અભિનેત્રી સના ખાના હાલના દિવસોમા પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તેણીએ ઇસ્લામ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીથી છેડો ફાડી લીધો છે. સના ફિલ્મ ધન ધના ધન ગોલ, જય હો, વજહ તુમ હો અને ટોઇલેટ એક પ્રેમ કથામાં કામ કરી ચુકી છે આ ઉપરાંત તેણી ઝલક દિખલા જા 7, ખતરોં કે ખિલાડી 6, કેમેડી નાઇટ્સ બચાઓ અને એન્ટરટેનમેન્ટ કી રાતમાં જોવા મળી હતી. છેલ્લે તેણી એક વેબ સીરીઝમાં પણ જોવા મળી હતી. સનાએ ગુજરાતના સુરતમાં રહેતા મૌલાના અનસ મુફ્તી સાથે લગ્ન કરી લીધા છે. બોલીવૂડના ઘણા સિતારાઓ છે જેમણે આધ્યાત્મ અને ધાર્મિક પ્રચાર પ્રસાર માટે અભિનયની દૂનિયા છોડી દીધી છે.
મમતા કુલકર્ણી
90ના દાયકાની બોલીવૂડની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી પેતાની બોલ્ડ અદાઓથી દર્શકોના હૃદયમાં ખાસ ઓળખ બનાવી હતી. મમતાએ ટોપલેસ ફોટોશૂટ કરાવીને સનસની મચાવી દીધી હતી. જાણીતા પ્રોડ્યુસર્સ અને નિર્દેશકોએ મમતા કુલકર્ણીને પોતાની ફિલ્મોમાં લેવાની ઇચ્છા જાહેર કરી હતી અને અહીંથી મમતા કુલકર્ણી માટે સ્ટારડમનો નવો રસ્તો શરૂ થયો હતો પણ કોને ખબર હતી કે થોડા વર્ષો બાદ તેણી આ ચમકતી દુનિયા અને સ્ટારડમથી દૂર જતી રહેશે. શરૂઆતમાં મમતાના અંડરવર્લ્ડ ડોન છોડા રાજન સાથેના સંબંધની ખબરો ઉડી હતી. પણ થોડા સમય બાદ તેનું નામ ડ્રગની તસ્કરી કરનાર વિજય ગોસ્વામી સાથે પણ જોડાયું હતું. કહેવામાં આવે છે કે બન્નેએ લગ્ન પણ કરી લીધા હતા. તસ્કરીના કારણે વિક્કી જેલ જતો રહ્યો. ત્યાર બાદ મમતા ભક્તિમાં ડૂબી ગઈ અને તેણે પોતાની ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગિનિ નામનું પુસ્તક પણ લખ્યું.
અનુ અગ્રવાલ
ફિલ્મ આશિકી ફેમ અભિનેત્રી અનુ અગ્રવાલનું જીવન તે સમયે બદાઈ ગયું જ્યારે તેણી એક અકસ્માતનો ભોગ બની હતી. તે અકસ્માત બાદ તેણી લગભઘ એક મહીના સુધી કોમામાં રહી હતી. જ્યારે એ ઠીક થઈ ત્યારે તેણી આધ્યાત્મ તરફ વળી ગઈ. હવે અનુ યોગા કરે છે અને આધ્યાત્મિક જીવન જીવે છે.
સોફિયા હયાત
બિગ બૉસમાં ભાગ લઈ ચુકેલી સોફિયા હયાતે કેટલીએ ફિલ્મોમાં કામ કર્યું છે. સોફિયા હવે ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ છે. તેણી પોતાને નન કહેવડાવે છે. તેણીએ સોશિયલ મિડિયા પર નન તરીકેની કેટલીએ તસ્વીરો શેર કરી છે.
બરખા મદાન
બરખા મદાન વર્ષ 1994માં મિસ ઇડિયા ફાઇનલિસ્ટ બની હતી. વર્ષ 2012માં તેણીએ ફિલ્મી દુનિયા છોડવાનો નિર્ણય લઈ લીધો અને તેણી બૌદ્ધ ધર્મની નન બની ગઈ. બરખા મદાન બૌદ્ધ ધર્મથી ખૂબ પ્રભાવિત હતી. ત્યારથી તેણી નન તરીકે જીવન જીવી રહી છે.
જાયરા વસીમ
દંગલ ફેમ અભિનેત્રી જાયરા વસીમે પોતાના અભિનયથી બધાને કાયલ કરી દીધા હતા અને ખૂદ આમિર ખાન પણ તેના અભિનયથી પ્રભાવિત રહ્યા છે. પણ તેમ છતાં જલદી જ જાયરાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડી દીધી. તેણીએ દંગલ, સીક્રેટ સુપર સ્ટાર અને ધ સ્કાઇ ઇઝ પિંક ફિલ્મમાં કામ કર્યું છે. જેની ખૂબ પ્રસંસા પણ થઈ હતી. સોશિયલ મિડિયા પર એક પોસ્ટ શેર કરીને જાયરાએ લખ્યું હતું કે તેણી હવે ધર્મ પ્રચારમાં પોતાનું પુરું ધ્યાન આપશે. તેણીના આ નિર્ણયથી ઘણા લોકો હેરાન રહી ગયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ