મિત્રો, કોરોના વાયરસની સમસ્યા સામે લડવા માટે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલ, સમગ્ર દેશમા કોરોનાવાયરસના વધતા જતા કેસોને કારણે અમુક જગ્યાઓએ લોકડાઉન પણ છે માટે આવનાર સમય પોષણયુક્ત વસ્તુઓનુ સેવન કરવુ અત્યંત આવશ્યક છે કારણકે, તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવશે અને તમારા શરીરને નીરોગી બનાવશે.
આજે આ લેખમા અમે તમને એક એવી સબ્જી વિશે જણાવવા જઇ રહ્યા છે, જે તમને અને તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવશે. આ સબ્જીમા અમુક એવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્યની તંદુરસ્તીને જાળવી રાખે છે તો ચાલો જાણીએ કઈ છે આ સબ્જી?
આજે અમે જે સબ્જી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે સરગવો. આ સબ્જી ખૂબ જ પૌષ્ટિક છે. તેમા પુષ્કળ માત્રામા પ્રોટીન, ફાઇબર અને કેલ્શિયમ જેવા આવશ્યક તત્વો સમાવિષ્ટ છે. આ સિવાય તેમા મલ્ટિવિટામિન અને એન્ટીઓકિસડન્ટ જેવા ગુણધર્મો પણ પુષ્કળ પ્રમાણમા જોવા મળે છે. સરગવાના પાંદડા એ પાલકના પાંદડા કરતા પણ વધુ પ્રમાણમા લોહતત્વ ધરાવતા હોય છે, જે તમારા શરીરને વધુ પડતુ શક્તિશાળી બનાવે છે અને તમારા શરીરમા થતી પીડાઓમા રાહત અપાવે છે.
આ સિવાય સરગવાના પર્ણોમા પુષ્કળ માત્રામા પ્રોટીન, વિટામિન, પોટેશિયમ, લોહતત્વ અને ઝીંક વગેરે સમાવિષ્ટ હોય છે, જે તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ બીમારીઓ સામે રાહત આપે છે. તેમા સમાવિષ્ટ ફાઈબરને કારણે તમને પેટ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓમા રાહત મળે છે.
આ સબ્જીનુ નિયમિત સેવન કરવાના કારણે તમને ક્યારેય કબજિયાતની ફરિયાદ થતી નથી. આ સબ્જી તમારા પેટને સાફ રાખે છે અને તમારા પેટને હળવુ બનાવે છે. આ સિવાય તે તમારા પેટમા એકત્રિત થતી ગંદકીને સાફ કરે છે, જેના કારણે કબજિયાત ક્યારેય શક્ય નથી બનતી.
આ સિવાય તે હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓમા પણ રાહત અપાવે છે. તે હૃદયની નસોમા સંગ્રહિત લોહીને પાતળુ કરે છે અને હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. આ સબ્જીમા પુષ્કળ માત્રામાં ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. આ સબ્જી ત્રણસો કરતા પણ વધુ બીમારીઓના નિદાન માટે અસરકારક સાબિત થાય છે.
તેમા ૯૨ પ્રકારના મલ્ટિવિટામિન ગુણધર્મો સમાવિષ્ટ છે તથા ૪૦ પ્રકારના એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો પણ સમાવિષ્ટ છે. આ સિવાય તેમા ૧૮ પ્રકારના એમિનો એસિડ પણ સમાવિષ્ટ છે. આ બધી જ વસ્તુઓ તમારા શરીરમા થતી તમામ શારીરિક અને માનસિક પીડાઓને દૂર કરવા માટે અસરકારક સાબિત થાય છે, માટે આ સબ્જીનો તમારા રોજીંદા ડાયટમા અવશ્યપણે સમાવેશ કરો અને જુઓ ફરક.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ