હિંદુ ધર્મમાં પ્રકૃતિને સદૈવ દેવતા માનીને પૂજવામાં આવે છે. ઋગવેદથી લઈને પુરાણોમાં પણ આ છોડનું પૂજન થયા હોવાનો ઉલ્લેથ છે. વૈદિક અને જ્યોતિષની સાથે વાસ્તુ શાસ્ત્રમાં પણ અનેક છોડનો ઉલ્લેખ છે. તેને ઘરમાં લગાવવાથી આર્થિક તંગી દૂર થાય છે અને સાથે જ મુશ્કેલીઓમાંથી પણ ઝડપથી રાહત મળે છે. તો જાણો આ છોડ કઈ રીતે આર્થિક તંગીને દૂર કરવામાં મદદ કરે છે.
મયુરપંખી છોડ
આ છોડને મયુરપંખી છોડ કહેવાય છે. મોરના પંખની સમાન દેખાતા આ છોડમાં આશ્ચર્યજનક રીતે ધનના ભંડાર વધારવાની તાકાત છે. દેશના કેટલાક રાજ્યોમાં તેને વિદ્યાનો છોડ પણ કહેવામાં આવે છે. બાળકો પોતાની સ્કૂલની બુક્સમાં પણ તેને રાખે છે.માન્યતા છે કે તેને રાખવાથી સારી વિદ્યા આવે છે. વિદ્યાનો સંબંધ ધન સાથે હોય છે. એટલે કે આવનારા સમયમાં તે તમારા ધનનો માર્ગ ખૂલે છે.
આવી છે માન્યતા
મયુરપંખી છોડને વિશે માન્યતા છે કે આ દેશના મોટા અમીરોના ઘરના ગાર્ડનમાં લાગેલું છે. તેના કારણે તેઓ અમીર બને છે. માન્યતા જે પણ હોય પણ એ સત્ય છે કે આ છોડમાં ધનવાન બનાવવાની પર્યાપ્ત તાકાત છે. મયુરપંખી છોડ લગાવવાના કેટલાક નિયમો પણ છે. જેથી તેનો પૂર્ણ શુભ પ્રભાવ તમને મળી શકે છે.
વિદ્યાનો છોડ લગાવવાના છે ખાસ નિયમ પણ
મયુરપંખી છોડ હંમેશા જોડીમાં લગાવાવમાં આવે છે. એટલે કે તેના 2 છોડ એકસાથે લગાવવાથી તેનો પ્રભાવમ ળે છે.
મયુરપંખી છોડને ઘરના ગાર્ડનમાં કે ઈનડોર પ્લાન્ટના રૂપમાં ઘરની અંદર પણ લગાવી શકાય છે. આ સજાવટી છોડના રૂપમાં અનેક ઘરની શોભા વધારે છે.
મયુરપંખી છોડ જો ઘરની અંદર લગાવી રહ્યા છો તો એવી જગ્યાની પસંદગી કરો જ્યાં તેની પર પૂરતું સનલાઈટ આવે.
આ છોડને ઘરની બહાર લગાવી રહ્યા છો તો મુખ્ય પ્રવેશ દ્વારની બરોબર સામે લગાવો.
જે લોકોને રાહુની મહાદશા ચાલી રહી છે તેઓ જો આ છોડ ઘરમાં લગાવી લે છે તો તેમને પીડાથી જલ્દી રાહત મળે છે.
ઘરની આર્થિક સ્થિતિ સારી નથી કે પછી રૂપિયા ઘરમાં ટકતા નથી તો મયુરપંખી છોડ લગાવવાથી રાહત મળે છે.
કોઈ કારણ સર જો મયુરપંખી છોડ સૂકાઈ જાય છે તો તેને કાઢીને ફેંકી દો અને તરત જ નવો છોડ લગાવો.
વિદ્યાના છોડની સાથે ક્યારેય દીવો ન લગાવો. તેનાથી છોડ પર વિપરિત પ્રભાવ થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ