મિત્રો, ઘણીવાર આપણે પગથી જાણતા-અજાણતા ઠોકર ખાઈએ છીએ. ઘણી વાર સંસ્કારના અભાવ માટે કેટલાક લોકોને ઇરાદાપૂર્વક પગ લગાડી દે છે. આ જીવન માટે અત્યંત જીવલેણ બની શકે છે. તો ચાલો આપણે જાણીએ કે એ કયા લોકો છે, જેમને તમારે તમારા પગ ભૂલથી પણ ના અડાડવા જોઈએ. તો ચાલો જાણીએ ક્યાં છે આ લોકો.
આપણા શાસ્ત્રોમા જે લોકોને પગ ભૂલથી પણ ના અડકાડવાની વાત કરવામાં આવી છે, તેમા બ્રાહ્મણ, ગુરુજન, અગ્નિ, કુંવારી છોકરી, બાળક અને વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે. આ લોકોને ક્યારેય પણ ભૂલથી પણ પગ અડકાડવા જોઈએ નહિ પગનો હડસેલો પણ તેમને ભૂલથી લાગવો જોઈએ નહિ.
આપણા શાસ્ત્રોમા અને હિંદુ ધર્મમા બ્રાહ્મણોને ખુબ જ પૂજનીય માનવામા આવે છે. પહેલના સમયમા બ્રામ્હણોની વિશેષ પૂજા કરવામાં આવતી હતી. તેમને એક વિશેષ સ્થાન આપવામાં આવતુ હતુ. તેમને વિશેષ માન-સન્માન પણ આપવામા આવતું હતુ માટે તમારે તમારા પગને સ્પર્શ કરીને તેમનુ અપમાન ના કરવુ જોઈએ.
ત્યારપછી જેની વાત આવે છે તે છે આપણા ગુરુ. આપણે ગુરુ પાસેથી શિક્ષણ મેળવીએ છીએ અને શિક્ષણ મેળવીને આપણે આપણા જીવનનુ ઘડતર કરીએ છીએ. આપણે આપણા જીવનનું જે કંઈપણ અમુલ્ય શિક્ષણ મેળવીએ છીએ તે આપણને આપણા ગુરુજન પાસેથી મેળવીએ છીએ. તેથી તેમના પગને સ્પર્શ કરીને તેમનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ.
હવે ત્યારપછી વાત આવે છે પવિત્ર અગ્નિની. આ અગ્નિને આપણા શાસ્ત્રોમા ખૂબ જ પવિત્ર માનવામા આવે છે. આપણા શાસ્ત્રોમા આ પવિત્ર અગ્નિ વિશે વિસ્તૃત ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ શાસ્ત્રોમા અગ્નિની દિવ્યતા વિશે પણ વર્ણન કરવામા આવ્યુ છે. વિદ્વાનો પણ પ્રભુને પ્રસન્ન કરવા માટે યાજ્ઞી પવિત્ર અગ્નિનો સહારો લેતા હતા હવે તમે અનુમાન લગાવી શકો છો કે આ ગણી કેટલી પવિત્ર છે?
આ સિવાય કુંવારી યુવતીને તો ઘરની લક્ષ્મી માનવામા આવે છે, આપણે સૌ જાણીએ છીએ કે, જે ઘરમા સ્ત્રીનું સન્માન કરવામાં આવતું નથી તે ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મીનો વાસ થતો નથી. એવામાં જો તમે તમારા ઘરની કુંવારી બાળાને હાથ અડકાડો તો તે માતા લક્ષ્મીનુ અપમાન ગણાય છે. માટે ક્યારેય પણ આવુ ના કરવુ.
આપણા વૃદ્ધ અને વડીલ લોકો આપણા માટે ઉપાસનાલાયક વ્યક્તિઓ છે, તેથી આપણે તેમને ક્યારેય પણ પગથી સ્પર્શ કરવો જોઈએ નહીં અને તેમનું અપમાન કરવું જોઈએ નહીં, જો તમે તેમનો પગથી સ્પર્શ કરો છો તો તમે પાપના સહભાગી બનો છો. તમારો આ ગુનો તમને બરબાદ કરી શકે છે. માટે ક્યારેય પણ આ દુષ્કાર્ય ના કરવુ.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,