ગયા વર્ષે ઓક્ટોબરમાં બોલિવૂડ અભિનેત્રી અલાયા ફર્નિચરવાલાની અફેરની માહિતી સામે આવી હતી. આને લઈને અલગ અલગ વાતો સંભળાવા મળી હતી. મળતી માહિતી મુજબ બાલા સાહેબ ઠાકરેનો પૌત્ર સાથે અલાયા ફર્નિચરવાલાનું અફેર ચાલી રહ્યું છે તેવા સમચાર મળ્યાં હતાં.
બાલા સાહેબનાં આ પૌત્રનું નામ એશ્વય ઠાકરે છે. એશ્વયના જન્મદિવસની પાર્ટીમાં અલાયા ફર્નિચરવાલા જોવા મળી હતી જે પછી આ વાતોને વેગ મળ્યો હતો. આ પાર્ટી દુબઇમાં થઈ રહી હતી જેમાં અલાયા પણ ખુબ સેલિબ્રેશન કરતી જોવા મળી હતી. પરંતુ હવે અલાયાએ એશ્વર્ય સાથેના સંબંધના સમાચારો પર સ્પષ્ટતા કરી દીધી છે.
અલાયા ફર્નિચરવાલાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે જો તમારા વિશે વાત થઈ રહી છે તો તે સારી વાત છે. તમારે આ અહેવાલોને એટલી ગંભીરતાથી લેવા જોઈએ નહીં. એશ્વર્ય મારો ખૂબ જ સારો મિત્ર છે. તે ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ છે અને આ જ કારણે લોકો આવી વાતો કરી રહ્યાં છે. આવી વાતો મારા નજીકના લોકોની ઉત્સુકતામાં વધારો કરે છે.
આગળ વાત કરતાં તે કહે છે કે હું મારા અંગત જીવન વિશે એટલું વિચારતી જ નથી કે જેટલું હું મારી પ્રોફેશનલ જીવન માટે સ્ટ્રેસ લઉં છું. મને લાગે છે કે અંગત જીવનમાં જે બને છે તે બધું નેચરલી રીતે થવું જોઈએ અને તમારે ફક્ત તમારું બેસ્ટ આપવું જોઈએ. આ મેં લોકડાઉન દરમ્યાન કર્યું હતું. મેં ફક્ત મારા વિશે જ વિચાર્યું હતું અને બીજા કોઈ જ વિશે નહીં.
જાણવા મળ્યું છે કે ઓક્ટોબર 2020માં અલાયાએ દુબઈની એક રેસ્ટોરન્ટમાં એશ્વર્યના બર્થ ડે સેલિબ્રેશનમાં ઘણી મસ્તી કરી હતી. એશ્વર્ય અને તેના મિત્રો સાથે અલાયાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ હતી. આ તસવીરોમાં એશ્વર્ય સાથે અલાયા સાથે જોવા મળે છે.
આ તસવીરો જોતાં તો એવું જ લાગે છે કે તેઓ બંને એકબીજા સાથે હોવાની મજા માણી રહ્યા છે. એ વાત પણ સામે આવી છે તે બંનેની મિત્રતા વર્ષો જુની છે.
આ વિશે અલાયા પહેલા જ કહી ચૂકી છે કે એશ્વર્ય તેનો ફેમિલી ફ્રેન્ડ છે. તેણે કહ્યું હતું કે તે અને એશ્વર્ય એક સાથે અભિનય અને નૃત્યના વર્ગમાં જતા હતા.
પરંતુ જન્મદિવસની ઉજવણી પહેલા તેમની તસવીરો ક્યાંય જોવા મળી ન હતી. અલાયા ફર્નિચરવાલાએ ફિલ્મ ‘જવાની જાનેમન’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેણે સૈફઅલી ખાન અને તબ્બુની પુત્રીનો રોલ ભજવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong