રજનીકાંતના જમાઈ ધનુષ પોતાનું નવું ઘર બનાવવાની તૈયારીમાં છે. એમને હાલમાં જ ચેન્નઈમાં નવા ઘર માટે જમીન ખરીદી છે જેનું બુધવારે ભૂમિ પૂજન કર્યું. આ કાર્યક્રમમાં એમના સસરા રજનીકાંત પોતાની પત્ની લતા સાથે પહોચ્યા. તમને જણાવી દઈએ કે ધનુષ તમિલ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંથી એક છે.
આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યા છે. ફોટામાં ધનુષ જમીન પર બેસીને પૂજા કરતા દેખાઈ રહ્યા છે. એમને સફેદ રંગની ધોતી પહેરી છે અને માસ્ક પહેર્યું છે. બીજા ફોટામાં રજનીકાંત અને એમની પત્ની લતા દેખાઈ રહ્યા છે. ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ધનુષને ફેન્સ આ ફોટાને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.
ધનુષે હાલમાં જ આ વિશે જણાવ્યું જતું કે હું ધ ગ્રે મેનનું શૂટિંગ કરવા માટે ઉત્સાહિત છું. એમાં ક્રિસ ઇવાન્સ, રાયન ગોસલિંગ, અન્ના ડે અરમાસ અને જેસિકા હેનવિક છે. એનું નિર્દેશન ધ રુસો બ્રધર કરવાના છે. જેમને આ પહેલા એવેન્જર્સ અને કેપટન અમેરિકા જેવી ફિલ્મો બનાવી છે. હું આ ફિલ્મનો ભાગ બનીને ઘણો જ ખુશ છું હું ફેન્સનો આભાર વ્યક્ત કરું છું જેમને છેલ્લા ઘણા વર્ષોથી મારા પર પ્રેમ વરસાવ્યો છે .
ધનુષની ફિલ્મ કર્ણનના મેકર્સે આ ખુલાસો કર્યો હતો કે મુવી આ ગરમીની સીઝનમાં થિયેટરમાં રિલીઝ થશે. તો ધનુષે પ્રોડ્યુસર થાનુંને વખાનયા અને લખ્યું કે “એપ્રિલ 2021માં ફિલ્મ કર્ણમ રિલીઝ થશે. આ ખબર આ મુશ્કેલ સમયમાં પ્રેરણાદાયી છે. તમારો ખૂબ ખૂબ આભાર થાનું સર. સીનેમાઘરના માલિકો, ડિસ્ટ્રીબ્યુટર અને એ બધા જ લોકો માટે વિચારવા માટે જેમની રોજી રોટી ફિલ્મ અને થિયેટર પર નિર્ભર છે. જ્યારે તમારી પાસે બીજા પણ ઓપશન હતા. ફરી એકવાર મારા ફેન્સ વતી પણ હું તમારો આભાર માનુ છું, એ ખરેખર ખૂબ જ મહત્વનું છે
તમને જણાવી દઈએ કે ધનુષે ત્યાં જ જમીન ખરીદી છે જ્યાં એમની પત્ની ઐશ્વર્યાના પિતા રહે છે. આ વિસ્તાર ચેન્નાઇ5ના પોઝ ગાર્ડનનો છે.
એમના સસરા રજનીકાંત અહીંયા રહે છે. ધનુષ પણ અહીંયા જ પોતાના સપનાનું ઘર બનાવવાના છે. એટલે કર્ણનના ડબિંગનું કામ પૂરું કર્યું કે તરત જ એમને ભૂમિ પૂજન કરી દીધું. બન્ને પતિ પત્નીએ સાથે પૂજા કરી. કાર્યક્રમમાં સસરા રજનીકાંત પત્ની લતા સાથે લકઝરી કારમાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,