ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. તે ‘કૌટિલ્ય’ ના નામથી પણ જાણીતા છે. તે તક્ષશિલા વિશ્વવિદ્યાલયના આચાર્ય હતા, તેમણે મુખ્યત્વે ભીલ અને કિરાત રાજકુમારોને તાલીમ આપી હતી. તેમણે નંદ વંશનો નાશ કરીને ચંદ્રગુપ્ત મૌર્યનો નાશ કર્યો. વિશ્વ તેમને આચાર્ય ચાણક્યના નામથી ઓળખે છે. આચાર્યએ તેમના જ્ઞાનથી વિશ્વને લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, તેણે આવી ઘણી બાબતો બતાવી છે જેને અનુસરીને લોકો પોતાનું જીવન ઉન્નત બનાવી શકે છે. ધર્મનીતિ, કૂટનીતિ અને રાજનીતિમાં પારંગત કૌટિલ્યએ પોતાના જ્ઞાનના દમ પર ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવી દીધો હતો.
બાકીનું બધી મોહ માયા છે
આચાર્યએ કહ્યું છે કે, સેવકોને બહાર મોકલવા પર, ભાઈઓને મુશ્કેલીના સમયે તેમજ મિત્રને વિપત્તીના સમયે અને પોતાની સ્ત્રીને સંપત્તિનો નાશ થવા પર પારખવા જોઈએ. અર્થાત તેમની પરીક્ષા લેવી જઈએ. જેમ કે બીમારીમાં દુ: ખમાં, દુષ્કાળના સમયમાં, જ્યારે દુશ્મનોના આક્રમણ સમયે, રાજ દરબારમાં અને સ્મશાન ભૂમીમાં જે વ્યક્તિ સાથે રહે છે તે સાચો ભાઈ કે ભાઈબંધ છે, બાકીનું બધી મોહ માયા છે.
રાજવી પરિવારોનો ક્યારેય વિશ્વાસ ન કરવો
લાંબા નખવાળા હિંસક પશુઓ, નદીઓ, મોટા શિંગડાવાળા પ્રાણીઓ, શસ્ત્રધારિઓ, મહિલાઓ અને રાજવી પરિવારોનો ક્યારેય વિશ્વાસ ન કરવો જોઇએ, આવા લોકો તમારી સાથે ગમે ત્યારે ગમે તે કરી શકે છે. જો કોઈ દુષ્ટ સ્ત્રી સાથે તમારે સંબંધ છે તો એવુ પણ થઈ શકે છે કે તે તમને પથારીમાં જ મોતને ઘાટ ઉતારી દે.
લગ્ન સમાનકુળમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે
જે પોતાના નિશ્ચિત કર્મો અથવા વસ્તુનો ત્યાગ કરીને, અનિશ્ચિતની ચિંતા કરે છે તેનું અનિશ્ચિત લક્ષ્ય તો નાશ પામે જ છે પરંતુ નિશ્ચિત પણ નાશ પામે છે. બુદ્ધિહિન વ્યક્તિએ સારા કુટુંબમાં જન્મેલી કુરુપ છોકરી સાથે પણ લગ્ન કરવા જોઈએ, પરંતુ સારા સ્વરૂપવાળી નીચકુળની છોકરી સાથે લગ્ન ન કરવા જોઈએ. કારણ કે લગ્ન સમાનકુળમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચણાક્યના મતે સારા સંસ્કારોવાળી સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી દે છે પરંતુ ખરાબ સંસ્કારોવાળી સ્ત્રી પરિવારમાં ઝઘડા પેદા કરે છે. આથી આવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી બચવું જોઇએ. તો બીજી તરફ આચાર્યના મતે મોટાભાગની મહિલાઓમાં ધન પ્રાપ્ત કરવાની લાલચ વધુ હોય છે. તેને ધન અને સોનાના ઘરેણાં માટે ઘણો પ્રેમ હોય છે. ધનની લાલચમાં કેટલીક સ્ત્રીઓ સાચા-ખોટા ભેદને ભૂલી જાય છે અને ન કરવાનું કરી બેસે છે.
ફક્ત સુદરતા જોઈને ન કરવા લગ્ન
તો બીજી તરફ ચાણક્યએ કહ્યું છે કે, જે સ્ત્રીનું ચરિત્ર સારું ન હોય, સંસ્કારી ન હોય અને નીચ્ચ કુળની હોય તેની સાથે ગમે તેવી ખરાબ પરીસ્થિતિ આવે તો પણ લગ્ન ન કરવા જોઈએ. આચાર્યનું માનવું છે કે વિવાહ જીવનનું એક મહત્વપૂર્ણ અંગ છે. વિવાહ બાદ પતિ-પત્ની અને તેમના પરિવારો નું પણ જીવન બદલાય જાય છે. આજના સમયમાં પુરુષ વિવાહ માટે સુંદર સ્ત્રી ને વધારે મહત્વ આપે છે. જરૂરી નથી કે સુંદર સ્ત્રી ઓ સર્વગુણ સંપન્ન જ હોય. આચાર્યના મતે લગ્ન માટે સ્ત્રીના સંસ્કાર, તેનો સ્વભાવ, તેના લક્ષમ, તેના ગુણ-અવગુણોના વિશે જાણવું જોઈએ. આ બધા તથ્યો પર વિચાર કર્યા બાદ જ સ્ત્રીની પસંદગી લગ્ન કરવા માટે કરવી જોઈએ. સુંદરતા જોઈને ક્યારેય કોઈ સ્ત્રી સાથે લગ્ન ન કરવા.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,