સડક કિનારે રડતી મળી હતી અર્પિતા, સલીમ ખાને દત્તક લઈને બદલી નાખી કિસ્મત

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. એવામાં સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલિબ્રિટી પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે હવે કોરોનાએ સલમાન ખાનની બહેન અર્પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અર્પિતા હાલ કોરોનાને કારણે ચર્ચામાં આવી છે. સલમાન ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વાત કરી હતી કે તેની બહેન અર્પિતાને કોરોના થયો હતો અને હવે તે પૂરી રીતે સ્વસ્થ છે.

image source

બોલિવૂડના દબંગ ખાનનો આખો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. સલમાન જ્યારે બોલિવૂડનો મોટો સુપરસ્ટાર છે, તો અરબાઝ અને સોહેલ ખાન એક્ટર સાથે ફિલ્મના નિર્માતાઓ પણ છે. સલીમ ખાન બોલિવૂડના ખૂબ જ પ્રખ્યાત લેખક પણ છે. તેની બે પત્નીઓ છે, સલમા ખાન અને હેલેન. તે જ સમયે, પુત્રી અલવીરાની સાથે સાથે તેની એક બીજી પુત્રી પણ છે અર્પિતા ખાન, જે ફિલ્મોમાં દેખાતી ન હોવા છતાં પણ ચર્ચામાં રહે છે.

image source

અર્પિતા ખાન વિશે બધા જ જાણે છે કે તેને સલીમ ખાને દત્તક લીધી છે. જ્યારે સલીમ ખાને અર્પિતાને દત્તક લીધી હતી, જ્યારે તેની વાસ્તવિક માતાનું મુંબઇના રસ્તા પર મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવે છે કે અર્પિતા તેની માતાના મૃતદેહ પાસે રડતી હતી. તે સમયે સલીમ ખાનની નજર અર્પિતા પર પડી.

image source

હેલન અને સલીમ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે જોયું કે તેની માતાની ડેડબોડી પાસે એક નાનકડી બાળકી રડતી હતી. હેલન અને સલીમ ખાને તરત જ અર્પિતાને દત્તક લેવાનું નક્કી કર્યું. આજે અર્પિતા ખાન પરિવારની લાડકી પુત્રી છે, તેણે આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે અને તે પોતે બે બાળકોની માતા છે. જણાવી દઈએ કે અર્પિતાનો પતિ આયુષ શર્મા પણ ફિલ્મોમાં આવી ચુક્યો છે.

image source

અર્પિતા ખાનની વાત કરીએ તો તેણે શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં લીધુ. આ પછી, તેણે ફેશન કોર્સ કરવા માટે લંડન સ્કૂલ ઓફ ફેશનમાં પ્રવેશ લીધો. જ્યારે અર્પિતા લંડનમાંથી અભ્યાસ કરીને મુંબઈ પરત ફરી ત્યારે તે અહીંની એક ઈન્ટિરિયર ડિઝાઇનર કંપનીમાં કામ ક્યું. અર્પિતાનો આખો પરિવાર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, પરંતુ અર્પિતાએ પોતાને બોલીવુડથી દૂર રાખી.

image source

2014માં, અર્પિતાએ તેનાથી એક વર્ષ નાના આયુષ શર્મા સાથે લગ્ન કર્યા. આયુષ હિમાચલ પ્રદેશના સૌથી પ્રતિષ્ઠિત રાજકીય પરિવારમાંથી છે. તેમના દાદા કેન્દ્રીય પ્રધાન હતા અને હિમાચલમાં ટેલિકોમ ક્રાંતિ લાવવાનો શ્રેય તેમને મળે છે. તે જ સમયે, તેમના પિતા અનિલ શર્મા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહ્યા છે. આયુષ સાથે લગ્ન કર્યા બાદ અર્પિતા ખુશ જોવા મળે છે અને ઘણી વાર તેમના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે. અર્પિતા ફિલ્મથી દૂર છે, પરંતુ તે ભવિષ્યમાં ફિલ્મ પ્રોડક્શનમાં નસીબ અજમાવવા માગે છે. આ ઉપરાંત તેને પોતાની ફેશન બ્રાન્ડ લૉન્ચ કરવાની ઈચ્છા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!