લગ્ન સમયે ડાન્સ કરતી વખતે દુલ્હન પડી ગઈ, ‘યે હૈ મોહબ્બતેન’ના આ અભિનેતા એ તેની ગર્લફ્રેન્ડ સાથે લ્નગ્રંથિથી જોડાઈ સાત ફેરા લીધા.
સ્ટાર પ્લસની ખૂબ જ પ્રખ્યાત સીરિયલ જેનું નામ છે ‘યે હૈ મોહબ્બતેન’ તેના એક ખૂબ જ જાણીતા એક્ટર એવાં અનુરાગ શર્મા આજથી લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. અનુરાગ શર્માએ ગર્લફ્રેન્ડ નંદિની ગુપ્તા સાથે સાત ફેરા લીધા. બંને પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લગ્નની બધી વિધિઓ 29 જાન્યુઆરી થી31 જાન્યુઆરી સુધી કરવામાં આવી હતી. જેમાં મહેંદી, હલ્દી અને રિંગ સેરેમની જેવી વિધિઓ કરવામાં આવી હતી.
View this post on Instagram
હલ્દી સેરેમનીમાં બંને કપલે પીળા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમજ રિંગ સેરેમનીમાં અનુરાગ શર્માએ નંદિની ગુપ્તાને પોતાના ઘૂંટણ પર ઊભા રહી પ્રપોઝ કરી રિંગ પહેરાવી હતી.આ રાજવી શૈલીમાં થયેલા લગ્નમાં નજીકના બધાં સબંધીઓ અને બંને પરિવારના મિત્રો આવી પહોંચ્યા હતા.
લગ્નમાં અનુરાગ શર્માએ સફેદ રંગની શેરવાની પહેરી હતી. અનુરાગ શર્માએ પાઘડી બાંધી હતી જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતાં. નંદિની ગુપ્તાની વાત કરીએ તો તેણે લાલ કલરના લહેંગા સાથે ભારે જ્વેલરી પહેરી છે. લાલ પાનેતરમાં સજજ એવી દુલ્હન બનેલી નંદિની ગુપ્તા બેહદ ખૂબસૂરત લાગી રહી હતી. આ તસવીરો માં બંનેના ચહેરા પર ખુશી સાફ સાફ જોવા મળી રહી છે.
નંદિની દિલ્હીની રહેવાસી છે. અનુરાગ શર્મા અને નંદિની ગુપ્તાએ દિલ્હીમાં લગ્ન કર્યા. પ્રયાગરાજનો રહેવાસી અનુરાગ ગુપ્તા તેના વતનમાં જ લગ્નના રિસેપ્શનનું આયોજન કરશે. માનવામાં આવી રહ્યું છે કે આવતા સપ્તાહે લગ્નનું રિસેપ્શન યોજાશે.
View this post on Instagram
લગ્નમાં અનુરાગ નંદિની સાથે જોરદાર ડાન્સ કર તા નજરે જોવા મળ્યાં હતાં. આ દરમિયાન અનુરાગ શર્મા અચાનક જ ખૂબ ભાવુક થઈ જતાં રડવા લાગ્યા. તેમને આમ રડતા જોઈ નંદિનીએ તેમને અંદર લઈ જઇ સંભાળ્યા અને તેના આંસુ પણ લૂછ્યા. આ દરમ્યાનની દરેક તસવીરો સોશ્યલ મીડિયા પર જોરશોર માં વાયરલ થઈ રહી છે.
અનુરાગ અને નંદિનીએ સ્ટેજ પર પણ જોરદાર ધમાલ મચાવી હતી. તેઓ બંને પંજાબી ગીતો પર નાચી રહ્યા હતા. ત્યાં જ અચાનક ડાંસ કરતી વખતે નંદિનીના પગ ડગમગતા તે પડી ગઈ પણ તરત જ તેને સંભાળવા માં આવી અને તેનું ધ્યાન રાખવામાં આવ્યું. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ પણ જણાવી દઈએ કે અનુરાગ શર્મા ‘યે હૈ મોહબ્બતેન’ સિરિયલમાં પરમ ખુરાનાનું પાત્ર ભજવી રહ્યાં હતાં. અનુરાગે આ સીરિયલમાં નકારાત્મક ભૂમિકા ભજવી સૌ ચાહકો અને દર્શકોનું દિલ જીતી લીધું હતું.
અનુરાગ શર્મા એ તેની આ કારકિર્દીની શરૂઆત વર્ષ 2009 માં એકતા કપૂરની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ થી કરી હતી. જે સમય જતા ખૂબ જ પ્રચલિત બની હતી. આ સીરિયલમાં તેણે સતિષ દેશપાંડેની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેમણે ‘તેરે લિયે’, ‘બ્યાહ હમારી બહુ કા’, ‘અદાલત’, ‘જોધા અકબર’, ‘યે હૈ આશિકી’, ‘કુમકુમ ભાગ્ય’, ‘અજીબ દાસ્તાં હે યે’, ‘ઈતના કરો ના મુજે pyar’, ‘કવચ: કાલી શક્તિ સે’ અને ‘ઉડ્ડાન’ જેવી સિરિયલોમાં અલગ અલગ પ્રકારની ખૂબ જ રસપ્રદ ભૂમિકા ભજવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ