અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી, સાયરા બાનોએ કહ્યું…’સાહેબની તબિયત ઠીક નથી, તેમના માટે પ્રાર્થના કરો’

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ સાયરા બાનોએ કહ્યું હતું કે તેમના પતિ એટલે કે ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની તબિયત હાલ સારી નથી. એમની મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, ‘તેમને ઠીક નથી. ઘણી જ અશક્તિ આવી ગઈ છે. ક્યારેક ક્યારેક ચાલીને હૉલમાં જાય છે અને પછી રૂમમાં પાછા આવી જાય છે. તેમની ઈમ્યુનિટી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. અમે રોજ નવા દિવસ માટે ભગવાનના આભારી છીએ.’

image source

સાયરા બાનો સાથે થયેલી વાતચીતમાં તેમને કહ્યું હતું કે ‘હું દિલીપ સાહેબની પ્રેમથી દેખરેખ કરું છું. અને એવું જરાય નથી કે હું કોઈ દબાણમાં આવીને આ બધું કરું છું. કોઈ મારાં વખાણ કરે કે પછી મને સમર્પિત પત્ની કહે એટલા માટે હું તેમની કાલજી કરતી હોય એવું સહેજ જ પણ નથી. મારી સાથે થયેલી અત્યાર સુધીની સૌથી સારી વાત એ છે કે મેં તેમનો સ્પર્શ મેળવ્યો. હું તેમને પ્રેમ કરું છું અને તેઓ મારું જીવન છે.’

image soucre

માર્ચ મહિના દરમિયાન દિલીપ કુમારે સોશિયલ મીડિયામાં પર કહ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે આઈસોલેશન તથા ક્વૉરન્ટીનમાં છે.
તમને જણાવી દઈએ કે 11 ડિસેમ્બરના રોજ દિલીપ કુમારનો જન્મદિવસ છે અને ત્યારે તે 98 વર્ષના થશે. માર્ચ મહિનામાં દિલીપ કુમારે કહ્યું હતું કે ‘કોરોના વાઈરસને કારણે હું પૂરી રીતે આઈસોલેશન તથા સેલ્ફ ક્વૉરન્ટીનમાં છું. મને કોઈપણ જાતનું ઈન્ફેક્શન ના થાય એ માટેની પૂરતી કાળજી સાયરા રાખે છે. આ સાથે જ હું મારા ફેન્સને ઘરમાં રહેવાની અપીલ કરું છું.’

image source

તમને જણાવી દઈએ કે કોરોનાને કારણે દિલીપ કુમારના બે નાના ભાઈઓનું નિધન થયું હતું. 21 ઓગસ્ટના રોજ તેમના 88 વર્ષીય ભાઈ અસલમનું અને 2 સપ્ટેમ્બરના રોજ એમના 90 વર્ષીય ભાઈ અહસાનનું અવસાન થયું હતું. પરિવારમાં આ રીતે બે વ્યક્તિના મોત થયા હોવાના કારણે 11 ઓક્ટોબરના રોજ પોતાની 54મી વેડિંગ એનિવર્સરી દિલીપ કુમાર અને સાયરા બાનોએ સેલિબ્રેટ કરી નહોતી.

આ વિશે સાયરા બાનોએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ’11 ઓક્ટોબર અમારા જીવનની સૌથી ખાસ ક્ષણ છે. દિલીપ સાહેબે આ દિવસે મારી સાથે લગ્ન કર્યાં હતાં અને મારા સપનાને સાકાર કર્યાં હતાં. આ વર્ષે અમે સેલિબ્રેશન કરીશું નહીં. તમને ખ્યાલ છે કે અમારા બે ભાઈઓ અહેસાનભાઈ તથા અસલમભાઈ હવે અમારી વચ્ચે નથી”

image source

દિલીપ કુમારની વાત કરીએ તો દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે ‘જ્વારા ભાટા’, ‘અંદાજ’, ‘આન’, ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘મુઘલ-એ-આઝમ’, ‘ગંગા જમુના’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ જેવી 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે. દિલીપ કુમારને અત્યાર સુધી આઠવાર બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. તેમજ તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અને વર્ષ 2015માં તેમને પદ્મભૂષણ આપવામાં આવ્યો હતો.