કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોનાવાયરસ રસી વિશે ઉદ્ભવતા પ્રશ્નો વચ્ચે તેમના જવાબ આપવા માટે ત્રણ વીડિયો જાહેર કર્યા છે. આ વીડિયોમાં એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયા કોરોના વાયરસ રસીથી સંબંધિત પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. ગુલેરિયાએ જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ સમયે કોરોના રસીને અંતિમ મંજૂરી મળી શકે છે અને રસીને લીલીઝંડી મળતાની સાથે જ ભારત સરકાર તબક્કાવાર સઘન રસીકરણ અભિયાન હાથ ધરશે.
જાણો કોને મળશે પહેલા રસી
એક પ્રશ્નના જવાબમાં ડો.ગુલેરિયાએ કહ્યું કે શરૂઆતમાં કોવિડ રસી બધા લોકોને આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે સરકારે રિસ્ક ફેક્ટર અનુસાર રસીકરણની પ્રાથમિકતાઓ નક્કી કરી છે. તેમણે કહ્યું કે, પ્રથમ તબક્કામાં આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન કામદારોને રસી આપવામાં આવશે. એઇમ્સના ડિરેક્ટરએ જણાવ્યું હતું કે રસી લેતા બીજા જૂથમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો હશે. આ સાથે, 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ આ જૂથમાં જોડાશે, જેને કોરોનાના લક્ષણો જોવા મળે છે. તેમણે કહ્યું કે રસીકરણ ફરજિયાત નહીં હોય પરંતુ તે સ્વૈચ્છિક રહેશે. જો કે, ડો. ગુલેરિયાએ લોકોને સલાહ આપતા કહ્યું કે, પોતાને અને પોતાના પરિજનો, સંબંધીઓ અને સબંધીઓને સુરક્ષિત રાખવા માટે રસી જરૂર લો.
શું રસી સલામત છે કે પછી ઉતાવળમાં ખૂબ ટૂંકા ગાળામાં લાવવામાં આવી?
તેના જવાબમાં ગુલેરિયાએ કહ્યું કે દેશમાં કોઈપણ રસીનો ઉપયોગ ત્યારે જ મંજૂરી આપવામાં આવશે જ્યારે સરકાર ખાતરી આપે કે તે લોકો માટે સલામત છે. તેમણે કહ્યું કે આ માટેના તમામ જરૂરી અને યોગ્ય માપદંડોને પરિપૂર્ણ કર્યા વિના સરકાર કોઈ રસી મંજૂરી આપશે નહીં.
ક્યાં મળશે રસી ?
આ પ્રશ્નના જવાબમાં એઇમ્સના ડિરેક્ટરએ જણાવ્યું હતું કે રસી માટે નોંધણી કરેલા લોકોને રજીસ્ટર મોબાઇલ દ્વારા જાણ કરવામાં આવશે કે તેઓ ક્યારે અને ક્યાં રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેનાથી થતી અસુવિધા બચી શકાશે અને લોકોને સરળતા મળશે.
શું કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન કર્યા વિના કોવિડ રસી લઈ શકે છે?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અગાઉની નોંધણી વગર કોઈને પણ રસી આપવામાં આવશે નહીં. ગુલેરિયાએ જણાવ્યું હતું કે લોકો આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર નોંધણી કરાવી શકશે.
ઓળખનો પુરાવો ક્યો આપવાનો રહેશે?
તેમણે જણાવ્યું હતું કે, લોકોએ નોંધણી માટે ફોટો સાથે કોઈપણ ઓળખકાર્ડ રજૂ કરવું ફરજિયાત રહેશે. તેમણે જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, મનરેગા જોબકાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલું કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ પાસબુક, સાંસદ / ધારાસભ્ય / એમએલસી દ્વારા જારી કરાયેલ આઈડી કાર્ડ, નિયોક્તા (કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા પબ્લિક લિમિટેડ કંપની) દ્વારા જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ અથવા મતદાર ઓળખકાર્ડ સબમિટ કરવવાનું રહેશે. તેમણે જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન સમયે જે કાગળ આપવામાં આવશે તે રસીકરણ સમયે મેળવવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,