ડાયાબિટીસ એક ક્રોનીક સ્થિતિ છે જેનું મુખ્ય કારણ છે અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ. આના કારણે લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે અને સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાની શરૂઆત થવા લાગે છે.
તહેવારોમાં બનતા મોટાભાગના ફૂડ સોલ્ટ(મીઠું), શુગર અને ફેટથી ભરપૂર હોય છે. આના સેવનથી લોહીમાં શુગરનું પ્રમાણ ખૂબ ઝડપથી વધે છે જે સુગર ડાયાબિટીસના દર્દીઓની સેહત ઉપર એની સીધી અસર પડે છે.
જાપાની રીતથી સૌને ભાવે એવા લાજવાબ શિરતાકી નૂડલ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે પર્ફેક્ટ અને ટેસ્ટી ડાયટ છે. શિરતાકી નૂડલ્સ વજન ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે અને સાથે જ નિયંત્રિત થયેલા વજનમાં સુગર લેવલને જાળવી રાખવાનું કામ કરે છે.
શિરતાકી નૂડલ્સમાં જોવા મળતા ચિપ ચિપે ફાયબર વધતાં વજનને રોકવામાં મહત્વનો ભાગ ભજવે છે. કારણકે આનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગશે અને ભૂખને નિયંત્રિત કરશે.
રોજબરોજના નાસ્તાઓ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જો તેમાં વધારે પડતુ શુગર લેવામાં આવે તો તે ખુબ જ હાનીકારક છે. અનાજમાં એવી વસ્તુઓનું સેવન કરો કે જેમાં આ તમામનો ફાયદો થશે.
નાસ્તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ઓછી ચરબી અને વિટામીન, કેલ્શિયમ, આયર્ન જેવાં ખનિજો અને ફાયબર જેવા ન્યુટ્રિઅન્ટ્સનું હેલ્ધી અને સારું કોમ્બિનેશન હોવું જોઈએ, જેથી પછીના ખાણા સુધી એનર્જેટિક રહી શકાય.
સવારે ભૂખ્યા રહેવાથી એનર્જી લેવલ ઘટી જાય છે અને પછી અનહેલ્ધી નાસ્તો કે જમવામાં વધારે ખાવાથી વજન ઊલટાનું વધી જાય છે.
રેગ્યુલર બટાકાને શેકીને અથવા તળીને આપણે કોઈને કોઈ પ્રકારે ઉપયોગમાં લઈએ છે એવા સમયે સ્વીટ પોટેટો એક બેસ્ટ વિકલ્પ છે. આમાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે અને કેલરી પણ ઓછી હોય છે.
એટલે આ સ્વીટ પોટેટો લોહીમાં શુગરનું લેવલ જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ફળ પ્રાકૃતિક શુગરનો સ્ત્રોત હોય છે. પણ કેટલાક ફળો સુકાઈ જવાથી તેની સામગ્રી ખોઈ બેસે છે તેમાં ફક્ત શુગર અને કાર્બોહાઈડ્રેટ રહી જાય છે.
આનું સેવન શુગર લેવલ વધારીને સમસ્યા ઉભી કરે છે. આ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તમે તાજા ફળોનું સેવન કરો.
ડાયાબિટીસના દર્દીઓએ ફ્લેવર્ડ દહીનું સેવન કરવું જોઈએ નહી. સાદા દહીમાં પ્રોબાયોટિસ્ક હોય છે, જે શુગરને કંટ્રોલમાં રાખે છે. ફ્લેવર્ડ દહીંમા આનું પ્રમાણ હોતુ નથી. જે શુગરની માત્રા વધારી દે છે.
જો કે ટાઈપ-2ના દર્દીઓએ આનું સેવન કરવાથી ફાયદો થશે. આ સાથે જ વ્હાઈટ પાસ્તાનું સેવન શરીરમાં શર્કરાને વધારી દે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને જે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક છે.
થોડી થોડી વારે ખાવાનુ લેતા રહેવાથી હાઈપોગ્લાઈસેમિયા થવાની આશંકા વધી જાય છે જેમાં શુગર 70થી પણ ઓછુ થઈ જાય છે. દર અઢી કલાક પછી થોડી થોડી માત્રામાં ખાવાનુ ખાતા રહો.
દિવસમાં 3 વાર ખાવાને બદલે થોડી-થોડી વારે 6-7 વાર ખાવો. કસરત કરવાથી લોહીનુ ભ્રમણ યોગ્ય રહે છે જેનાથી લોહીમાં ખાંડની માત્રા પણ કાબૂ રાખી શકાય છે.
આ સાથે જ ડાયાબિટીસના દર્દીઓએ ખાંડ, ગોળ, મઘ, કોલ્ડ ડ્રિંક્સ વગેરે ઓછુ ખાવુ જોઈએ જેથી લોહીમાં શર્કરાનુ સ્તર એકદમ નિયંત્રણમાં રહે. વધુ ગળી વસ્તુઓ અને મીઠા પેય પદાર્થોનું સેવન ઈન્સ્યુલિન લેવલ વધારી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ