એક જગ્યા એવી જ્યાં વધે છે શિવલીંગની લંબાઈ…

લોકો કહે છે ને કે શિવજીની મહિમા અપરંપાર છે, અને લોકો એમનેમ તો કહેતા ન હોય. આ શ્રાવણના પવિત્ર મહિનામાં અમને શિવજીની મહિમાનો દાખલો મળી આવ્યો છે છત્તીસગઢના ગરીયાબાદ જિલ્લાના મરોદા ગામમાં.

આ ગામના ગાઢ જંગલોની વચમાં આવેલુ આ શિવલિંગ ભૂતેશ્વર નાથના નામથી પ્રસિદ્ધ છે જેને દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ હોવાનું માનવામાં આવે છે.


આ શિવલિંગ બીજા શિવલિંગથી તેની રહસ્યમય વિશેષતાને કારણે અલગ પડે છે. એ રહસ્યની વાત એ છે કે આ શિવલિંગની લંબાઈ દર વર્ષે ચમત્કારી રીતે વધતી જ રહે છે જેને કારણે શ્રદ્ધાળુઓને અહી ખુબ જ આસ્થા અને વિશ્વાસ છે. ફક્ત આ જ કારણ નથી આ શિવલિંગની લોકપ્રિયતાનું. અહી થનારા ચમત્કારો પણ અહીની લોકપ્રિયતાનું એક મુખ્ય કારણ બની ગયું છે.

*** શિવલિંગનું માપ


જમીનથી ૧૮ ફૂટ ઊંચું અને ૨૦ ફૂટ ગોળાકાર આ શિવલિંગની ઊંચાઈ દર વર્ષે માપવામાં આવે છેજેમાં દર વર્ષે ૬ થી ૮ ઇંચ જેટલો વધારો જોવા મળી રહ્યો છે.

***પૌરાણિક કથા


સેંકડો વર્ષો પહેલા શોભા સિંહ નામનો એક વ્યક્તિ એ ગામમાં રહેતો હતો. તે રોજ સાંજે પોતાના એક ખેતરને જોવા જતો હતો. આ દરમિયાન તેણે દુરથી જોયું કે એક નાનકડા શિવલિંગ જેવી આકૃતિમાંથી સાંઢ અને સિંહનો અવાજ આવતો હતો. આ વાત શોભાસિંહે ગામવાસીઓને કરી જે કારણે ગામવાળાઓએ પ્રાણીઓને શોધવાનો ખુબ જ પ્રયત્ન કર્યો. પરંતુ કોઈ મળ્યું નહિ. અને આ ઘટના પછી આ શિવલિંગ ખુબ જ પ્રખ્યાત થયુ. ગામવાસીઓની માહિતી મુજબ એ શિવલિંગ પહેલા ખુબ જ નાનું હતું. પણ સમય સાથે તેની લંબાઈ અને પહોળાઈ વધતી જાય છે.

જંગલની વચ્ચે હોવા છતાં પણ અહી શ્રદ્ધાળુઓની કમી દેખાતી નથી. અને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.


લોકો શિવલિંગની વધતી જતી લંબાઈ જોવા ખાસ કરીને અહી આવે છે અને અહીની માન્યતા છે કે આ શિવલિંગ આગળ કરવામાં આવતી પ્રાર્થના અવશ્ય પૂરી થાય છે.

લેખન સંકલન : યશ મોદી

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ