મંગળસૂત્ર પહેરવાનો ક્યારે ના કરો ઇન્કાર, કારણકે…

મંગળસૂત્ર ધારણ કરવાના આ ફાયદા જાણશો, તો કદી નહીં કરો તેને પહેરવાનો ઇન્કાર… કદી વિચારી જોયું છે, શા માટે પરણિત સ્ત્રીઓ ગળામાં ધારણ કરે મંગળસૂત્ર? જાણો તેની પાછળનું કારણ, નિયમો અને તેનું મહત્વ….

મંગલસૂત્ર એ પરિણીત સ્ત્રી માટે તેના લગ્ન જીવનનું સૌથી મોટું પ્રતીક છે. તે ફક્ત કાળા મોતીની માળા નથી, તેને વૈવાહિક જીવનનો આધાર માનવામાં આવે છે જેને સ્ત્રીઓ લગ્ન બાદ તેમના ગળા પર પહેરે છે. ધાર્મિક માન્યતા અનુસાર મંગલસૂત્ર પહેરવાથી પતિની રક્ષા થાય છે અને પતિના જીવનમાં આવતા તમામ સંકટ દૂર કરવાની મદદે આવે છે. જ્યારે તે મહિલાઓ માટે સંરક્ષણની ઢાલ સમાન પણ બની રહે છે. મંગળસૂત્ર પહેરવાની સાથે અનેક કારણો રહેલાં છે. તેની અંદર ઘણી બાબતો જોડાયેલી છે તે દરેક વસ્તુ શુભ લક્ષણોથી સંબંધિત છે. આવો જાણીએ, મંગળસૂત્ર સાથે જોડાયેલ રસપ્રદ રહસ્યો. જેને જાણીને તેને પહેરવા પાછળનું કારણ ખ્યાલ આવી જશે.

image source

મંગળસૂત્ર પહેરવા પાછળ છે, ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો…

ધર્મ અને વિજ્ઞાન સાથે પણ જોડાયેલું છે મંગલસુત્ર પહેરવા પાછળનું કારણ. તેના સંબંધિત આ તથ્યો જાણીને આપણ પણ તેને નિયમિત પહેરવા પર સહમત થશો…

મંગલસુત્રને હંમેશાં ભારતીય સમાજમાં લગ્નનું પ્રતીક અને સુખી દાંપત્ય જીવનનીનિશાની માનવામાં આવે છે. તેથી, લગ્ન પછી, સુહાગિન સ્ત્રીઓ તેને ગળામાં આદરથી પહેરે છે. આ મંગલસૂત્ર પહેરવાનો આ નિયમ સદીઓથી પરંપરાગત રીતે ચાલે છે. ખરેખર તેની પાછળ મંગલસુત્રમાં હાજર ચમત્કારિક રીતે સમાયેલ ગુણવત્તા છે. ચાલો તેને વધુ વિગતવાર જાણીએ…

image source

મંગલસૂત્ર અશુભ શક્તિઓ સામે રક્ષણ આપે છે

હકીકતમાં, લગ્ન સમયે દરેકની નજર દુલ્હન પર પડે છે. આને કારણે, કન્યાની ઉપર જો કોઈની ખરાબ નજર પડી હોવાની સંભાવના છે. આ કારણોસર, કાલ શક્તિ એટલે કે અશુભ શક્તિ મંગલસુત્રમાં રહેલા કાળા મોતીથી દૂર રહે છે. એવું માનવામાં આવે છે કે આ તમામ અશુભ શક્તિની સામે મંગલસુત્ર રક્ષણ આપે છે. તેથી જ લગ્ન સમયે કન્યાને મંગળસૂત્ર પહેરવાની પ્રથા સદીઓથી ચાલી રહી છે. આ સિવાય માન્યતાઓ અનુસાર, તે પતિ ઉપર આવતી દુર્ઘટનાઓને પણ દૂર કરીને સંકટથી બચાવે છે.

image source

મંગલસુત્રથી સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ બાબતો જાણો…

આર્યુવેદ મુજબ સોનાથી બનેલા આ બે પેન્ડન્ટવાળા મંગલસૂત્રની સૌથી ફાયદાકારક ગુણવત્તા એ જાણવા જેવી છે કે તે તમારા હૃદયને ફીટ રાખે છે. કેમ કે તેને ગળામાં પહેરવાથી તે હ્રદય પાસે સોનાની ધાતુ અડે છે. તેને કારણે હ્રદય પર તેની સારી અસર પડે છે અને લોહીના બ્રહ્મણમાં પણ સુધારો થાય છે. આ સાથે, મંગલસૂત્રમાં ત્રણ ગાંઠ આવેલ છે, જે લગ્ન જીવનની ત્રણ મુખ્ય બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ ગાંઠ પત્નીના પતિની આજ્ઞાકારી કે પતિવ્રતા હોવાનું પ્રતીક બતાવે છે. બીજી ગાંઠ, માતાપિતા પ્રત્યેનો પ્રેમ બતાવે છે અને ત્રીજું ભગવાન પ્રત્યેનો આદર બતાવે છે.

image source

પતિ અને પત્નીના સ્નેહનું છે આ પ્રતીક

ચાલો અમે તમને જણાવી દઈએ કે મંગલસુત્રમાં સોનાના પેન્ડન્ટ્સને રાખવા પાછળ પણ પોતાનું આગવું મહત્વ છે. ખરેખર શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે સોનું પહેરવાથી શરીર શુદ્ધ થાય છે. આ સિવાય સ્નાન કરતી વખતે સોનાનો સ્પર્શ કરીને જે પાણી શરીર પર પડે છે તે પણ પાપોથી મુક્તિ મેળવી શકાય છે. તે સાથે, મંગલસુત્રમાં મોરની નિશાની બનાવવામાં આવે છે, જેને પતિ પ્રત્યેના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક અન્ય નિશાન પણ બનાવવામાં આવ્યા છે, જેને દુષ્ટ આંખો સામે રક્ષણ આપવા માટે માનવામાં આવે છે. એટલે કે જેમની પરણિત સ્ત્રીઓ ઉપર ખરાબ નજર હોય તેમની સામે મંગળસૂત્રમાં રહેલ નિશાનીઓ રક્ષા આપે છે.

image source

શાસ્ત્રોમાં મંગલસુત્ર વિશે કહેવામાં આવ્યું છે કે…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે સોનાની ધાતુ ગુરુના પ્રભાવ હેઠળ હોય છે. વધુ એક રસપ્રદ વાત એ પણ છે કે, વૈવાહિક જીવનમાં ગુરુ ગ્રહને સુખ, સંપત્તિ અને જ્ઞાનનું પરિબળ માનવામાં આવે છે. આ સિવાય કાળો રંગ શનિનું પ્રતીક માનવામાં આવે છે. બીજી બાજુ, શનિનો ગ્રહ પણ સ્થિરતા અને વફાદારીનું એક પરિબળ માનવામાં આવે છે. આમ, મંગળસૂત્ર ફક્ત ગુરુ અને શનિ વચ્ચેના સંપૂર્ણ સંબંધને કારણે વૈવાહિક જીવનમાં સુખ અને સ્થિરતા લાવવાનું એક પરિબળ માનવામાં આવે છે. લગ્ન જીવન ટકાવી રાખવા માટે અને દંપતી વચ્ચે સુમેળ સાધવાના એક બંધન તરીકે મંગળસૂત્રનું મહત્વ રહેલું છે.

image source

ધાર્મિક દ્રષ્ટિએ મંગળસૂત્ર છે, ખૂબ મંગળકારી…

મંગલસુત્રનો પીળો દોરો અને સોના અથવા પિત્તળ ગુરુનું પ્રતીક છે. સ્ત્રીઓનો ગુરુ તેને પહેરવાથી મજબૂત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગલસૂત્રનો પીળો ભાગ મા પાર્વતીનો છે અને કાળો ભાગ ભગવાન શિવનો છે. શિવની કૃપાથી સ્ત્રી અને તેના પતિ સુરક્ષિત રહે છે અને માતા પાર્વતીની કૃપાથી વિવાહિત જીવન સુખી રહે છે.

image source

આજકાલ આધુનિક ડિઝાઇન બદલાઈ ગઈ છે…

આજકાલ મંગલસુત્રની અનેક સુંદર ડિઝાઈન બજારમાં મળે છે પરંતુ પારંપરિક ડિઝાઈનમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. જો કે, આજે પણ, મૂળ મંગલસૂત્ર કાળા મોતીની માળા અને બે પેન્ડન્ટવાળી ડિઝાઇનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, આજે પણ આ બે પેન્ડન્ટવાળા મંગલસૂત્રો દક્ષિણ ભારતમાં પારંપરિક રીતે બનાવવામાં આવે છે. પરંતુ ત્યાં કાળા મોતીની માળાને બદલે મંગળસૂત્રને હળદરમાં બોળીને પીળા દોરામાં પરોવી દેવામાં આવે છે. આ રીતે તેની શુદ્ધિ કરીને પહેરવાથી તે ઉત્તમ રીતે અસર કરે છે, એવી સદીઓથી માન્યતા પ્રચલિત છે.

image source

આવી વિશેષ ડિઝાઈનનો પોતાનો ખાસ અર્થ અને કારણ છે…

ખરેખર, બે પેન્ડન્ટ સાથે સોનું અને કાળા મોતીની માળાથી બનેલા મંગળસૂત્રમાં તેના પોતાના ગુણો છે. અહીં, તમને જણાવી દઈએ કે તે રીતે બનેલા મંગળસૂત્રમાં ‘સત્વ-ગુણ’ સંકળાયેલ છે તેવું માનવામાં આવે છે. જે શિવની શક્તિનું સ્વરૂપ પણ દર્શાવે છે અને જેની શક્તિ હૃદયને સ્વસ્થ રાખે છે. આવા પેન્ડન્ટની ઓળખ એ છે કે તેના પર કોઈ ડિઝાઇન કોતરેલી હોતી નથી. કાળા મોતી ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓને તમારાથી દૂર રાખે છે.

image source

જો કે, વૈજ્ઞાનિક તથ્ય મુજબ, મંગલસૂત્ર રક્ત પરિભ્રમણમાં સુધારો કરવા સાથે શરીરના તાપમાનના દબાણને નિયંત્રણમાં રાખે છે. ધ્યાન રહે કે મંગલસૂત્રની લંબાઈ યોગ્ય હોય તેને ગળામાં પહેરતી વખતે તે છાતીની નીચેની તરફ શરીરને સ્પર્શે તે રીતે હોવું જોઈએ અને હ્રદયની નજીક જ રહેવું જોઈએ, કપડા ઉપર બહાર ન રાખવાને બદલે તેને શરીરની રાખવું જોઈએ.

હવે જાણો મંગળસૂત્ર પહેરવાના કયા નિયમો અને તેને ખરીદતી વખતે કેવી સાવચેતી રાખવી જોઈએ…

મંગલસુત્ર કાં તો જાતે ખરીદવું જોઈએ અથવા તમારા પતિ પાસેથી લેવું જોઈએ. મંગળસૂત્ર બીજા કોઈ તરફથી લેવું યોગ્ય નથી. મંગળસૂત્ર ભેટ સ્વરૂપે લેવું એ સારું શકન માનવામાં નથી આવતું. તેમ છતાં ઘણાં ગોયણી કરતી વખતે ખોટું મેટલનું મંગળસૂત્ર ભેટમાં આપે છે જેને ફેશન સ્વરૂપે પહેરી શકાય પરંતુ સાચું સોનાનું મંગળસૂત્ર પતિ તરફથી જ ખરીદાયેલું અને પોતાની પસંદનું જ લેવું જોઈએ.

image source

મંગલસુત્ર પહેરતા પહેલા તેને મા પાર્વતીને અર્પણ કરવું જોઈએ. ઘરના મંદિરે કે પછી કોઈ શિવ મંદિરે જઈને માતા પાર્વતીને ધરાવીને પછી જ પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંગલસુત્ર જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી તેને કાઢી નાખવું જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ