અજય દેવગને રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો – ગઢપણમાં કાજોલના આ શોખથી રહેશે પરેશાન
તેમાં કોઈ જ શંકા નથી કે આજકાલ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ ટીવી પર ધૂમ મચાવી રહ્યો છે. તેના જૂના એપિસોડ પણ લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે. તમે તેને પસંદ કરો કે ન કરો પણ તેના આ ચેટ શોને ઇગ્નોર નથી કરી શકતાં. કરણના આ ચેટ શો પર બોલીવૂડના મોટા મોટા સેલેબ્રિટી આવતા હોય છે. કોફી વિથ કરનની છેલ્લી સિઝનની શરૂઆત દીપિકા અને આલિયા ભટ્ટથી થઈ હતી. દીપિકા પાદુકોણે આ શોમાં આવ્યા બાદ લગ્નનો નિર્ણય કર્યો હતો. જો કે તે વખતે તે શોમાં હાજર આલિયા, કરણને પહેલેથી જ ખ્યાલ હતો કે તેણી લગ્ન કરવા જઈ રહી છે પણ હજું સુધી તેણી આ વાત મિડિયા સામે નહોતી લાવી.
આ ઉપરાંત આ શોમાં બોલીવૂડના બીજા દિગ્ગજ સિતારાઓ પણ આવી ચુક્યા છે, જેમા આમિર ખાન,
અર્જુન કપૂર અને તેમની બહેન જાહ્નવી, સૈફ અલી ખાન અને તેમની દીકરી સારા અલી ખાન, રણવીર સિંહ અને અક્ષય કુમાર વિગેરે કલાકારોએ કોફી વિથ કરનની છેલ્લી સિઝનમાં હાજરી આપી હતી.
તમને જણાવી દઈએ કે આ સિઝનમાં કાજોલ અને અજય દેવગણ પણ આવ્યા હતા. હવે એ તો બધાને ખબર છે કે કરણ અને કાજોલ કેટલા સારા મિત્રો છે. એટલે સુધી કે કરણ જોહરની કેટલીએ ફિલ્મોમાં કાજોલને લીડ અભિનેત્રી તરીકે કામ કર્યું છે. બીજી બાજુ કાજોલની પ્રતિભા પણ અવ્વલ દરજાની છે. કરણ જોહરનો આ શો સ્ટાર વર્લ્ડની ચેનલ પર બતાવવામાં આવે છે અને આ સામાન્ય રીતે એક ઇંગ્લીશ ચેનલ છે અને તેમાં ઇંગ્લીશ ભાષાના શો પ્રસારિત થાય છે. જો કે તેમાં કોઈ જ શંકા નથી કે અજય અને કાજોલ બોલીવૂડની ઉત્તમ જોડીઓમાંની એક છે. તેવામા આ કપલની વચ્ચેની ખાટી-મીઠી વાતો જોવાની દર્શકોને પણ ખૂબ મજા આવતી હોય છે.
તેની સાથે જ આ એપિસોડ દરમિયાન અજય અને કાજોલ બન્નેએ એકબીજા સાથે સંબંધિત કેટલાએ સીક્રેટ દર્શકો સામે ખોલ્યા હતા. કેટલીક એવી વાતો જેના વિષે તેમના ફેન્સ પણ નહોતા જાણતા. જો અમે સીધા શબ્દોમાં કહીએ તો આ શોમાં આ બન્નેના જીવન સાથે જોડાયેલા કેટલાક રહસ્યો પણ ખોલવામાં આવ્યા હતા. અજય દેવગને આ શોમાં જણાવ્યુ હતું કે કાજોલને તસ્વીરો ક્લિક કરવાનો ખૂબ શોખ છે. જો કે કાજોલના શોખથી તેને કોઈ સમસ્યા નથી. પણ તેમને સમસ્યા એ વાતથી છે કે એક તસ્વીર ક્લિક કર્યા બાદ તેને ઠીક કરવા માટે કાજોલ લગભગ ત્રણ કલાકનો સમય લે છે. એટલે કે અજયનુ કહેવું છે કે તેણી ત્રણ કલાકનો સમય વેડફી નાખે છે.
ત્યાર બાદ અજયનુ કેહવું છે કે માત્ર આ તસ્વીરો પોસ્ટ કરવાના કારણે તેને ઠીક કરવા માટે તેણી ત્રણ કલાકનો સમય લે છે. આ બધું સાંભળીને કરણ પણ ચકીત રહી જાય છે. ત્યાર બાદ અજયે કહ્યું કે પહેલા કાજોલ આ બધું નહોતી કરતી, પણ જ્યારથી તેમનું ગઢપણ આવ્યું છે ત્યારથી તેણી આ બધું કરવા લાગી છે. જો કે આ વાત સાંભળતાં જ કાજોલ ભડકી ઉઠી હતી અને કહેવા લાગી કે સોરી ગઢપણ મને નથી આવ્યું પણ તને આવ્યું હશે ઓકે. તેની સાથે જ કરણ જોહરે શો દરમિયાન એક રસપ્રદ પ્રશ્ન પુછી લીધો હતો.
તે સવાલ હતો કે બોલીવૂડ સ્ટાર્સ હંમેશા ખોટું બોલતા હોય છે. તેના પર અજય દેવગને કહ્યું કે સૌથી મોટું જુઠ્ઠાણું સામાન્ય રીતે દરેક વ્યક્તિ બોલે છે અને તે એ છે કે હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું. તમને જણાવી દઈ કે અજયનો આ જવાબ સાંબળીને કાજોલ ચોંકી ઉઠી હતી અને પછી અજય પોતાની સફાઈમાં કહે છે કે તે માત્ર બીજાઓની વાત કરી રહ્યો હતો. જો કે અમે તો માત્ર એ જ કહીશું કે કોફી વિથ કરનનો આ એપિસોડ ઘણા લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. અને આ શોમાં બધા જ ગેસ્ટને કોઈને કોઈ પ્રશ્નો પૂછવામા આવતા હતા અને જેનો જવાબ સૌથી સારો હોય છે તેમને એક લક્ઝરી કાર પણ ગીફ્ટમાં આપવામા આવી હતી. અને તે કારના વિનર અજય દેવગન રહ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ