મિત્રો, નાક એ આપણા શરીરનુ એક ખૂબ જ અગત્યનુ અંગ છે કારણકે, નાક એ આપણા શરીરનુ એક એવુ અંગ છે કે, જેના દ્વારા આપણે શ્વાસ લઈ શકીએ છીએ. આ નાકના ભાગમા ગંદકી થવી એ એકદમ સામાન્ય વાત છે. મોટાભાગના લોકો આ નાકની ગંદકી સાફ કરવામા શરમ અનુભવતા હોય છે, જ્યારે અમુક લોકો તો દિવસભર બેસીને નાકમા આંગળી નાખીને તેને સાફ કર્યા રાખે છે.
જે લોકોને ખ્યાલ નથી તેમને જણાવી દઈએ કે, નાક એ આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામા એક ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે માટે, તેની અમુક સમયગાળાના અંતરે સાફ-સફાઈ થાય તે અત્યંત આવશ્યક છે. જો તમે નાકની યોગ્ય રીતે સાફ-સફાઈ ના કરો તો તમે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ જીવલેણ સમસ્યાઓથી પીડાઈ શકો છો, આજે આ લેખમા આપણે નાકની સફાઈ શા માટે કરવી જોઈએ? તેના વિશે માહિતી મેળવીશુ.
નાકમા એક પ્રકારનુ ચીકણુ પ્રવાહી સમાવિષ્ટ હોય છે, જે પવન અને ગરમીની અસરને કારણે એકદમ શુષ્ક અને સખત બને છે. જ્યારે આપણે નાકની અંદર આંગળી નાંખીને ફેરવવી છીએ ત્યારે નાકની આ ગંદકી સાફ થઈ જાય છે પરંતુ, તેની આંતરિક ત્વચા કે, જે નરમ અને નાજુક હોય છે ત્યા જખમ લાગી જાય છે અને આ સ્થાન એક પ્રકારનુ નાનુ એવુ છિદ્ર પણ બની જાય છે.
જ્યારે નાકમા રહેલુ ચીકણુ પ્રવાહી સુકાઈ જાય છે ત્યારે આપણુ મન નાકમા આંગળી ફરીથી નાખીને તેને સાફ કરવા ઈચ્છે છે. આ ક્રિયા થોડી વિચિત્ર છે અને જ્યારે આપણી આસપાસ કોઈ વ્યક્તિ બેઠેલુ હોય અને ત્યારે આ ક્રિયા આપણે અનુસરીએ તો તે જરાપણ યોગ્ય લાગતી નથી પરંતુ, તે આવશ્યક હોવાથી તેમા જરાપણ શરમ અનુભવવી નહિ.
બાળકો જ્યારે પોતાના વડીલોને આ ક્રિયા કરતા જુએ છે ત્યારે તે પણ તેમની આ ક્રિયાની નકલ કરવા લાગે છે અને બાળકો પણ હંમેશા તેમના નાકમા આંગળીઓ નાહેલા જોવા મળે છે. જે કોઈ વ્યક્તિની નાકની આંતરિક પટલ ખૂબ જ નાજુક હોય છે, તે લોકોના નાકમા આંગળીના ફક્ત સ્પર્શથી જ લોહી નીકળવાનુ શરૂ થઇ જતુ હોય છે.
ઘણા લોકો એવુ માને છે કે, નાકમા આંગળી નાખીને મેલ સાફ કરવાના કારણે હાથ ગંદા થઇ જતા હોય છે અને જો આપણે તે જ ગંદા હાથથી ભોજનનુ સેવન કરીશુ તો મેલ ભોજન દ્વારા તમારા શરીરમા પહોંચશે અને તમારા શરીરને હાની પણ પહોંચાડશે માટે હમેંશા આંગળીથી નાક સાફ કર્યા બાદ હાથની યોગ્ય રીતે સાફ-સફાઈ કરવી અને ત્યારબાદ જ ભોજનનુ સેવન કરવુ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત