મિત્રો, ડ્રેગનફ્રુટને સ્ટ્રોબેરી પિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળ બહારથી જેટલુ સખત હોય છે, તેટલુ જ તે અંદરથી મુલાયમ અને સ્વાદિષ્ટ હોય છે. તેના સેવનથી તમારા શરીરને પુષ્કળ માત્રામા પ્રોટીન મળી રહે છે અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બીમારીઓથી પણ મુક્તિ મેળવી શકો છો.
આ ફળના નિયમિત સેવનથી તમારા શરીરનુ કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહે છે અને તે શરીરની રોગપ્રતિકારક શક્તિનુ સંતુલન બનાવી રાખવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય આ ફળ તમારા બ્લડશુગરને પણ નિયંત્રિત કરી શકો છો અને સાથે-સાથે પાચનતંત્રને પણ સુધારે છે. આ સિવાય હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓમા રાહત મેળવવા માટે પણ આ ફળનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
આ ફળના સેવનથી અનેકવિધ પ્રકારની બીમારીઓ જેમકે, ડાયાબિટીસ, વાળ સાથે સંકળાયેલ બીમારીઓ, સ્કિન સાથે સંકળાયેલ બીમારીઓ, સ્નાયુઑ સાથે સંકળાયેલી સમસ્યાઓ વગેરેમાંથી મુક્તિ મેળવી શકો છો. આ ફળનુ નિયમિત સેવન તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત બનાવે છે.
આ ફળનુ નિયમિત સેવન તમને શુગરની સમસ્યા સામે પણ રક્ષણ આપે છે. તેમા સમાવિષ્ટ ફાઈબર એ તમારા બ્લડશુગર લેવલને સંતુલિત કરે છે તેમજ તમારા પાચનતંત્રને પણ મજબુત બનાવે છે. આ સિવાય ફ્રિ રેડિકલ્સની સમસ્યા અને કેન્સર જેવી સમસ્યાઓ સામે પણ રક્ષણ મેળવી શકો છો.
આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સિડેન્ટ સમાવિષ્ટ હોય છે, જે તમારી સ્કીન સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓને દૂર કરે છે.જો ચહેરા પર વધતી ઉમરને કારણે કરચલીઓ પડી હોય તો આ ફળને પીસીને તેણી પેસ્ટ તૈયાર કરીને તેને તમારા ચહેરા પર લગાવો અને તમારી સ્કીનને ફરી યંગ બનાવો.
આ ફળનુ નિયમિત સેવન કરવાથી વાળ સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. આ ફળમા અમુક એવા પ્રાકૃતિક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારી વાળની કાળાશને જાળવી રાખે છે તથા તમારા વાળને પણ મજબુત અને આકર્ષક બનાવે છે.
આ ફળમા પુષ્કળ માત્રામા ફાઇબર સમાવિષ્ટ હોય છે. જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમે પેટ સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. આ ફળનુ નિયમિત સેવન કરવાના કારણે તમને કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓ સામે પણ રક્ષણ મેળવી શકો છો. જો તમે ખૂબ જ જૂની કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આ ફળનુ સેવન તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
આ સિવાય આ ફળનુ નિયમિત સેવન કરવાના કારણે શરીરમા હિમોગ્લોબીનની માત્રા પણ જળવાઈ રહે છે. આ સિવાય તેની અંદર સમાવિષ્ટ એન્ટી-ઓક્સીડેન્ટ શરીરની અંદર રહેલા કેન્સરના કોષોને દૂર કરવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. આ ફળનુ સેવન શરીરની ઈમ્યુનસિસ્ટમને પણ મજબૂત બનાવે છે. તેમા સમાવિષ્ટ કેલ્શિયમ તમારા હાડકાને મજબૂત બનાવે છે. આમ, જો નિયમિત રૂપે આ ફળનુ સેવન કરવામાં આવે તો તેના કારણે શરીરને અનેકવિધ ફાયદા થઇ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત