મિત્રો, બોલિવૂડ અભિનેત્રી દિપ્તી નવલનો જન્મ ૩ ફેબ્રુઆરી, ૧૯૫૨મા થયો હતો. તે ૮૦ ના દાયકાની એક પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી છે. તેણે આર્ટ ફિલ્મોની હિરોઇન તરીકે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પંજાબના અમૃતસરમાં જન્મેલી દીપ્તિના ચહેરા પર આશ્ચર્યજનક સરળતા છે અને તેની સાદગી તેની કલા તરીકે તેની ફિલ્મોમાં જોવા મળી હતી.
તેણી એક સારી એવી ગીતકાર હોવાની સાથે એક સારી એવી ચિત્રકાર અને ફોટોગ્રાફર પણ છે. તેના પિતા તેમને પેઇન્ટર બનાવવા માંગતા હતા પરંતુ, દિપ્તી નવલનું નાનપણથી જ એક્ટિંગમાં મન હતું. જો કે, તેણે અભિનયની સાથે સાથે પેઇન્ટિંગ પણ ચાલુ રાખ્યું. તેમના ઘણા ચિત્રો પ્રદર્શનોમાં દર્શાવવામાં આવ્યા છે.
દીપ્તિએ તેની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ૧૯૭૮ માં ફિલ્મ “જુનુન” થી કરી હતી. આ ફિલ્મને આ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. પછીથી ૧૯૮૧ના વર્ષમાં આવેલી ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’ એ દીપ્તિની હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક અલગ ઓળખ બનાવી. ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં દીપ્તિએ ડઝનેક ફિલ્મો બનાવી હતી, જે હિન્દી સિનેમા માટે યાદગારરૂપ હતી. તેમા ‘એક બાર ફિર’, ‘અનકહી’, ‘બવંડર’, ‘લીલા,’ ફિરાક’ નો સમાવેશ થાય છે.
આ અભિનેત્રીએ તેની ફિલ્મ કારકિર્દી સિવાય તેની વ્યક્તિગત કારકિર્દી વિશે પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તેણે વર્ષ ૧૯૮૫મા ફિલ્મ ડિરેક્ટર પ્રકાશ ઝા સાથે લગ્ન કર્યા હતા પરંતુ, વર્ષ ૨૦૦૨મા તેના છૂટાછેડા થઈ ગયા હતા. દીપ્તિ નવલ અને ફારૂક શેખે ૮૦ના દાયકાની અનેક ફિલ્મોમા એકસાથે કામ કર્યું હતું જેમ કે ‘ચશ્મે બદ્દૂર, ‘કિસી સે ના કહેના, ‘સાથ-સાથ’. તેમની જોડીને દર્શકો ખૂબ પસંદ કરતા હતા.
એવું કહેવામા આવ્યું હતુ કે, બંનેને એકબીજા પ્રત્યે વિશેષ લગાવ હતો. બંનેના સંબંધો પણ ખુલ્લા હતા પરંતુ, આ બાબતોમા તથ્ય કેટલુ છે? તે કહી શકાય તેમ નથી. પ્રકાશ ઝા થી છૂટાછેડા બાદ જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનો પુત્ર વિનોદ પંડિત દીપ્તિના જીવનમાં આવ્યો હતો. તેની સગાઈ થઈ ગઈ હતી પરંતુ, લગ્ન પહેલા જ વિનોદ પંડિતનું નિધન થયું હતું અને આ રીતે દીપ્તિ ફરી એકવાર એકલી પડી ગઈ હતી.
ગયા વર્ષે દીપ્તિ ફરી એકવાર ચર્ચામાં આવી હતી જ્યારે તેણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર ‘બ્લેક વિન્ડ’ નામની કવિતા શેર કરતા કહ્યું હતું કે તે પણ એક સમયે ડિપ્રેશનથી પીડાઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું છે કે, આ સંકટના દિવસોમાં આપણા મનમાં ઘણું બધું ચાલી રહ્યું છે. ક્યારેક મગજ ખૂબ શાંત થઈ જાય છે, ક્યારેક વિકૃત થઈ જાય છે.
આજના વાતાવરણને જોઈને મને લાગ્યું કે મારે પણ લોકોમાં એક કવિતા શેર કરવી જોઈએ. આ કવિતા મે ત્યારે લખી હતી જ્યારે હું હતાશા, ચિંતા અને આત્મહત્યાના વિચારો જેવી સમસ્યાઓથી પીડાતી હતી અથવા તો લડી રહી હતી. દીપ્તિએ આ કવિતા ૨૮ જુલાઈ, ૧૯૯૧ ના રોજ લખી હતી. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતુ કે, ૯૦ ના દાયકામાં તેને ફિલ્મોમા કામ મળવાનુ બંધ થઈ ગયુ હતુ, તેથી તેના મનમાં ખૂબ જ નકારાત્મક વિચારો હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,