કોરોના વાયરસથી ભારતની કરોડોની વસ્તીને બચાવવા ભારતીયો માટે આ 30 દીવસ છે અત્યંત મહત્ત્વના
ભારતમાં ચીન તેમજ ઇટાલી જેવી ત્રાસદી ન સર્જાય માટે ભારતીયો માટે આવનારા 30 દીવસ છે અત્યંત મહત્ત્વના
કોરોનાવાયરસના કેસ ભારતમાં પ્રકાશમાં આવવા લાગ્યા છે પણ તે હજું સુધી જોખમી સપાટીએ પહોંચ્યા નથી. તેમ છતાં ભારતીયો તેમજ ભારત સરકારે કેટલાક મહત્ત્વના પગલા લેવા અત્યંત જરૂરી છે અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્યસરકાર તે કરી પણ રહી છે. જેમ કે સમગ્ર દેશમાં એક પરિપત્ર જાહેર કરવમાં આવ્યું છે કે એક જગ્યાએ 50થી વધારે લોકો ભેગા ન થઈ શકે, દેશના વિવિધ રાજ્યોમાં પણ શાળાઓ તેમજ યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે તેમજ ગુજરાત સરકારે સિનેમાઘરો અને સ્વીમીંગપૂલ પણ બંધ કરી દીધા છે. ભારત સરકારે બધા જ ભારતીય વિઝા પણ કેન્સલ કરી દીધા છે.
આ બધું જાણીને ઘણા બધા ભારતીયોને એવું લાગી રહ્યું છે કે સરકાર ઓવરરીએક્ટ કરી રહી છે. કારણ કે કોવીડ 19થી તો હજું 147 લોકો જ વાયરસગ્રસ્ત થયા છે અને ત્રણ લોકોના મૃત્યુ થયા છે. કેટલાક લોકો એવી પણ દલીલો કરશે કે કોરના વાયરસ કરતાં તો દર વર્ષે માત્ર ટી.બી.થી જ ચાર લાખ લોકોના મૃત્યુ થાય છે તો આપણે આટલો હોહલ્લો મચાવવાની ક્યાં જરૂર છે. પણ તમે જ્યારે વાસ્તવિક આંકડા પર નજર નાખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે સરકારે હજું પણ કડક થવાની જરૂર છે.
ઇટાલીની સ્થિતિ પર એક નજર
તમને જો ઇટાલીની સ્થિતિનો હાલ અંદાજો હશે તો ત્યાંના ડોક્ટર્સ અને નર્સની હાલત અત્યંત ખરાબ છે તેઓ સતત 10-15 કલાક કામ કરી રહ્યા છે અને તેના કારણે તેમની એફિશિયન્સી પર પણ અસર થાય તે સ્વાભાવિક છે. બીજી બાજું ઇટાલીમાં કોવીડ-19 થોડાંક જ સમયમાં કેટલી ઝડપથી ફેલાયો છે તે જોવા જઈએ તો 22 ફેબ્રુઆરીએ ઇટાલીમાં કોરોનાના માત્ર 9 જ કેસ હતા જ્યારે 11 માર્ચે 10000 કેસ થઈ ગયા હતા.
લોક ડાઉન શા માટે જરૂરી ?
ઘણા બધા એક્સપર્ટનું એવું કહેવું છે કે કોરોનાવાયરસના ફેલાવાને અટકાવવું તે જ માત્ર તેનો એક ઉપાય છે. અને માટે જ કોરોનાવાયરસ જે દેશોમાં ફેલાયો છે ત્યાં જાહેર મેળાવડાઓને બંધ કરવામાં આવ્યા છે અને લોકોને ઘરે જ રહેવાની ફરજ પાડવામાં આવી છે.
હવે તમે જો એવી દલીલ કરશો કે કોવીડ-19નો ફેટાલીટી રેટ એટલે કે મૃત્યુ આંક માત્ર 3% છે તેની સરખામણીએ ઇબોલા જેવા વાયરસનો ફેટાલીટી રેટ 19% કરતાં વધારે છે. પણ ઇબોલા કરતાં કોરોના વાયરસ ફેલાવાનો રેટ ક્યાંય વધારે છે. દરેક વાયરસનો એક બેસિક રી-પ્રોડક્શન નંબર હોય છે જેને RO કહે છે. જે દર્શાવે છે કે એક વાયરસગ્રસ્ત વ્યક્તિ બીજા કેટલા લોકોને ચેપ લગાડી શકે છે.
એક સંશોધન પ્રમાણે કોવીડ-19નો RO 2.7 છે એટલે કે 1 ઇન્ફેક્ટેડ વ્યક્તિ 2.7 લોકોને આ વાયરસનો ચેપ લગાવી શકે છે. બીજા વાયરસમાં આ રેટ ઓછો હોય છે. ચીન, ઇન્ડોનેશિયા, ઇટાલીમાં પણ આવું જ થયું છે. વાયરસગ્રસ્ત વ્યક્તિથી ચેપ લાગવાની સંખ્યા એકધારી રીતે નથી વધતી પણ ઉછાળા સાથે વધે છે. જેને એક્સપોનેન્શિયલ ગ્રોથ રેટ કહે છે. અને આ જ એક્સપોનેન્શિયલ ગ્રોથ રેટના કારણે મેડિકલ એક્સપર્ટ બધા જ દેશોને ઝડપી પગલા લેવાનું સૂચન કરે છે. જેથી કરીને આ એક્સપોનેન્શિયલ ગ્રોથ રેટ છે તેને ઘટાડી શકાય.
ટુંકમાં સમજાવવા જઈએ તો જે એક લાખ લોકો ભારતમાં મહિનામાં ઇન્ફેક્ટ થવાના હોય તે એક વર્ષમાં ઇનફેક્ટ થાય જેથી કરીને સ્થિતિ પર કાબુ મેળવી શકાય. કારણ કે જો તેવું થયું તો ભારતનું મેડિકલ સિસ્ટમ ઓવરલોડ થઈ જશે.
શું ભારતીય મેડિકલ સીસ્ટમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સક્ષમ છે ?
હવે તમને કોવીડ-19 વિષે જણાવીએ તો મોટા ભાગના ચેપગ્રસ્ત લોકોને એટલે કે 81% લોકોને વાયરસની ખુબ જ હળવી અસર થાય છે જેમની વધારે ચિંતા કરવાની જરૂર નથી પણ બાકીના 14% લોકો કે જેમને ગંભીર અસર થાય છે અને 5% લોકો કે જેઓ ક્રીટીકલ રીતે અસરગ્રસ્ત થાય છે તેમનું સ્વાસ્થ્ય લથડી શકે છે. અને માટે આવા લોકોને યોગ્ય સારવારની જરૂર પડે છે જેના માટે તેમને હોસ્પિટલમાં બેડ જોઈશે, ડોક્ટર્સ તેમજ નર્સીસનું એટેન્શન જોઈએ, તેમને સાવાર આપવા માટે દવાઓ જોઈએ, સેનેટાઇઝર્સ જોઈએ અને ફેસમાસ્ક પણ જોઈએ.
જો 10-12 લોકો હોસ્પિટલમાં કોવીડ-19ના વાયરસ સાથે પહોંચશે તો આપણું મેડિકલ સીસ્ટમ તેને પોહંચી વળશે પણ જો હજારો લોકો એક જ અઠવાડિયામાં વાયરસગ્રસ્ત થાય અને તેમને સારવારની જરૂર પડે તો તમને જણાવી દઈએ કે આટલા બધા દર્દીઓને પોહંચી વળે તેટલી આપણી મેડિકલ સીસ્ટમ સક્ષમ નથી.
ઇટાલી સાથે બીલકુલ આવું જ થયું છે. જો તમે એવી દલીલ કરતાં હોવ કે ભારતમાં હજારો હોસ્પિટલ છે તો તમને જરા ઇટાલીનો આંકડો પણ જણાવી દઈએ. ચાઈના બાદ કોરોના વાયરસે સૌથી વધારે મહામારી ઇટાલીમાં સર્જી છે. ઉત્તર ઇટાલીના લોમ્બાર્ડીમાં આવેલી બધી જ હોસ્પિટલની લગભગ 80% બેડ કોવીડ-19ના પેશન્ટ્સે લઈ લીધી છે.
ઇટાલીની સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે હોસ્પિટલમાં હાજર ડોક્ટર્સ તેમજ નર્સે એવા કપરા નિર્ણયો લેવા પડ્યા છે કે જે વિષે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ત્યાંના ડોક્ટર્સ એ નિર્ણય લેવા પર મજબૂર થઈ ગયા છે કે કયા પેશન્ટને એટેન્ડ કરવા અને કયાને નહીં. જેમને ડોક્ટર્સ એટેન્ડ નહીં કરી શકે તેમણે જાતે જ રીકવર થવું પડશે અથવા તો મૃત્યુ પણ પામે.
ઇટાલીની હોસ્પિટલે આ મહામારીને લઈને કેટલીક આકરી ગાઇડલાઇન્સ પણ ઇશ્યુ કરવી પડી હતી જેમાં તેમણે ખેદ સાથે સ્પષ્ટતા કરી છે કે જે લોકો કોવીડ-19થી ગ્રસ્ત છે અને જેમના બચી જવાની શક્યતાઓ સૌથી વધારે છે તેમને જ સારવાર આપવામાં પ્રાથમિકતા આપવામા આવશે. આનો અર્થ એ થાય કે જે લોકો વૃદ્ધ અથવા તો જેમને પહેલેથી જ કોઈ બીમારી છે અને તેમની વાયરસમાંથી છુટકારો મેળવાની શક્યતા ઓછી છે તેમને તેમ જ છોડી દેવામાં આવશે.
માત્ર કોવીડ – 19 નહીં પણ અન્ય દર્દીઓને પણ થઈ રહી છે અસર
અને આ સ્થિતિથી માત્ર કોરોનાવાયરસના ચેપગ્રસ્ત લોકોને જ અસર નથી થતી પણ બીજી બીમારીઓ ધરાવતા દર્દીઓને પણ અસર થાય છે. ચીનની જ વાત કરીએ તો ચીનના એચઆઈવી પેશન્ય માટે દવાનો પૂર્વઠો નથી કારણ કે બધું જ ધ્યાન હાલ ત્યાં કોવીડ-19ના પેશન્ટ પર જ આપવામાં આવે છે. તો વળી કેટલાએ કેન્સર પેશન્ટ્સની ટ્રીટમેન્ટ પણ ડીલે થઈ ગઈ છે.
અને આ જ કારણોસર ઇટાલીયન સરકારે કપરા નિર્ણયો લેવા પડ્યા છે અને આજે સ્થિતિ એવી છે કે આખોએ દેશ લોક ડાઉન કરી દેવામાં આવ્યો છે. અને તેનું માત્ર એક જ કારણ છે કે આ વાયરસના ફેલાવાને ધીમું પાડી શકાય. અને આવી જ સ્થિતિ બીજા દેશોમાં ન થાય માટે સાવચેતીરૂપે પહેલેથી જ સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.
સિંગાપોરમાં કેટલાક ખાસ દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે તો યુ.એસ.એની વાત કરીએ તો ત્યાં પણ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. સ્વિત્ઝરલેન્ડે પણ પોતાની બોર્ડર્સ સીલ કરી દીધી છે.
શા માટે ભારતે ચેતવાની જરૂર છે
જો ઇટાલી જેવી સ્થિતિ ભારતમાં સર્જાય તો ભારતમાં વિશ્વની સૌથી મોટી મહામારી સર્જાઈ શકે છે. કારણ કે ઇટાલીની સરખામણીએ ભારતનું મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ નબળું છે. કારણ કે જો મોટા શહેરોને બાદ કરીને સમગ્ર દેશની વાત કરીએ તો એક સંશોધન પ્રમાણે દરેક 1 લાખ લોકોની સામે ભારત પાસે માત્ર 2.3 ક્રીટીકલ હોસ્પિટલ બેડ્સ છે. જ્યારે ઇટાલીની વાત કરીએ તો ઇટાલી પાસે દર 1 લાખ લોકો સામે 12.5 ક્રીટીકલ હોસ્પિટલ બેડ્સ છે. જે ભારતની સરખામણીએ 6 ગણું વધારે છે. માટે ભારત માટે કડક અને ઝડપવી પગલાં લેવા અત્યંત જરૂરી છે.
ચીને કેવી રીતે પરિસ્થિતિ સંભાળી
ચીનની વાત કરીએ તો ચીનમાં ફેબ્રુઆરીમાં કોરોનાના એક લાખ કરતાં પણ વધારે કેસ હતા. પણ આ આંકડો 70 ગણો વધારે હોત જો ચીને આખાને આખા શહેરોને લોકડાઉન ન કર્યા હોત અને બીજા આકરા નિર્ણયો ન લીધા હોત તો. પણ સંશોધકો એવું પણ કહે છે કે જો ચીને આ પગલાં એક અઠવાડિયા પહેલાં લીધા હોત તો આ આંકડો 70 ગણો ઘટી પણ શક્યો હોત અને આવા કેસીસ 95 ટકા ઘટી પણ શક્યા હોત.
રોગચાળાના ચાર ચરણો
પ્રથમ ચરણમાં વાયરસ ગ્રસ્ત કેસીસ બીજા દેશોમાંથી પ્રવેશ કરે છે.
બીજા ચરણમાં લોકલ ટ્રાન્સીઝન એટલે કે સ્થાનિક વસ્તીમાં તે ચેપ ફેલાવાનો શરૂ થાય છે.
ત્રીજા ચરણમાં આ સંક્રમણ આખીને આખી કમ્યુનીટીઝમાં ફેલાવાનો શરૂ થઈ જાય છે.
ચોથા ચરણમાં પરિસ્થિતિ એટલી હદે કથળી જાય છે કે આ રોગનો કોઈ અંત જ નથી દેખાતો.
તમને જણાવી દઈ કે ઇટાલી અને કોરિયા હાલ ચોથા સ્ટેજમાં છે અને ભારત હાલ બીજા સ્ટેજ પર છે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે ભારત પાસે 30 દિવસ છે
નિષ્ણાતોનું માનવા જઈએ તો બીજા સ્ટેજથી ત્રીજા સ્ટેજ દરમિયાન ભારત પાસે માત્ર 30 જ દિવસ બાકી છે. માટે દેશ પહેલેથી જ કડક પગલાં લે તે અત્યંત જરૂરી છે.
ભારત સરકાર માટે આ પગલાં લેવા પણ અત્યંત જરૂરી છે
1. ટેસ્ટીંગ
2. કોન્ટેક્ટ ટ્રેસીંગ
3. ક્વોરેન્ટિન
ટેસ્ટિંગઃ
ટેસ્ટિંગ અત્યંત જરૂરી છે કારણ કે તેના દ્વારા જ આપણને ખબર પડશે કે હાલ દેશની સ્થિતિ શું છે. સાઉથ કોરીયા વિષે નિણ્યાતોનું એવું કહેવું છે કે ત્યાં કોરોનાના કેસીસ એટલા માટે વધારે સંખ્યામાં જોવા મળ્યા છે કારણ કે તેમની સરકારે ખુબ જ આક્રમક રીતે ટેસ્ટિંગ કર્યા છે. બીજી બાજું ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ઘણા લાંબા સમય સુધી ત્યાં પોઝિટીવ કેસ જોવા નહોતા મળ્યા. કારણ કે તેમાં ત્યાંની ટેસ્ટિંગ ક્વોલીટી અને ક્વોન્ટિટિ બન્ને નીચા છે અને માટે જ પોઝિટીવ કેસીસ પ્રકાશમાં નહોતા આવતા.
હવે જો ભારતની સરખામણી બીજા દેશો સાથે કરવામાં આવે તો તમને જણાવી દઈ કે ભારતમાં જોઈએ તેટલા ટેસ્ટ નથી થઈ રહ્યા. અને તેની પાછળ એક કારણ એ પણ જવાબદાર હોઈ શકે છે કે ભારતમાં આ વાયરસ ઘણા સમય બાદ ફેલાયો હતો. પણ તેના પર કાબુ મેળવવા માટે તેમજ તેને વધારે ફેલાતો અટકાવવા માટે આપણે આપણી ટેસ્ટીંગ સ્પીડ વધારવી પડશે.
કોન્ટેક્ટ ટ્રેસિંગઃ
કોન્ટેક્ટ ટ્રેસિંગ એટલે જો કોઈ કોરોનાવાયરસ ગ્રસ્ત કન્ફર્મ્ડ પેશન્ટ હોય તો તે બધા જ લોકોને શોધવાનો સઘન પ્રયાસ કરવાનો છે જે આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય. બની શકે કે તેમાંથી પણ કેટલાક પોઝિટીવ કેસ મળી શકે. આ જ અગ્રેસીન કોન્ટેક્ટ ટ્રેસિંગના કારણે સાઉથ કોરિયા ખૂબ જ ઝડપથી આ વાયરસના ફેલાવાને ધીમું પાડી શક્યું છે. જો આવું ન કરવામાં આવે તો આ રોગચાળો ખૂબ જ ફેલાઈ શકે છે. કારણ કે આવા પેશન્ટ એક –બે લોકોથી સેંકડો લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવું બને.
દા.ત. કોરિયાના એક દર્દીને પેશન્ટ 31 નામ આપવામાં આવ્યું છે અને તેને સુપર સ્પ્રેડર (એટલે કે જેણે સૌથી વધારે સંક્રમણ ફેલાવ્યું હોય) કહેવાયો છે. કારણ કે તે એક હજાર કરતાં પણ વધારે લોકોના કોન્ટેક્ટમાં આવ્યો હતો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સાઉથ કોરિયાના 2400 કેસ એક ચર્ચ સાથે સંબંધીત છે. કારણ કે અહીં આ પેશન્ટ 31 બે કલાક માટે સેંકડો લોકોના સંપર્કમાં રહ્યો હતો. અને આવા સુપર સ્પ્રેડર ભારતમાં પણ હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે મેંગલોરમાં કોરોનાવાયરસ શંકાસ્પદ વ્યક્તિ એરપોર્ટ પરથી મેડિકલ ચેકઅપમાંથી છટકી ગયો હતો. કેરેલામાં પણ આવું જ બન્યું હતું ત્યાં પણ એક અમેરિકન કપલ હોસ્પિટલમાંથી છટકી ગયું હતું. હવે તમે જ અંદાજો લગાવો કે જો આ લોકો પોઝિટિવ હશે તો તેઓ ત્યાર બાદ કેટલા બધા લોકોને સંક્રમીત કરી શકે છે.
અને માટે જ ભારતે પણ કેટલાક લોકોને ક્વોરેન્ટિન એટલે કે અલાયદા આયસોલેશનમાં રાખવા પડશે જેથી કરીને ફેલાવાને અટકાવી શકાય. તમને જણાવી દઈ કે ઇન્ડિયન આર્મિએ કેટલાક ભારતીયોને ઇટાલીમાંથી ઇવેક્યુએટ કર્યા હતાં અને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતાં. પણ સમય જતાં તે લોકો પોતાના માટે અલગ ઓરડા વિગેરેની ડીમાન્ડ કરવા લાગ્યા હતા. અને છેવટે આર્મીએ તેમને કડક શબ્દોમાં સમજાવવું પડ્યું કે તેઓ કોઈ ફાઈવસ્ટાર હોટેલમાં નથી કે તેમને મોંમાંગી સગવડો મળે. અહીં તેમણે જ સ્થિતિને સમજવી જોઈએ.
માત્ર ભારત સરકાર જ નહીં પણ ભારતીયોએ પણ કડક પગલાં લેવા પડશે
ઉપર જણાવ્યું તે પ્રમાણે ભારત સરકારે પોતાના ટેસ્ટીંગ વધારવાની જરૂર છે તો બીજી બાજું ભારતના લોકોએ સરકાર દ્વારા જે કોઈ પણ માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે તેનું કડક પાલન કરવું જોઈશે. મેડિકલ એક્સપર્ટની વાત માનવી પડશે. આમ સરકાર અને દેશ બન્નેએ સાથે મળીને આ મહામારીને નાથવાની છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ