કારણ કે આ રોગ પછી, બાકીનું જીવન નરક જેવું થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ રોગ એટલો ઝડપથી વધી રહ્યો છે કે જ્યારે લોકો તેની પકડમાં આવે છે ત્યારે તેઓ જાણતા પણ નથી હોતા અને જયારે તેઓને જાણ થાય છે ત્યારે કેન્સર છેલ્લા તબક્કે પહોંચે છે. ત્યારે આ આંચકો સહન કરવો એ અશક્ય બની જાય છે. પરંતુ આજે અમે તમને આ રોગ વિશે કેટલાક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, આ સંકેતો વિશે જાણીને તમે કેન્સર પ્રત્યે સજાગ રહેશો અને પ્રારંભિક તબક્કે જ તમને ખબર પડી જશે કે તમને કેન્સર થઈ ગયું છે.
– કેન્સરનું પ્રથમ લક્ષણ કોઈ પણ કારણ વગર રક્તસ્રાવ થાય છે.
– બીજી બાજુ, જો વ્યક્તિની આંતરડામાં હંમેશાં સમસ્યા રહે છે, એટલે કે, તમને ખોરાકને પચાવવામાં કોઈ સમસ્યા આવી રહી છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. તે કોલેન અથવા કોલોરેક્ટલ કેન્સર હોવાનું સૂચવવામાં આવે છે.
– જો કોઈ વ્યક્તિને રાત્રે સૂતી વખતે વધુ પરસેવો આવે છે, તો સમજી લો કે આ શરીરમાં પ્રતિક્રિયાની નિશાની છે. એટલે કે, તમારે જલદીથી ડોક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
– ક્યારેક કોઈ પીડા અથવા દુખાવો થવો સામાન્ય છે, પરંતુ સમાન પીડા દરરોજ થવી એ કોલોરેક્ટલ અથવા પ્રોસ્ટેટ કેન્સરનું લક્ષણ હોય શકે છે.
– કેન્સરનું પ્રારંભિક લક્ષણ કોઈ પણ કારણ વિના અતિશય થાક અથવા અચાનક વજનમાં ઘટાડો છે.
– તલ જેવા નિશાનો હોવા, એ જરૂરી નથી કે તલ જ હોય. જો તમારા શરીરમાં પણ આવા નિશાનો દેખાય તો એકવાર ડોક્ટરને મળીને આ નિશાનો વિશે ખાતરી કરી લો. જો ત્વચા પર આવા ડાઘ હોય તો તે કેન્સરની નિશાની હોય શકે છે.
કેન્સરની સમસ્યા દૂર કરવા અથવા તેનાથી બચવા માટે તમારે તમારા આહારમાં આ ચીજોનો સમાવેશ કરવો જ જોઈએ.
લીલા શાકભાજી
તમારે લીલા પાંદડાવાળા શાકભાજી નિયમિતપણે ખાવા જોઈએ. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફોલિએટ અને વિટામિન બી હોય છે. તે કેન્સરથી થતાં નુકસાન સામે લડવાની સારવારમાં ખૂબ અસરકારક છે. આ ઉપરાંત લીલા શાકભાજીમાં ખૂબ કેલ્શિયમ હોય છે, જે તમારા શરીર અને હાડકાને મજબૂત બનાવે છે. ડોકટરો તમને નિયમિતપણે લીલી શાકભાજી ખાવાની પણ સલાહ આપે છે. એ એટલા માટે છે કે કેન્સર જેવા રોગો સામે લડવા માટે તમારા શરીરને લીલી શાકભાજી દ્વારા સરળતાથી વિટામિનો મળે છે જે તમને બીમારીઓથી પણ દૂર રાખે છે.
ફળ
તમારે તમારા રોજિંદા આહારમાં જેટલા જરૂરી લીલા શાકભાજી છે તેટલું જ મહત્વ તમારી શરીરને રોગમુક્ત કરવા માટે ફળોનું પણ છે, જે તમને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે. તમારે તમારા આહારમાં ફળોનો સમાવેશ કરવો જ જોઇએ. તમારે વધારેમાં વધારે નારંગીનું સેવન કરવું જોઈએ, તેમાં વિટામિન સીનું પ્રમાણ ઘણું હોય છે જે તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. તેથી વિટામિન્સ અને ફાઇબર માટે તમારે કેળા, કિવિ, આલુ, કેરી, પેરુ અને સ્ટ્રોબેરી જેવા ફળો ખાવા જોઈએ. લાંબા સમય સુધી તમારી જાતને સક્રિય રાખવા માટે, તમારે એવોકાડો, જામફળ, જરદાળુ, અંજીર અને કિસમિસ પણ ખાવા જોઈએ. જેથી તમારું શરીર રોગમુક્ત રહે અથવા જો તમે કેન્સર જેવી બીમારીથી પીડિત છો, તો તેની સારવારમાં તમને મદદ મળે.
પ્રોટીન આહાર
તમારા શરીરને મજબૂત રાખવા માટે કેટલાક પોષણ ખૂબ મહત્વના છે, તેથી તમારા માટે પ્રોટીન યુક્ત આહાર લેવો એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તમારા આહારમાં પુષ્કળ પ્રોટીન શામેલ કરવું જોઈએ અને પ્રોટીનયુક્ત આહાર જરૂર લેવો જોઈએ.આ માટે,તમારે તમારા આહારમાં ડેરી ઉત્પાદનો, બદામ, સૂકા કઠોળ, દાળ અને ચણાનો સમાવેશ કરવો જોઈએ. જેથી તમને તમારા શરીરમાં પૂરતું પોષણ મળે અને તમે પુરી રીતે સ્વસ્થ રહો.
કાર્બોહાઇડ્રેટ
કાર્બોહાઇડ્રેટ તમારા શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ બને છે, તેથી તમારે કાર્બોહાઇડ્રેટેડ આહાર લેવો જોઈએ. આ માટે તમારે તમારા આહારમાં ચોખા, નૂડલ્સ, રોટલી, પુરી પાસ્તા, બટેટા, કઠોળ, ડેરી ઉત્પાદનો અને મધનો સમાવેશ કરવો જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ