આપણું પેટ યોગ્ય રીતે સાફ નથી થતું તો આખો દિવસ તકલીફમાં પસાર થાય છે.
આજકાલની જીવનશૈલી અને ખાનપાનમાં કબ્જની સમસ્યા સામાન્ય વાત થઈ ગઈ છે. કબ્જ હોય તો કઈપણ ખાધ વગર પણ પેટ ભારે લાગે છે. ક્યારેક પેટ ફૂલી જાય છે અને ગેસ પણ થવા લાગે છે. કબ્જની સમસ્યા છે તો દવાઓ વગર આપ ઘરેલુ ઉપાયોથી જ સમાધાન મેળવી શકો છો.
અમે આપને જણાવીશું ૫ સરળ ઉપાયો વિષે.
જો કબ્જ છે તો દસ ગ્રામ અજમો, દસ ગ્રામ ત્રિફળા અને દસ ગ્રામ સિંધવ મીઠું ભેળવી લેવું અને તેને પીસી લો અને તેનું ચૂર્ણ બનાવી લો રોજ આ ચૂર્ણને ત્રણ થી પાંચ ગ્રામના પ્રમાણમાં હુંફાળા પાણી સાથે લો. આપને જલ્દી જ આરામ મળશે.
રોજ સવારે ઉઠતાં જ એક સફરજન જરૂરથી ખાવું. સફરજન, સ્વાસ્થ્ય માટે સૌથી લાભકારક ફળ છે. રોજ એક સફરજન ખાવાથી આપ કેટલીક બીમારીઓથી બચાવી રાખશે અને આપનું પેટ પણ સાફ રહેશે. ખરેખર સફરજનમાં ફાઈબર હોય છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે.
જો આપ રોજ સવારે જીરું અને અજમાનું પાણી પીવો છો તો આપની જૂનામાં જૂની એસિડિટી અને કબ્જની સમસ્યા મૂળથી ખતમ કરી શકે છે. આ જ કારણ છે કે જીરું અને અજમાના પાણીને પેટ માટે ‘જાદુઇ પાણી’ પણ કહેવામાં આવે છે. એનાથી આપના શરીરનું મેટાબોલિઝમ વધે છે અને પાચનશક્તિ મજબૂત થાય છે.
આમલીમાં એંટીઓક્સિડેંટ મળી આવે છે, એટલે જ આપ કબ્જની સમસ્યામાં આમલી અને ગોળની ચટણી બનાવીને ખાવી જોઈએ. આમ કરવાથી આપનું પેટ સાફ રહેશે અને કબ્જની સમસ્યામાં પણ રાહત મળશે.
આપે ખાવાના સોડાને પાણીમાં ઘોળીને પી લેવું. આ ઈનોની જેમ કામ કરે છે. એનાથી આપનું પેટ સાફ થઈ જશે અને કબ્જની સમસ્યા પણ દૂર થઈ જશે. કબ્જની સમસ્યામાં ખાવાનો સોડા ખૂબ ફાયદાકારક હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ