આપણને આપના વડીલો બાળપણથી જ શીખવાડે છે કે આપણે ચપ્પલ પહેરીને ક્યારેય પણ પૂજા સ્થળે ન જવું જોઈએ અથવા તમારે ચપ્પલ પહેરીને જ્યાં આપણે ભગવાન રાખેલા હોય તે રૂમમાં ન જવું જોઈએ. આનાથી આપણને ઘણું નુકશાન થઈ શકે છે. આપણને જેવુ આપના વડીલો શીખવે છે તેનું આપણે પૂરી નિષ્ઠા પૂર્વક પાલન કરી શકીએ છીએ.
આપણે કોઈ પૂજાના સ્થાન પર તો આપણે જતાં નથી પરંતુ મંદિર સિવાય પણ આપણે ઘણી એવી જગ્યા છે જ્યાં આપણે ચપ્પલ પહેરીને ન જવું જોઈએ. આ સ્થળે ચપ્પલ પહેરીને જવું ખૂબ અશુભ માનવામાં આવે છે. આ સ્થળને શાસ્ત્ર પ્રમાણે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ સ્થળે તમારે ક્યારેય પણ ચપ્પલ પહેરીને ન જવું જોઈએ. નહીં તો તેનાથી તમને ઘણું નુકશાન થઈ શકે છે. તેનાથી તમારું ભાગ્ય તમારો સાથ આપતો નથી.
રસોડામાં ચપ્પલ પહેરીને ન જવું જોઈએ :
રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે તેથી આ સ્થળ પર તમારે ક્યારેય પણ ચપ્પલ પહેરીને ન જવું. આની સાથે આ સ્થળ પર અગ્નિદેવનું પણ સ્થાન રહેલું હોય છે. આપના ઘરની લક્ષ્મી એટલે આપની વહુ અથવા પત્ની આપના ઘરના રસોડામાં આખા પરિવાર માટે ભોજન બનાવે છે. તેથી સ્થળને ખૂબ પવિત્ર માનવમાં આવે છે. તેથી તમારે ક્યારેય પણ ભૂલથી ચપ્પલ કેબ બુટ પહેરીને ન જવી જોઈએ.
નદી અને મંદિર પર પણ ન જવું જોઈએ :
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે નદીઓને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. મંદિર દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. મંદિરમાં ભગવાન વાસ કરે છે તેથી તેને ખૂબ પવિત્ર ગણવામાં આવે છે તેથી આ સ્થાન પર તમારે ક્યારેય ચપ્પલ પહેરીને ન જવું જોઈએ. તેથી તમારે ક્યારેય પણ નદીના કિનારે અથવા મંદિરમાં જવું હોય ત્યારે તમારે તેની બહાર ચપ્પલ ઉતારવા જોઈએ. નહીં તો તમને ઘણું નુકશાન થઈ શકે છે.
સ્ટોર હાઉસમાં પણ ક્યારેય ચપ્પલ પહેરીને ન જવું જોઈએ :
આપના ઘરના સ્ટોર હાઉસમાં આપણે અનાજ અને તેના સિવાય ઘણી ખાદ્ય વસ્તુઓ રાખીએ છીએ. તેથી તમારે ક્યારેય આ સ્થળ ચપ્પલ પહેરીને ન જવું જોઈએ. આ સ્થળે ચપ્પલ પહેરીને જવું ઘણું અશુભ માનવામાં આવે છે. આ સ્થળ ચપ્પલ પહેરીને જવાથી આ સ્થળનું અપમાન થયું ગણાય છે.
તિજોરી અથવા પૈસા રાખો તે સ્થળની નજીક ચપ્પલ પહેરીને ન જવું જોઈએ :
તમારે ઘરમાં જે સ્થળે તિજોરી હોય અથવા તમે જે સ્થળે પૈસા રાખતા હોવ ત્યાં તમારે ક્યારેય પણ ચપ્પલ પહેરીને ન જવું જોઈએ. તિજોરીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી અહી ચપ્પલ પહેરીને ન જવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીનું અપમાન થયું ગણાય છે. તેથી તમારે આ સ્થળ પર ચપ્પલ ન પહેરવા જોઈએ.
આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ સ્થળ પર આપણે ક્યારેય પણ ચપ્પલ પહેરીને ન જવું જોઈએ તેનાથી આપણાથી ભગવાન નારાજ થઈ જાય છે અને તેની કૃપા દ્રષ્ટિ આપના પર વરસાવતા નથી. તેથી આ સ્થળે ચપ્પલ પહેરીને ભૂલથી પણ ન જવું જોઈએ.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,