હત્યાના આરોપીએ જેલમાં ભગવાનનો આદેશમાંની પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યું કંઇક એવું કે…

દરેક વ્યક્તિ કોઈને કોઈ ભગવાન ઉપર આસ્થા રાખતો હોય છે. અને તેની ભક્તિભાવ સાથે પુજા કરતા હોય છે. ઘણા લોકો મનોઈચ્છીત ફળ મેળવવા બાધા (ટેક) પણ રાખતા હોય છે જેથી ભગવાનને મનાવી શકાય. આ દુનિયામાં ઘણા લોકો એવા પણ છે જેઓ ભગવાનને રાજી કરવા પોતાના શરીરને કષ્ટ આપે છે. આવી જ એક ઘટના સામે આવી છે ગ્વાલિયરમાં જ્યાં ગ્વાલિયર સેન્ટ્રલ જેલમાં હત્યા અને લૂંટ કેસમાં સજા ભોગવી રહેલા ભિંડના એક કેદીએ તેનું ગુપ્તાંગ કાપીને પરિસરમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાં અર્પણ કર્યું હતું. કેદીનું નામ વિષ્ણુ રાજાવત છે. વિષ્ણુ કહે છે કે તેમને સ્વપ્નમાં આવું કરવાની આજ્ઞા આપવામાં આવી હતી. 25 વર્ષ પહેલા પણ ભીંડના એક કેદીએ આવી ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર જેલ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.

પોતાનું ગુપ્તાંગ કાપીને શિવને અર્પણ કર્યું

image soucre

આ અંગે જેલર પ્રભાતકુમાર શર્માના જણાવ્યા મુજબ, હત્યા કેસમાં સજા ભોગવી રહેલા કેદી વિષ્ણુસિંહ રાજાવત જેલના શિવ મંદિરમાં સવારે હંમેશની જેમ પૂજા કરવા ગયા હતા. દરમિયાન, સવારે 6 વાગ્યે, તેણે પોતાનું ગુપ્તાંગ કાપીને શિવને અર્પણ કર્યું. જેલના સ્ટાફને ઘટનાની જાણ થતાં જ જેએએચનાં ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાવ્યો હતો .

ભગવાન ભોલેનાથ રાત્રે તેના સ્વપ્નમાં આવ્યા

image source

ઇજાગ્રસ્ત કેદી વિષ્ણુએ કહ્યું કે ભગવાન ભોલેનાથ રાત્રે તેના સ્વપ્નમાં આવ્યા હતા, તેમણે મને આમ કરવાનો આદેશ આપ્યો અને મેં આજે મારું ગુપ્તાંગ કાપી તેમને મંદિરમાં અર્પણ કર્યું. તેણે જણાવ્યું કે તેણે મંદિરમાં રાખેલી ચમચીનું તીક્ષ્ણ શસ્ત્ર બનાવ્યું અને તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. વિષ્ણુ ભીંડ જિલ્લાનો રહેવાસી છે, તેણે ઉમરી પોલીસ સ્ટેશનમાં ઘુસીને પોલીસકર્મીની હત્યા કરી હતી. વિષ્ણુને હત્યા સહિતના અન્ય કેસોમાં કુલ 63 વર્ષની સજા ભોગવી રહ્યો છે અને તે બે વર્ષથી સેન્ટ્રલ જેલમાં બંધ છે.

ગ્વાલિયર જેલમાં આવી ઘટના પહેલા પણ બની ચૂકી છે

image source

ગ્વાલિયર જેલમાં લગભગ 25 વર્શ પહેલા ભીંડના રહેવાસી સુરેશ શર્માએ તેનું ગુપ્તાંગ કાપીને મંદિરને અર્પણ કર્યું હતું. જેલ પ્રશાસને બાદમાં સુરેશને ભોપાલ જેલમાં મોકલી આપ્યો હતો. ભોપાલ જેલમાંથી પેરોલ પર છૂટેલા સુરેશે ભીંડમાં તેના દુશ્મનના ઘરે આગ લગાવી હતી અને એક મહિલા સિવાય તમામને ગોળી મારી દીધી હતી. ત્યારે સુરેશ શર્માએ કહ્યું કે તેણે દુશ્મનો સામે બદલો લેવા અને સ્ત્રીઓથી દૂર રહેવા માટે ગુપ્તાંગ કાપી નાખ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ