મિત્રો, આપણા વિષ્ણુ પુરાણ ગ્રંથમા એક સારુ જીવન જીવવા માટેની અનેકવિધ બાબતોનુ વર્ણન કરવામા આવ્યુ છે, આ બાબતોને તમે તમારા જીવનમા અનુસરીને અનેકવિધ લાભ મેળવી શકો છો. જે લોકો આ બાબતો અંગે વિશેષ કાળજી રાખતા નથી તેમણે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
તો ચાલો આજે આ લેખમા અમે તમને વિષ્ણુ પુરાણમા જણાવવામા આવેલી પાંચ એવા કાર્યો વિશે જણાવીશુ કે, જે કાર્યો કરવામા ક્યારેય પણ વધુ પડતો સમય બગાડવો જોઈએ નહિ. જો તમે આ કાર્યો પાછળ તમારો વધારે પડતો સમય બગાડો છો તો તમારુ જીવન પણ થઇ શકે છે બરબાદ, તો ચાલો જાણીએ ક્યાં છે આ કાર્યો.
હમેંશા વહેલી સવારે ઉઠીને સૌથી પહેલુ જે કાર્ય કરવુ જોઈએ તે છે સ્નાન કરવુ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવુ એ અત્યંત શ્રેષ્ઠ માનવામા આવે છે અને સવારનુ વાતાવરણ ખુબ જ ઠંડુ હોય છે. તેથી, આટલા લાંબા સમય સુધી પાણીમા રહેવુ એ આપણને બીમાર કરી શકે છે.
સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્ય માટે નિયમિત પૂરતી ઊંઘ લેવી પણ ખુબ જ અગત્યની છે. જો સુવાનો સમય ખૂબ જ ઓછો અથવા લાંબો હોય તો તમારુ સ્વાસ્થ્ય કથળશે અને તમારી મેદસ્વીતામા પણ વૃદ્ધિ થઇ શકે છે. ઘણા લોકોની સમસ્યા એ છે કે તેઓ ઝડપથી ઊંઘવામા અસમર્થ હોય છે એટલે પછી તે મોડી રાત્રે સૂઈ જાય છે. કોઈપણ વ્યક્તિએ ઊંઘવામા વધુ પડતો સમય વેડફવો જોઈએ નહિ.
દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત જાગવા માટે શ્રેષ્ઠ માનવામા આવે છે. આ સમયે વાતાવરણ હમેંશા સ્વચ્છ અને શુદ્ધ રહે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક રહે છે. નિયમિત વહેલા ઉઠીને, ધ્યાન કરીને અને ચાલવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. વહેલી સવારે જાગવા માટે રાત્રે વહેલા સૂઈ જવુ જરૂરી છે. તેથી, આપણે આ બંને બાબતો પર વધારે સમય ના કાઢવો જોઈએ.
પુરુષો અને સ્ત્રીઓએ પણ આ અંગે વિશેષ કાળજી લેવી જોઈએ કે તેઓ રમત-ગમતમા વધુ પડતો સમય ના વિતાવે. આ કાર્યમા વધુ સમય લગાવીને શરીર નબળુ પડી શકે છે. બંને આરોગ્ય સંબંધિત અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી શકે છે.
વ્યાયામ એ શરીરને મજબૂત રાખે છે અને શરીર રોગ પ્રત્યે પ્રતિરોધક બને છે તથા મોસમી રોગોથી રક્ષણ આપે છે પરંતુ, વ્યાયામ વધારે કરવાથી થાક અને શરીરમા દુ:ખાવો પણ થઈ શકે છે એટલે યોગ્ય સમયે યોગ્ય વ્યાયામ એ આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,