લગ્નજીવનમાં આવેલા અવરોધોને દૂર કરવા છે, તો જાણો આ ટોટકા.

લગ્નજીવનમાં આવેલા અવરોધોને દૂર કરવા છે તો આ ઉપાયો અજમાવો

તમે પ્રેમ સંબંધમાં હોવ કે લગ્ન સંબંધમાં હોવ તે સંબંધને ટકાવી રાખવાની જવાબદારી બન્ને પાત્રની સરખી હોય છે. એકબીજા પરનો વિશ્વાસ અને નિઃસ્વાર્થ પ્રેમ જ તમારા જીવનને સુખી બનાવી શકે છે. પણ બધી જગ્યાએ સ્થિતિ સમાન નથી હોતી કેટલાક લોકો કોઈ પણ કારણ વગર સુખી લગ્ન જીવન નથી પામી શકતા.

તેમના લગ્નમાં સતત અવરોધ આવ્યા કરે છે. આવા નિષ્ફળ સંબંધો પાછળ ક્યારેક મોટા કારણો જવાબદાર હોય છે તો ક્યારેક નાના તો ક્યારેક કોઈ જ કારણ જ નથી હોતું. આપણે જીવનને લગતાં અન્ય પ્રશ્નો માટે પણ જ્યોતિષ શાસ્ત્રનો સહારો લઈએ છીએ અને આ સમસ્યાના ઉકેલ પણ જ્યોતિષ શાસ્ત્રમાં રહેલા છે.

તો જાણીએ કેટલાક ટૂચકા જે તમારા લગ્નજીવનને સફળ બનાવી દેશે

લગ્ન જીવનના અવરોધો દૂર કરવા

  • દર સોમવારે શિવાલય જઈ શિવલિંગ પર કાળાતલ ભેળવેલા દૂધનો અભિષેક કરવો.
  • રોજ સવારે સૂર્યને તાંબાના લોટામાંથી જળ ચડાવવું અને સુર્યમંત્રનો જાપ કરવો
  • ગુરુવારે ઉપવાસ કરવો તેમજ પીળી વસ્તુઓનું દાન કરવું.

પ્રેમથી ભરપૂર લગ્નજીવન માટે

લગ્નમાં પ્રેમ લાવવા માટે દર બુધવારે કેળના પાનમાં પોતાન પતિનું નામ લખી ભગવાન વિષ્ણુને અર્પણ કરવું. આ ઉપરાંત બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ લાભ થાય છે.

લાલ કપડામાં ચંદનથી ત્રિકોણ દોરવો અને તેમાં પતિનું નામ લખવું. આ લાલ કપડાંને સાંચવીને વ્યવસ્થિત મુકી દેવું.

દર સોમવારે શિવલિંગ પર અભિષેક કરવો તેના માટે તાંબાના લોટામાં પાણી ઉપરાંત આખી હળદર અને ચોખા ઉમેરવા.

પંડિતની સલાહથી શુક્રના નંગવાળી વિંટી ધારણ કરવી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ