લાલ કિતાબના ટોટકાથી હવે કોઈ અજાણ રહ્યુ નથી. આ ઉપાયો એટલા અસરકારક છે કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે તેને અજમાવ્યા નહીં હોય. લાલ કિતાબ એવો ખજાનો છે જેમાંથી દરેક સમસ્યા માટેના ખાસ ઉપાયો મળી રહે છે. જો તમે ગ્રહોની દશાના કારણે પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે આ ઉપાયો અજમાવી લેવા જરૂરી છે અને તેનાથી તમને ખાસ રાહત મળી શકે છે. તો જાણી લો કયા ખાસ ઉપાયોથી કઈ મુશ્કેલીમાં અને ઝડપથી રાહત મળી શકે છે.
આ રીતે કરશો લાલ કિતાબના ઉપાય તો ઝડપથી તમને સફળતા મળી શકે છે. લાલ કિતાબના ઉપાયો અજમાવતા પહેલાં તમને તમારી કુંડળીના ગ્રહો અને તેની દશાનો પણ ખ્યાલ હોવો જરૂરી છે.જો તમે યોગ્ય જ્ઞાન સાથે આ લાલ કિતાબના ઉપાય કરો છો તો જ તમને સારું પરિણામ મળશે.
સૂર્ય
જો તમે સૂર્યના પ્રભાવથી પીડાઈ રહ્યા છો તો તમારે લાલ કિતાબમાં આપેલો આ ઉપાય અજમાવી લો. આ ઉપાય ખૂબ જ સરળ છે. તેના માટે તમારે વહેતા પાણીમાં ગોળ કે તાંબાનો સિક્કો વહેતો કરી દેવાનો છે. તેની અસર તમને ટૂંકસમયમાં જોવા મળશે.
શુક્ર
જુવાર, ચરી, ઘી, કપૂર, દહીં વગેરે ચીજોનું દાન કરવાથી પણ શુક્રના પ્રભાવને ઘટાડી શકાય છે. આ સિવાય પણ લાલ કિતાબમાં કહ્યા અનુસાર તમારે સુગંધિત ચીજોનો ઉપયોગ કરવો. શનિ-કીકરનું દાતણ કરો. ઝાડના મૂળમાં તેલ ચઢાવો. આમ કરવાથી પણ શુક્રની દશામાંથી રાહત મળી શકે છે.
મંગળ
જો તમે મંગળના પ્રભાવ હેઠળ છો તો તમારા માટે આ સરળ ઉપાય કારગર સાબિત થશે. લાલ કિતાબમાં કહેવાયું છે કે જે લોકો મંગળના પ્રભાવથી પરેશાન છે તેઓએ આંખમાં સફેદ સુરમો લગાવવો. વહેતા પાણીમાં રેવડિઓ, પતાશા, મધ અને સિંદૂરને વહેવડાવવું. તેનાથી રાહત મળી શકે છે.
બુધ
જો કોઈ વ્યક્તિ બુધની અસરના કારણે ઈચ્છિત ફળ મેળવી શકતો નથી તો લાલ કિતાબ અનુસાર કન્યાના લીલા વસ્ત્ર અને લીલી બંગડીઓ દાન કરો. દાંત પણ સાફ રાખો. આ નાના ઉપાય કરી લેવાથી તમને ઝડપથી રાહત મળશે.
ચંદ્ર
જો તમારી રાશિમાં ચંદ્રનો પ્રભાવ છે તો તમારે લાલ કિતાબ અનુસાર દૂધ અને પાણીને એક વાસણમાં ભરીને માથાના ભાગ તરફ તેને રાખીને પછી સૂવું. આ પછી તમે સવારે ઉઠો ત્યારે તેને પીપળાના ઝાડના મૂળમાં ચઢાવી લેવું. આમ કરવાથી તમારી રાશિ પર ચંદ્રનો પ્રભાવ રહેશે પણ તમને રાહત મળશે.
ગુરુ
જો તમારા પર ગુરુનો પ્રભાવ વધારે છે તો તમે માથા પર ચંદન અથવા તો કેસરનું તિલક કરો. પીપળાના ઝાડના મૂળમાં પાણી ચઢાવો. આ ઉપાય સિવાય પણ તમે શક્ય તેટલા પ્રમાણમાં ચણાની દાળ કે પીળી વસ્તુનું દાન કરો તે જરૂરી છે. તે તમારા ગુરુને વધારે પ્રભાવકારી અને સફળ બનાવશે.
કેતુ
જો તમે કેતુથી પરેશા રહો છો તો લાલ કિતાબનો આ સરળ ઉપાય તમે અજમાવી શકો છો. આમ કરવાથી તમારી સમસ્યા ઝડપથી દૂર થશે અને સમૃદ્ધિ આવશે. તમારે કાળા અને સફેદ તલને વહેતા પાણીમાં પધરાવી દેવાના છે. પછી જુઓ તમારી પ્રગતિ નિશ્ચિત છે.
રાહુ
કોઈ પણ વ્યક્તિને રાહુ સૌથી વધુ ડરાવનારો રહે છે. જો તમમે પણ આમાંના એક છો તો લાલ કિતાબનો આ ઉપાય તમને રાહત આપી શકે છે. જવને દૂધથી ધૂઓ અને સાથે જ તેને વહેતા પાણીમાં પધરાવો. શક્ય હોય તે રીતે મૂળાનું દાન કરો. કોલસાને વહેતા પાણીમાં પધરાવી દો. આ સિવાય ખિસ્સામાં ચાંદીની ગોળી રાખો. આમ કરવાથી રાહુના કારણે તમારા અટકી ગયેલા તમામ કામ ઝડપથી પૂરા થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ