વાળ ખરવાની સમસ્યા અત્યારે મોટાભાગના લોકોમાં જોવા મળે છે તે ખૂબ સામાન્ય બની ગઈ છે. દરેક છોકરીની ઈચ્છા હોય છે કે તેના વાળ કાળા, લાંબા અને સુંદર દેખાય. પરંતુ આજના ખોટી ખાણી પીણી અને પ્રદૂષણના કારણે શક્ય નથી. તેના માટે તે ઘણા કીમતી પ્રસાધનોનો ઉપયોગ પણ કરે છે તેના માટે તે પાર્લરમાં જાય છે અને ઘણા પૈસા ખર્ચ કરે છે. તેનાથી થોડા સમય માટે તેના વાળ થોડા સારા દેખાવા લાગે છે.
પરંતુ થોડા સમય પછી આપના વાળ પહેલા કરતાં વધારે ખરાબ લાગે છે. તેમાં કેમિકલ હોવાથી તે આપના વાળને નુકશાન કરે છે. તેના માટે તમારે ઘરેલુ ઉપાય કરવા જોઈએ. તેનાથી આપના વાળ સારા પણ થશે અને તેની કોઈ આડઅસર પણ નહીં થાય. તેના માટે તમારે ડુંગળી માથી બનેલ લેપ લગાવવો જોઈએ.
તેનાથી આપણા વાળ કાળા, લાંબા અને ભરાવદાર દેખાશે. આનો રસ આપના વાળને ચમકીલા બનાવે છે. આજે આપણે આના પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ. તેને આપણે ઘણા સમય માટે સંગ્રહ પણ કરી શકીએ છીએ. તેનાથી વાળને લગતી બધી સમસ્યા દૂર થશે.
ડુંગળીનો પાઉડર કેવી રીતે બનાવવો?
તેના માટે તમારે સૌથી પહેલા ડુંગળી ધોઈ લેવી અને તેને લાંબા અને પાતળા ટુકડા કરી લેવા જોઈએ. તેને તમારે થોડા દિવસ માટે તડકામાં સૂકવી રાખવા જોઈએ જ્યારે તે સાવ સુકાય જાય ત્યારે તેમારે તેને મિકસરની મદદથી તેને પીસી લેવો અને તેનો જીણો પાઉડર બનાવી લેવો જોઈએ. આનો પાઉડરને તમારે એરટાઈટ ડબ્બામાં ભરી લેવો તે પાઉડર તમને ઘણી રીતે ઉપયોગમાં આવી શકે છે.
આ પાઉડર સાથે દહી :
તમારા વાળ સૂકા અને બેજાન હોય ત્યારે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તેનાથી તમને ઘણા લાભ મળી શકે છે. તેના માટે તમારે પહેલા એક વાસણમાં ૫ ચમચી આ પાઉડર લેવો અને તેમાં બે ચમચી જેટલી દહી ભેળવી લેવું તેનાથી તમારે સારી રીતે ભેળવીને વાળમાં લગાવવું તેને તમારે માથાના ટાળવામાં અને બધા વાળમાં સારી રીતે લગાવવું. તેને તમારે ૩૦ થી ૪૦ મિનિટ માટે રાખવું અને તે પછી તેને તમારે હલકા શેમ્પુથી ચોઈ લેવું જોઈએ. તમારે સારુ અને જલ્દી પરિણામ જોઈતું હોય તો તમારે આ લેપને અઠવાડિયામાં ચાર વાર તમારા વાળમાં લગાવો.
તેનાથી થતાં ફાયદાઓ :
ડુંગળી આપના વાળ માટે સૌથી લાભદાયી છે તે આપના વાળને ચમકીલા બનાવે છે અને તેની સાથે તેનો જથ્થો પણ વધારે છે. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ આપના વાળમાં રહેલા ખોડાને દૂર કરવામાં મદદ કરે છે અને વાળમાં રહેલો ખોડો હમેશા માટે દૂર કરે છે. તમારા વાળ નબળા પડી ગયા હશે અને તેનાથી તે વધારે તૂટવા લાગશે તો આ ઉપાય તમારા માટે ઉત્તમ છે તેનાથી વાળ ખરતા અને તૂટતાં નથી.
આનાથી આપણા વાળ મજબૂત બને છે. આ ઉપરાંત આપણે આ લેપમાં દહી નો ઉપયોગ કરીએ છીએ તે પણ આપના વાળ માટે ખૂબ સારું માનવામાં આવે છે તેનાથી આપના વાળમાં કુદરતી કંડિશનર કરી શકાય છે. આ ઉપાય કરવાથી આપના વાળને લગતી બધી સમસ્યા દૂર થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત