શું એન્ટી પોલ્યુશન સબ્જી છે બ્રોકોલી? જાણો આને ખાવાના ફાયદા!
આ દિવસો લમાં અત્યંત પ્રદૂષણ દિલ્લી અને આસપાસના શહેરોમાં હવામાં વધતું જાય છે. પ્રદૂષણનો મુદ્દો અત્યારે બધેજ હેડલાઇન્સમાં છે.
દિવસે દિવસે આ સમસ્યા વધતી જાય છે જેના કારણે ઘણા લોકોને ઘણી પ્રકારની તકલીફો થઈ રહી છે જેમ કે આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને શરદી ઉધરસ જેવા રોગો!
આવી પરિસ્થિતિમાં સાચો ખોરાક અને ડિટોક્સ જ તમને પ્રદૂષણથી બચાવી શકશે. ડોક્ટરી દવાઓની સાથે સાથે ઘરેલુ નુસ્ખા પણ આ તમામ બીમારીઓમાં ઘણી હદ સુધી રાહત અપાવી શકે છે.
એર પ્યુરીફાયેર અને માસ્કનો ઉપયોગ પણ પ્રદૂષણથી બચાવી શકે છે.
પરંતુ આ બધી હિદાયતોની વચ્ચે પણ જરૂરી છે કે આપણે એવા શાકનું સેવન કરીએ જે આપણી અંદરની શક્તિને મજબૂત કરીને આપણને સ્વસ્થ બનાવે.
હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને પણ રોજના ડાયેટમાં એન્ટી ઓક્સિડન્ટ ફળો અને શાકભાજીનો ઉમેર કરવાની સલાહ આપી છે.
જેથી કરીને પ્રદૂષણથી થનાર નુકશાનની ભરપાઈ થઈ શકે. આવીજ શાકભાજીની લીસ્ટ માં શામેલ છે લીલી ફૂલ ગોભી એટલે કે ‘બ્રોકોલી’. જેને ડાયેટમાં શામેલ કરવાથી ઘણા સકારાત્મક પ્રભાવ મળે છે.
કેવી રીતે છે બ્રોકોલી મદદગાર?
ન્યુટ્રીશનથી ભરેલી બ્રોકોલી અસલમાં એક સૂપરફૂડ છે, જે અતિઘણા ફાઇબરથી ભરપુર છે. આ ફાઇબર ડાયજેશન અને બોડીમાં ભરેલા ટોક્સીનથી લડવામાં મદદરૂપ થાય છે.
એટલું જ નહિ લીલી ફૂલ ગોભિ એટલે કે બ્રોકોલી આપણને પ્રદૂષિત હવા તેમજ પાણી, અને કેન્સર કારક તત્ત્વોથી પણ બચાવે છે.
કેન્સરથી બચાવ
અસલમાં બ્રોકોલી શરીરથી અશુદ્ધ તત્ત્વોને કાઢીને તેમાં સારા એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન, બીટા કેરોટિન, બી- કૉમ્પ્લેક્સ, ફોલિક એસિડ, મિનરલ્સ જેવા તત્વોને પહોંચાડે છે.
આની મદદથી પેટમાં થનારી જલન તેમજ સ્થાયી બીમારીઓનો નાશ થતાં કોશિકાઓ પણ મજબૂત થાય છે.
તેની સાથેજ આ ચમત્કારી ગોભી બ્લડ શુગરનું પ્રમાણ પણ જાળવી રાખવામાં મદગાર સાબિત થઈ છે. આમાં મળનાર ગુણકારી તત્ત્વોના કારણે કેન્સર જેવી જાનલેવા બીમારીઓ થવાની સંભાવના ઘટી જાય છે.
એન્ટી પૉલ્યુશન સબ્જી છે
બ્રોકોલીને એક એન્ટી પોલ્યુશન સબ્જી પણ કહે છે કેમ કે તેના ગુણધર્મો આપણને પ્રદૂષણથી થનારી બીમારીઓથી બચાવે છે.
આ જ મુદ્દા પર ચીનમાં એક અભ્યાસ પણ થયો હતો જેમાં સાબિત થયું છે કે બ્રોકોલીના સ્પ્રાઉટ્સ શરીરમાં હવાના પ્રદૂષણ ને કારણે થયેલા નુકસાનને જડથી મિટાવી દે છે.
કેમ કે જ્યારે આપણે બ્રોકોલી ખાઈએ છીએ ત્યારે તેમાં રહેલા ફોટોકેમિકલ શરીર માં પહોંચીને જલ્દીથી પ્રદૂષણને કારણે થનાર નુકશાનની ભરપાઈ કરવા લાગે છે.
તેના જ કારણે શરીરથી એવા ટોક્સિન નીકળી જાય છે જે પ્રદૂષણની સાથે સાથે તંબાકુ સેવનથી પણ શરીરમાં પહોંચતા હોય છે.
જ્યૂસ, સ્મુથી અને ચા કરે ડીટોક્સ
શરીરને ડીટોક્સ કરવા માટે બ્રોકોલીનું જ્યૂસ, સ્મૂથી, સુપ અને ચા શામિલ કરી શકાય રોજબરોજના ખોરાકમાં.
હાલમાં જ થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્રોકોલી સ્પ્રાઉટ્સથી બનેલી ચા પીનારા લોકોમાં ૬૪ ટકા લોકોની બોડી માંથી બેન્ઝીન નીકળ્યું જે એક પ્રકાર નું કેમિકલ છે અને ૨૩ ટકા લોકોના શરીરમાંથી અર્કિલોન નીકળ્યું જે પણ એક કેમિકલ છે જે આંખોમાં થનારી બળતરાની સમસ્યાનું કારણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ