મિત્રો, કોરોના વાયરસ કે, જેને હાલ રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે, તે ફક્ત લોકોના શરીરને સંક્રમિત જ નથી કરી રહ્યુ પરંતુ, તે લગભગ લોકોના શરીરના દરેક ભાગમા કોઈ ને કોઈ તકલીફ કરાવી જ રહ્યું છે. ફેફસાને અસર કર્યા પછી લોંગ કોવિડના રૂપમાં બાકીના શરીરને નુકસાન પહોંચાડી રહેલ કોરોના હાલ લોકોના મગજ પણ પર હુમલો કરી રહ્યો છે. આપણા દેશમા હાલ કોવિડથી સાજા થતાં લોકોમાં મગજ અને ચેતા સંબંધિત અનેક બિમારીઓ સામે આવી રહી છે.
ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની સમસ્યા હાલ આપણા દેશમાં કોરોનાથી સાજા થયેલા મોટાભાગના દર્દીઓમાં સામે આવી રહી છે. વિશેષ બાબત એ છે કે, ઘણી વિકૃતિઓ એવા સામાન્ય લક્ષણો સાથે આવે છે કે, તેને ઓળખવું પણ મુશ્કેલ બની જાય છે કે, તે કોરોના પછી થયું કે પહેલા. માથાનો દુ:ખાવો પણ આમાંનુ એક છે. નિષ્ણાતો કહે છે કે, સામાન્ય એવો માથાનો દુ:ખાવો પણ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર હોય શકે છે.
ડો મંજરી ત્રિપાઠી, પ્રોફેસર, ન્યુરોલોજી વિભાગ, મેડિકલ સાયન્સ દિલ્હી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ (એઇમ્સ) દ્વારા મળેલી માહિતી મુજબ કોરોનાના આગમન બાદ, ન્યૂરોલોજીકલ સમસ્યા સૌથી પહેલા તો વિદેશમાં જોવા મળી હતી પરંતુ, હવે ધીમે-ધીમે આ સમસ્યા ભારતમાં પણ ઘણા લોકોમા જોવામા આવી રહી છે, જે અંગે વિશેષ નોંધ લેવી અત્યંત આવશ્યક છે.
બ્રેન ફોગના મામલા સૌથી વધુ :
ડો.મંજારી કહે છે કે, બ્રેન ફોગ અથવા મેમરી ફોગના કિસ્સાઓ હાલ સામે આવી રહ્યા છે. જેમાં દર્દીની યાદશક્તિ નબળી પડી જાય છે. તેને હિસાબ કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમાં, દર્દીના મગજના મુખ્ય કાર્યો જેમ કે વિચાર, સમજ અને યાદશક્તિ વિક્ષેપિત થાય છે.આની સાથે હળવા હુમલાની સમસ્યા પણ ઉભી થાય છે. આમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નથી તથા માનસિક થાક અને મૂંઝવણ યથાવત્ રહે છે. તે નિર્ણય લેવાની ક્ષમતાને પણ અસર કરે છે. ડોકટર કહે છે કે, આ ફરિયાદ ભારતમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં જોવા મળી રહી છે.
માથાનો દુ:ખાવો હળવાશમા ના લો, તે ડિસઓર્ડર હોય શકે છે :
ડો.ત્રિપાઠી કહે છે કે, જો તમે કોરોના થયા પછી સ્વસ્થ થયા છો અને તેમછતા તમને માથાનો દુખાવો છે અને તે સતત છે, તો તેને ફક્ત માથાનો દુખાવો ન માનો. સતત તીવ્ર માથાનો દુખાવો એ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર હોઈ શકે છે. આનો અર્થ એવો થાય છે કે, મગજ અથવા ચેતા પર કોરોનાની અસર પણ હોઈ શકે છે, જેના કારણે સતત માથાનો દુખાવો રહે છે.આવી સ્થિતિમા તેની તપાસની સાથે તેની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોના પછી માથાના દુઃખાવાના કિસ્સાઓ વિપુલ પ્રમાણમાં આવી રહ્યા છે.
કોવીડ દરમિયાન લકવાના દર્દીઓનું પ્રમાણ પણ વધ્યુ :
ડોક્ટર કહે છે કે, દિલ્હી એમ્સમાં પણ આવા ઘણા ગંભીર કેસ નોંધાયા હતા, જેમાં કોવિડ દરમિયાન જ દર્દીઓ લકવાગ્રસ્ત થયા હતા. તે જ સમયે, કેટલાક એવા હતા જે કોવિડમાંથી સ્વસ્થ થયા પછી લકવાગ્રસ્ત થઈ ગયા હતા. આ દરમિયાન, દર્દીઓની રક્ત નલિકાઓ કા તો અવરોધિત થઈ જાય છે અથવા વિસ્ફોટ થાય છે અથવા લોહી ગંઠાઈ જવાની સમસ્યા થાય છે, જેને વેન્યુસ સ્ટ્રોક પણ કહેવામાં આવે છે.
આ સમય દરમિયાન નસોમા લોહી એકઠું થાય છે, જે લકવા તરફ દોરી જાય છે. માટે જો તમે આવી કોઈ બીમારીના શિકાર ના બનવા ઈચ્છતા હોવ તો સાવચેતી રાખો અને કોવીડના નિયમોનું યોગ્ય રીતે પાલન કરો, ધન્યવાદ!
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong