નાના પડદના સૌથી ચર્ચિત શો અનુપમાં કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ટીઆરપી લિસ્ટમાં દર અઠવાડિયે ઉપર રહેતો આ ટીવી શો સાથે જોડાયેલી એક અફવાએ દર્શકોને ચોંકાવી દીધા હતા. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે એમાં લીડ રોલ નિભાવનાર એક્ટર્સ રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે વચ્ચે જબરદસ્ત ઝગડો થઈ ગયો છે. હવે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુદ સુધાંશુ પાંડેએ આ રિપોર્ટ્સ પર જવાબ આપ્યો છે. એ દરમિયાન એમને પોતાની તરફથી સમગ્ર મામલો સમજાવ્યો છે.
અનુપમાની કો સ્ટાર રૂપાલી ગાંગુલી સાથે અનબનની ખબર પર વાત કરતા સુધાંશુ પાંડે કહે છે કે એમાં કઈ ખોટું નથી. માનીએ છીએ કે વિચારોમાં અંતર હોવું કોઈ મોટી વાત નથી પણ એને અનબન કહી દેવું એ કંઈક વધારે થઈ જાય છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સુધાંશુ પાંડેએ શો સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરી હતી જેમાં એમને રૂપાલીને ટેગ નહોતી કરી. એના પર એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે એ એકબીજા સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ એટલે શેર નથી કરી રહ્યા કારણ કે અનુપમાંમાં હવે એ બન્નેનું પાત્ર એકસાથે નથી.
View this post on Instagram
એમને કહ્યું કે એ ખૂબ જ મુર્ખતા ભરી વાત છે જે લોકો જાતે જ બનાવી લે છે. મને તો ખબર નથી પડી રહી કે એમનું દિમાગ કેવી રીતે કામ કરે છે. કોઈને અનટેગ કરીને હું મારા કરિયરમાં કઈ પણ કેવી રીતે મેળવીશ. સુધાંશુએ આગળ કહ્યું કે સામાન્ય રીતે પોસ્ટમાં એમને ટેગ કરવામાં આવે છે જે ફોટામાં હોય છે અને મોટાભાગે હું કોઈ બીજા પાસેથી મળેલી પોસ્ટને કોપી પેસ્ટ કરી દઉં છું.
જ્યારે શો શરૂ થયો હતો ત્યારે મેં અને રૂપાલીએ એકસાથે ઘણા વિડિયોઝ પોસ્ટ કર્યા હતા. કારણ કે ત્યારે શોમાં અમે પરણિત હતા પણ હવે શોમાં મારા પાત્રના લગ્ન કાવ્યા સાથે થઈ ગયા છે. તો એટલે સ્વાભાવિક વાત છે કે ટ્રેકને પ્રમોટ કરવા માટે હું એમની સાથે વિડીયોઝ પોસ્ટ કરીશ.
સુધાંશુએ ચોખવટ કરતા કહ્યું કે રૂપાલી અને હું સારા કો એક્ટર્સ છે અને સારા મિત્રો પણ છે. અમારા વચ્ચે કઈ જ અનબન નથી. બે એક્ટર્સ વચ્ચે વિચારોના અંતર થઈ જાય છે અને એ ખૂબ જ સામાન્ય વાત છે. અનબન અને કોલ્ડ વોર એ માટે ઉપયોગમાં કરાતા ખૂબ જ મોટા શબ્દો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong