લોકો પોતાની દુકાનનો ધંધો વધારવા માટે ઘણા બધા ઉપાયો અપનાવતા રહે છે અને આજકાલ ઘણા બધા રેસ્ટોરન્ટવાળા પોતાનો ધંધો વધારવા માટે એક ખૂબજ આશ્ચર્યજનક ઉપાય અપનાવ્યો છે અને તે ગરમ તેલમાં એટલે કે ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા તળે છે.
આને જોવા માટે લોકોની ઘણી ભીડ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર મફતમાં પબ્લિસિટી મળે છે. કેટલાક સ્ટ્રીમ મિડિયાવાળા પણ આને કવર કરવા પહોંચી જાય છે અને જોતજોતામાં જ ભજિયાવાળાનો ધંધો ખૂબ વધી જાય છે.
પહેલા ઇલાહાબાદના કોઈ એક રેસ્ટોરન્ટવાળા એ આ ટ્રીક કરી પછી દિલ્લીમાંને પછી નોઇડામાં પછી અમદાવાદમાં પછી સુરતમાં પછી ઈન્દોરમાં અને હવે તો ઘણા બધા રેસ્ટોરન્ટવાળા હવે આ ટ્રીક અજમાવીને પોતાનો ધંધો વધારી રહ્યા છે.
પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ ના કોઈ જાદુ, ના કોઈ ચમત્કાર છે કે પછી ના કોઈ દૈવીયશક્તિ છે, પરંતુ આ એક વિજ્ઞાન છે અને આપ પણ ઉકળતા તેલમાં હાથ નાખી શકો છો.
ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા કાઢવાની પાછળ જે વૈજ્ઞાનિક કારણ છે તેને leidenfrost ઇફેક્ટ કહે છે. આ ઇફેક્ટનો આ અર્થ છે કે ઉકળતા તેલમાં હાથ નાખીને કઈપણ બહાર કાઢી શકો છો.
તેની પહેલા તેને પોતાના હાથ ઠંડા પાણીમાં નાખવા ગરમ તેલમાં હાથ પડતાં જ સૌપ્રથમ તે પાણીને ગરમ કરીને વરાળમાં બદલી દે છે અને આ વરાળ ગરમ તેલને હાથની ત્વચાને સંપર્કમાં નથી આવવા દેતાં અને આ અસર કેટલાક સમય માટે રહે છે એટલે જ હાથને થોડીક જ સેકન્ડ પછી બહાર કાઢી લેવો પડે છે.
ખરેખર બધા ભજિયાવાળા પહેલા પોતાના હાથને ઠંડા પાણીમાં ડૂબાડી દે છે પછી તે ઉકળતા તેલમાં હાથ નાખે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ