કહેવાય છે ને કે જ્યાં સુધી તમારી નોકરી છે ત્યાં સુધી તમે સુખી છો.પછી ભલેને તેમાં અનેક મુશ્કેલીઓ કેમ ન આવે. જો એક વખત તમારી નોકરી જાય છે તો પછી તમને ઈચ્છિત નોકરી મળવામાં ઘણો સમય લાગી જાય છે. અને જો તે ન મળે તો તમારે કોમ્પ્રોમાઈઝ સાથે અન્ય કોઈ નોકરી કરવી પડે છે. તો જાણો કે તમારી નોકરી છૂટા જાય છે અને તમે નવી નોકરીની શોધમાં છો તો તમારે શું કરવું કે જેથી તમને તમારી ઈચ્છિત નોકરી મળે.
અહીં ક્યાંય એવું કહેવાયું નથી કે આ ઉપાયો કરવાથી તમને મનપસંદ નોકરી મળે છે.પણ હા, આ ઉપાયો તમને મનપસંદ નોકરી મેળવવામાં તમારી મદદ અચૂક કરે છે.
આજકાલ કોરોના મહામારીએ બેરોજગારીનો રાફડો ફાડ્યો છે. આ સમયે નોકરી ન હોય તો સમાજમાં માન સન્મામન મળતું નથી અને સાથે ઘર પરિવારમાં પણ લોકો તમને સારી રીતે જોતા નથી. જો તમે પણ બેરોજગાર છો અને આવી સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમમારે નિરાશ થવાની જરૂર નથી. નોકરીના પ્રયાસની સાથે સતત આ ઉપાયો કરતા રહો તમને જરૂર સફળતા મળશે.
રોજ શિવલિંગ પર જળ ચઢાવો અને સાથે જ ચોખા પણ અર્પિત કરો.
ઘરેથી નીકળતા પહેલાં હનુમાન ચાલીસાનો પાઠ કરો.
બજરંગ બલિનો ઉડતો ફોટો ઘરમાં લગાવો.
એક લીંબુ લો અને તેની પર ચાર લવિંગ લગાવી લો. હં હનુમતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો અને આ લીંબુ ખિસ્સામાં સાથે રાખો.
સવારે 7 અનાજને એક સાથે મિક્સ કરીને ખાઓ.
ઈન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે રસ્તામાં ગાયને ગોળ ખવડાવતા જાઓ.
જુઓ તમારી મહેનત, લગનની સાથએ આ પ્રયાસો કરવાથી તમને કેવું તરત ફળ મળે છે. અને સાથે તમને ફરીથી સમાજમાં પહેલાં જેવું માન અને સત્કાર પણ મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ