આમ તો કહેવામાં આવે છે કે દહીંનું સેવન બધા લોકો માટે ફાયદેમંદ હોય છે અને મોટા ભાગે લંચમાં દહી સામેલ જ હોય છે. ખાસ કરીને ઉનાળામાં દહીનું સેવન વધી જાય છે. જેનાથી ઘણા ફાયદા પણ થાય છે. પરંતુ એવુ નથી, ક્યાંરેક કોઈક બીમારીઓ એવી હોય છે તેમા તમે દહી ખાવ છો તો તમને ગંભીર નુકશાન થઈ શકે છે.
આજે અમે દહી સાથે જોડાયેલા કેટલાક તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, અમુક સાથે દહીના સેવન કરવાથી આપણા શરીરને શું શું નુકશાન થઈ શકે છે. આજે અમે તમને આવી જ 3 વસ્તુઓ વિશે જણાવીશું કે જે દહીં સાથે ખાવાથી તેની આપણા શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
ખોટા સમયે દહીનું સેવન ન કરવું
આમ તો દહીં ત્વચાથી લઈને પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે, પરંતુ જો ખોટા સમયે અથવા ખોટા વ્યક્તિને આપવામાં આવે તો સમસ્યા વધુ વધી શકે છે. જીહા મિત્રો, જ્યારે તમે દહી લીધા પછી આ વસ્તુઓનું સેવન કરો ત્યારે આવું થઈ શકે છે. જો તમે પણ દહીનું સેવન કર્યા પછી શું ન લેવું જોઈએ તેનાથી અજાણ છો, તો ચાલો આપણે જાણીએ.
માછલી
એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે માછલી ખાધા બાદ દહીનું કદી સેવન ન કરવું જોઈએ, કારણ કે માછલી ખાધા બાદ દહી ખાવાથી શરીરમાં સફેદ દાગ થઈ શકે છે, જીહા મિત્રે અમે એ જ રોગ વિશે વાત કરી રહ્યા છીએ જેનાથી વ્યક્તિના ચહેરા પર સફેદ દાગ થઈ જાય છે. જો તમે માછલી ખાધા બાદ દહીં ખાતા હોવ તો તમને આવી સમસ્યા થઈ શકે છે. આ રોગને લ્યુકોડર્મા કહેવામાં આવે છે.
ચિકન
જો તમને દહીં ખાવાનું પસંદ હોય તો તમે એ પણ જાણતા હશો કે દહીં ઠંડુ હોય છે, તો બીજી તરફ ચિકન અથવા બકરીનું માંસ ગરમ હોય છે. એટલે કે, જો તમે દહીં ખાધા પછી ચિકન અથવા માંસ ખાઓ છો, તો પછી તે શરીરમાં એવા ઘટકો બનાવે છે જેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે.
દહીંવડા
જો તમને દહીંવડા ખાવા ગમે છે, તો તમારે એ વાતનું ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તમે દહીં ખાધા પછી જો તમે દહીંવડા ખાવ છો તો તેનાથી તમારા શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. આમ કરવાથી તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે અને તમને હાર્ટ એટેક પણ આવી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત