આજના સમયમાં પ્રદૂષણ અને ખવાપીવાની ખોટી આદતને કારણે મોટાભાગમાં લોકોને ત્વચાને લગતી ઘણી બીમારી થઈ રહી છે. આ સમસ્યા અત્યારે ખૂબ વધી રહી છે. તેમાં પણ મહિલાઓના શરીરના ઘણા અંગો કાળા પડી જાય છે તેનાથી તેની સુંદરતામાં ઘટાડો થાય છે. તેના શરીર પર કાળા ધબ્બા થવા લાગે છે તેને આપણે જલ્દી દૂર કરવા જોઈએ. તેના માટે આજેયાપને ઘણા ઉપાય વિષે જોઈશું તેનાથી આપના શરીરમાં રહેલા કાળા ધબ્બા દૂર થશે જાણીએ તેના વિષે.
તેના માટે તમારે ઘરમાં રહેલું જ કેટલીક વસ્તુનો ઉપયોગ કરવાનો રહેશે. તેના માટે તમારે સૌથી પહેલા મધ લેવાનું રહેશે તેના માટે બે ચમચી મધ લઈ તેમાં તમારે એક ચમચી લીંબુનો રસ ભેળવી લેવો. આને તમારે સારી રીતે ઘૂંટણ, કોણી અને અંડરઆર્મ્સ પર લગાવી દેવું જોઈએ. તેને તમારે ૨૦ મિનિટ માટે સુકાવા દેવું તે સુકાય જાય તે પછી તમારે તેને ભીના કોતન્ના કપડાથી તેને સાફ કરવું જોઈએ.
૧ ચમચી બેસન અને ૧ ચમચી હળદર લેવી અને તેમાં થોડું પાણી નાખીને તમારે તેનો લેપ બનાવવો જોઈએ તેને તમારે હાથ પગ પર લગાવો અને તેને થોડું વાર માટે રહેવા દો આને લગાવવાથી હાથ પગ પર રહેલ ગંદકી અને કાળાશ દૂર થશે અને આનાથી તેમાં નિખાર આવશે. ૨ ચમચી ટામેટાના રસને અને અડધી ચમચી મધ સાથે ભેળવીને તેને કાળાશ વાળી જગ્યાએ લગાવો તેને તમારે ૧૫ મિનિટ રાખી તેને ધોઈ લેવું આનાથી કાલાહસ દૂર થશે અને ગંદકી પણ દૂર થશે.
મસૂર દાળને પીસીને તેને છાસમાં ભેળવો અને તેને હાથ પગ પર લગાવો આનાથી ગંદકી દૂર થશે અને હાથ પગ નિખારવા લાગશે. તેમારે ૩ ચમચી બેસન, મધ, દૂધની મલાઈ અને ઑઈવ ઓઇલ લઈ તેને સારી રીતે ભેળવીને તેને કાળી પડી ગયેલી ત્વચા પર લગાવો. તેને ૧૫ મિનિટ રહેવા દેવું અને તે પછી ધોઈ લેવું આનાથી ત્વચા પર રહેલી કાળાશ દૂર થશે અને ત્વચા ગોરી થશે.
તમારે ૧ ચમચી બદામના તેલમાં અડધી ચમચી મલાઈ અને લીંબુનો રસ ભેળવી લેવો આને તમારે શરીરમાં કાળાશ વાળી જગ્યાએ લગાવો તે સુકાય પછી તેને ધોઈ લો. આ એક ટોનિકની જેમ કાર્ય કરે છે તેનાથી ત્વચા ચમકીલી બને છે. ઓટ્સમાં કાચું દૂધ ભેળવીને તેને લગાવો તેનાથી હાથ અને પગ પર ઘસવાથી મૃત ત્વચા નીકળી જાય છે અને કાળાશ પણ દૂર થશે.
અડધો ગ્લાસ ગાજરનો રસ ખાલી પેટે દિવસમાં સવાર અને સાંજ પીવાથી એક મહિનામાં તમારી ત્વચામાં નિખાર આવશે. તમારી ત્વચા કાળી પડી ગઈ હોય ત્યાં તમારે દહીને ઘસવું જોઈએ. તેનાથી ત્વચા સારી રીતે સાફ થાય છે. આને તમારે એક અઠવાડીયા માટે કરવાથી તમારી ત્વચામાં અંદથી નિખાર આવશે અને તમને ફેર જણાશે. આ ઉપાય કરવાથી તમારી ત્વચા પર રહેલી કાળાશ જલ્દી દૂર થશે અને તમારી ત્વચા નિખારવા લાગશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત