ઉત્તરાયણનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતમાં પતંગ ચઢાવવાનો રિવાજ છે. ક્યાંક સામૂહિક પતંગોત્સવ પણ યોજાય છે અને કેટલાક લોકો પોતાના ઘરોના ધાબા પર પતંગ ચઢાવે છે. ભારતમાં દર વર્ષએ આંતરરાષ્ટિરય પતંગોત્સવ પણ ઉજવાય છે. આ વર્ષે કોરોનાના કારણે તેને રદ્દ કરાયો છે. પણ શું તમે જાણો છો કે પતંગ કોણે બનાવી, પહેલી પતંગ કોણે અને ક્યાં ઉડાડી. નહીંને. તો આજે જાણો આ તમામ વાતો વિશે.
સૌથી પહેલાં કોણે ચઢાવી પતંગ, કેવી રીતે થી શરૂઆત
આમ તો પતંગના આવવાને લઈને કોઈ ખાસ ઈતિહાસ નથી પણ એવી માન્યતા છે કે પતંગ ઉડાડવાની ઘટનાને લઈને સૌથી પહેલાં લખાયેલા લેખ તીની જનરલ હાન હસિન, હાન રાજવંશના નામે છે. પણ પતંગના આવિષ્કારને લીને અનેક માન્યતા છે. માનવામાં આવે છે કે સૌથી પહેલાં પતંગ ચીનમાં બનાવાયો હતો અને શાનડોંગ જે પૂર્વી ચીનનો પ્રાંત હતો તે પતંગનું ઘર કહેવાય છે.
પૌરાણિક રીતે જાણવા મળ્યું છે કે એક ચીની ખેડૂત પોતાની ટોપી હવામાં ઉડતી બચાવવા માટે તેને એક દોરીથી બાંધીને રાખતો અને તેને પણ પતંગની શરૂઆત માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પહેલાના સમયમાં પતંગ બનાવવા માટે રેશમના કપડાનો ઉપયોગ થતો હતો. 5મી શતાબ્દી ઈસા પૂર્વમાં ચીન દાર્શનિક મોધી અને લૂ બાને પતંગની શોધ કરી હતી ત્યારે વાંસ કે રેશમમાંથી પતંગ બનાવાતા હતા. 549ના સમયથી કાગળના પતંગની શરૂઆત થઈ. તે સમયે તેને સંદેશો મોકલવા માટેના અભિયાન સ્વરૂપે પ્રચલિત કરાઈ હતી.
સૌ પહેલી ચીની પતંગ ફેલ્ટ કે ચપટી અને આયાતકરા થતી પછી તે પૌરાણિક રૂપ અને આંકડાથી સજાવવામાં આવી તેમાં સ્ટ્રિંગ્સ અન સીટીને પણ ફિટ કરાઈ જેથી તે ઉડે ત્યારે અવાજ આવતો.
ભારતમાં આ રીતે થઈ પતંગના તહેવારની શરૂઆત
મોટાભાગના લોકોનું માનવું છે કે ચીની યાત્રઈઓ ફા હીએન અને હીહ્યુનસ્તંગ પતંગને ભારતમાં લાવ્યા હતા. તે ટિશ્યૂ પેપર અને વાંસની મદદથી બનેલી હતી. ત્યારે દરેક પતંગોનો આકાર પણ એક જેવો હતો. પતંગ ઉડાવવું ઘણું લોકપ્રિય બન્યું છે. કેટલાક વિશેષ તહેવાર અને પતંગબાજીને લઈને પ્રતિયોગિતતા પણ યોજાય છે.
જયપુર, તેલંગાણા, ગુજરાત, પંજાબમાં ખાસ પતંગોત્સવ પણ ઉજવવામાં આવે છે. દરેક જગ્યાઓએ આ તારીખો અલગ અલગ રાખવામાં આવે છે. ખાસ કરીને આ પતંગોત્સવ જોવા માટે મલેશિયા, સિંગાપુર અને રશિયાથી પર્યટકો આવતા હોય છે. કુલ મળીને દેશ અને દુનિયામાં પતંગોત્સવ ધામધૂમથી ઉજવાય છે.