મિત્રો, ખજૂર એ વિશ્વનો સૌથી તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર છે. જો તમે તમારા હાડકાને મજબુત બનાવવા ઈચ્છતા હોવ, ત્વચાને ચમકદાર બનાવવા ઈચ્છતા હોવ અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અન્ય લાભો મેળવવા ઈચ્છતા હોવ તો તમે ખજૂરનો ઉપયોગ કરવો અત્યંત આવશ્યક બને છે.
આ ફળનો સ્વાદ મીઠો અને સ્વાદિષ્ટ હોય છે. તેમા કેલરીની માત્રા પણ અન્ય ડ્રાયફ્રુટ્સની જેમ કિશમિશ અને અંજીર જેટલી હોય છે. તેમા પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ અને વિટામિન બી-૬ સમાવિષ્ટ હોય છે. આજે આ લેખમા આઓને જાણીશુ કે, કેવી રીતે ખજૂરનુ સેવન કરીને દિવસની શરૂઆત કરવી ફાયદાકારક સાબિત થઇ શકે છે?
જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, ખજુર એ ઊર્જા મેળવવા માટેનુ શ્રેષ્ઠ માધ્યમ છે. આખો દિવસ તાજગીથી ભરપૂર રહેવા માટે તમારે તમારા દિવસની શરૂઆત ખજુરની સાથે કરવી જોઈએ. જો તમે નિયમિત સવારની શરૂઆત ખજૂરના સેવનથી કરો છો તો તમારી થકાવટની સમસ્યા તુરંત દૂર થાય છે. આ સિવાય ત્વચા અને મોઢા સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓથી પણ તમને મુક્તિ મળે છે.
આ વસ્તુમા સમાવિષ્ટ ફાઇબર એ તમારા પાચનતંત્રને સુધારવામા અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ સિવાય જો શરીરમાં લોહીની ઉણપ થઇ હોય તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે લોહતત્વની આવશ્યક માત્રા શરીરને પ્રાપ્ત થવી અત્યંત આવશ્યક છે.
ખજુરમા પુષ્કળ માત્રામા લોહતત્વ સમાવિષ્ટ હોય છે. તે તમારા શરીરમા ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલ.ડી.એલ. નુ સ્તર ઘટાડી શકે છે અને તેનાથી રક્તવાહિનીઓ અને હૃદયરોગમાં અવરોધનું જોખમ ઘટે છે. આવશ્યક માત્રામા ખજુરનુ સેવન એ તમારા હાડકાંને મજબૂત કરવા માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ખજૂર એ તમારુ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે ઈચ્છો તો તમારા વજનને નિયંત્રણમા લાવવા માટે ભોજનમા પણ તેનો સમાવેશ કરી શકો છો. નિયમિત સવારે વ્યાયામ કરનારા લોકોએ કસરત કરતા પહેલા આ ખજૂરનુ સેવન કરવુ જેથી, તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ પ્રાપ્ત થઇ શકે છે.
તેનુ નિયમિત સેવન કરવાથી તમારો આખો દિવસ તાજગીથી ભરપૂર રહે છે. આ સિવાય તમારા મગજને સક્રિય રાખવા માટે પણ ખજૂર ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે આ ખજૂરનુ સેવન કરો છો તો તમારુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તો જો તમે અત્યાર સુધી ખજુરનુ સેવન નથી કરતા તો હવે શરુ કરી દેજો.