દરરોજ સવારે પલાળેલા બદામ ખાવાના ઘણા ફાયદા છે. પણ પલાળેલા ચણા ખાવાના ફાયદા બદામ કરતા ઓછા નથી. સસ્તા ભાવે મળતા ચણા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ભેજ, ચરબી, ફાઇબર, કેલ્શિયમ, આયરન અને વિટામિનથી ભરપૂર હોય છે. ચણા તમારા મગજને તીવ્ર બનાવે છે, સાથે સુંદરતામાં પણ વધારો કરે છે. ચણા ખાવાથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રહેશે અને તમારું શરીર મજબૂત રહેશે. પલાળેલા ચણા વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન કે, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ખનિજોના સારા સ્રોત છે. આખી રાત પલાળેલા ચણા સવારે ખાવાથી આરોગ્ય સારું રહે છે. તો ચાલો જાણીએ દરરોજ સવારે પલાળેલા ચણા ખાવાના ફાયદા.
રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે
ચણામાં વિટામિન, ખનિજો, ક્લોરોફિલ અને ફોસ્ફરસની પૂરતી માત્રા જોવા મળે છે. જેના કારણે દરરોજ પલાળેલા ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીરની રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે.
ડાયાબિટીઝમાં ફાયદાકારક છે
ડાયાબિટીસના દર્દીઓ એ દરરોજ સવારે પલાળેલા 25 ચણા ખાવામાં ફાયદાકારક છે. ડાયાબિટીઝના દર્દીને પલાળેલા ચણા ખાલી પેટે ખાવા જોઈએ.
કબજિયાતની સમસ્યાથી રાહત
ચણામાં હાજર ફાઇબરનું પ્રમાણ પાચન માટે ફાયદાકારક છે. જો તમને પેટમાં દુખાવો અને કબજિયાત હોય તો સવારે પલાળેલા ચણામાં આદુ, જીરું અને મીઠું નાખીને ખાવાથી પેટમાં દુખાવાની તથા કબજિયાત જેવી સમસ્યામાં પણ રાહત મળે છે.
એનર્જી મળે છે
દરરોજ સવારે ચણામાં લીંબુ, આદુ, મીઠું અને મરીનું ચૂર્ણ મિક્ષ કરીને ખાવાથી શરીર સ્વસ્થ બને છે. ઉપરાંત, તમને આખો દિવસ કામ કરવા માટે પુષ્કળ એનર્જી મળે છે.
શરીર સ્વસ્થ રહેશે
પુરુષોમાં થતી કોઈપણ નબળાઇ માટે ચણા ફાયદાકારક છે. આ માટે રાત્રે પલાળેલા ચણા સવારે ખાવાથી તમે સ્વસ્થ રહેશો અને શરીરને પણ શક્તિ મળશે.
આયરનની ઉણપ પૂરી થશે
દરરોજ ચણા ખાવાથી શરીરમાં આયરનની ઉણપ દૂર થશે અને સાથે એનિમિયાની સમસ્યા પણ દૂર થઈ શકે છે. આયરણથી ભરપૂર ચણા એનિમિયાની સમસ્યા ઘટાડે છે.
થાક દૂર કરવામાં અસરકારક
પલાળેલા ચણા ખાવાથી પ્રોટીનની માત્રા વધી શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચણા ખાવાથી તેના પોષક તત્વોથી બમણો ફાયદો થઈ શકે છે. ચણાનું નિયમિત સેવનથી થાક જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
કમળામાં પણ અસરકારક
જો તમને કમળો થયો છે અથવા કમળો થવાથી ડર લાગે છે, તો તમારે દરરોજ સવારે ખાલી પેટ પર પલાળેલા ચણાનું સેવન કરવું જોઈએ. કમળાના દર્દીઓ માટે ચણા ખુબ જ અસરકારક છે. આ સાથે પલાળેલા ચણા તમને ઘણા બીજા ફાયદા પણ આપી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત