આજકાલ લગભગ ઘણા લોકો ઈંડાનું સેવન કરતા થઇ ગયા છે. આમ તો ઈંડાથી શરીરમાં શક્તિ બની રહે છે. દરરોજ ઈંડા ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. ઈંડા ને આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી ગણવામા આવે છે. ઘણા લોકો ને શરીર મા શક્તિ ની ઊણપ વર્તાય તેને ડૉક્ટર ઈંડા ખાવા ની સલાહ આપે છે.
માંસ અને ઈંડા કરતા વધુ પ્રોટીણ ના સ્ત્રોતો આપણા ભારત મા ઉપલબ્ધ છે. ન્યુટ્રીશન તજજ્ઞો ના મંતવ્ય અનુસાર ઈંડા ને કાયમ યોગ્ય રીતે આરોગવા જોઈએ, કેમ કે ખોટી પદ્ધતિએ ઈંડા નુ સેવન કરવા થી દેહ ને હાની થઈ શકે છે. જો તમે ઈંડા નુ સેવન કરતા હોવ તો તેને આરોગતા સમયે અહી જણાવેલી ભૂલો ક્યારેય ન કરો તથા નિત્ય સાચી પદ્ધતિ થી જ સેવન કરવુ. આપણામાંથી ઘણા બધા લોકો શાકાહારી ભોજનનું સેવન કરે છે, તો ઘણા માંસાહારીનું. તો ઘણા લોકો ઈંડા ખાવાનું પણ ખૂબ જ પસંદ કરે છે. પછી ભલે તે ઈંડાને ઉકાળીને, ઈંડાનું શાક અથવા ઈંડાની ભૂરજી હોય. ઘણા લોકો સવારે નાશ્તામાં ઈંડાનું સેવન કરવાનું ખૂબ જ પસંદ કરે છે.
બીજી તરફ જે લોકો જિમ જાય છે અથવા ફરી પોતાને ફિટ રાખવા પર કામ કરે છે તો તે પણ ઈંડાનું સેવન કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, ઈંડાનું સેવન કરતા સમયે આપણે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે, જો આપણે એવું નથી કરતા તો આ ફાયદાની જગ્યા પર આપણને નુકસાન પણ આપી શકે છે. તો ચાલો જાણીએ આ વિશે વિગતે…આપણામાંથી ઘણા લોકોને ઈંડા ઉકાળી ખાવાનું ખૂબ જ સારુ લાગે છે અને શિયાળો આવતા જ લોકો ખૂબ જ વધારે આવુ કરે છે, પરંતુ જો ઈંડાને વધારે સમય સુધી ઉકાળવામાં આવે તો આ નુકસાન આપી શકે છે.
જ્યારે ઈંડાને એક નિશ્વિત તાપમાનથી વધારે ઉકાળવામાં આવે તો, તેના ઘણા પોષક તત્વ ખત્મ થઈ જાય છે. એક અભ્યાસ જણાવે છે કે, ઈંડાને મોડે સુધી પકાવવાની જગ્યાએ તેમાં હાજર વિટામિન-A લગભગ 17 થી 20 ટકા સુધી ઓછુ થઈ જાય છે. તમે જોયુ હશે કે, જો લોકો પોતાની બોડી બનાવવા માટે જિમ જાય છે. તેમાથી ઘણા લોકો કાચા ઈંડાને ખાઈ જાય છે, પરંતુ આવુ કરવાથી બચવુ જોઈએ. ખરેખર કાચા ઈંડામાં પ્રોટીન અલગ-અલગ ભાગમાં હોય છે ને પોતાની બનાવટના કારણથી આ બધા એકબીજામાં મળી જ શકતા નથી, પરંતુ જો તમે ઈંડાને પકાવો છો તો પ્રોટીનની અલગ-થલગ બનાવટ તૂટી જાય છે અને આ બધા પ્રોટીન એકસાથે મળી જાય છે. જેના કારણે પ્રોટીનને શરીર માટે પચાવવું પણ સરળ થઈ જાય છે.
ઈંડાના કારણે ર્હદયની બીમારીઓને ખતરો પણ વધી શકે છે. આવુ એટલા માટે થાય છે કારણ કે, ઈંડાની જર્દીમાં ઘણા પ્રમાણમાં કોલેસ્ટ્રોલ મળી આવે છે. ઉદાહરણ તરીકે, જો એક મોટુ ઈંડુ હોય છે, તેમાં લગભગ 212 મિલીગ્રામ સુધી કોલેસ્ટ્રોલ હોય છે. તો જ્યારે ઈંડાને વધારે તાપમાન પર પકાવવામાં આવે તો આ કોલેસ્ટ્રોલ ઓક્સીકૃત થઈને ઓક્સીસ્ટેરોલમાં બદલાઈ જાય છે.
આ ઘણા લોકો માટે ચિંતાની વાત હોય છે. કારણ કે, ઓક્સીસ્ટેરોલથી ર્હદયની બીમારીઓને ખતરો પણ વધી જાય છે. ઈંડાને જ્યારે પણ ખાઈએ, તો સંપૂર્ણ રીતે પકાવીને જ ખાવું જોઈએ. જો ઈંડાને પૂર્ણ રીતથી પકાવીને ખાવામાં આવે તો, આવુ કરવું ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે.
જ્યારે ઈંડું પૂર્ણ રીતે પાકી જાય તો આ સરળતાથી પચી પણ જાય છે. ઘણા સંશોધન જણાવે છે કે, જ્યાં એક તરફ કાચા ઈંડામાં 51 ટકા પ્રોટીન મળી આવે છે, તો બીજી તરફ પાકેલ ઈંડામાં 91 ટકા સુધી મળી આવે છે. તો તાપમાનના કારણે જ પ્રોટીનમાં ઘણા પ્રકારના સંરચનાત્મક ફેરફાર પણ આવી જાય છે. તેથી ઈંડાને પૂર્ણ રીતથી પકાવીને જ ખાવાની સલાહ આપવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત